AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minjar Mela: મુસ્લિમ પરિવાર તૈયાર કરે છે ભગવાનને ચઢાવવા માટે મિંજર, PM મોદીએ પણ કર્યા મિંજરના મેળાના વખાણ

રવિવારે 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં દર વર્ષે યોજાતા મિંજર મેળાનું નામ આપ્યું હતું. જાણો, મિંજરનો અર્થ શું છે અને કેટલો ખાસ છે આ મેળો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 5:46 PM
Share
PM નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમમાં દેશના અનેક મેળાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં દર વર્ષે યોજાતા મિંજર મેળાને નામ આપ્યું હતું. મકાઈના ફૂલોને મિંજર કહે છે. મકાઈમાં ફૂલો આવે ત્યારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં ચંબામાં મિંજર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે 24મી જુલાઈથી શરૂ થઈ હતી અને 31મી જુલાઈ સુધી ચાલશે. જાણો કેટલો ખાસ છે આ મેળો...

PM નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના 'મન કી બાત' (Mann Ki Baat) કાર્યક્રમમાં દેશના અનેક મેળાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં દર વર્ષે યોજાતા મિંજર મેળાને નામ આપ્યું હતું. મકાઈના ફૂલોને મિંજર કહે છે. મકાઈમાં ફૂલો આવે ત્યારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં ચંબામાં મિંજર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે 24મી જુલાઈથી શરૂ થઈ હતી અને 31મી જુલાઈ સુધી ચાલશે. જાણો કેટલો ખાસ છે આ મેળો...

1 / 6
મેળાની શરૂઆત મિંજર અર્પણથી થાય છે. અહીંના લોકો ભગવાન રઘુવીર અને લક્ષ્મીનારાયણને મિંજર અર્પણ કરે છે. આ મિંજરની ઝાંખીને ખાસ શણગારવામાં આવી છે. અહીં એક મુસ્લિમ પરિવાર તેને સજાવવાનું કામ કરે છે. તેને રેશમના તાર, મોતી અને તલની મદદથી શણગારવામાં આવે છે. તેને ચંબાના ઐતિહાસિક ચૌગાનમાં લાવવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.

મેળાની શરૂઆત મિંજર અર્પણથી થાય છે. અહીંના લોકો ભગવાન રઘુવીર અને લક્ષ્મીનારાયણને મિંજર અર્પણ કરે છે. આ મિંજરની ઝાંખીને ખાસ શણગારવામાં આવી છે. અહીં એક મુસ્લિમ પરિવાર તેને સજાવવાનું કામ કરે છે. તેને રેશમના તાર, મોતી અને તલની મદદથી શણગારવામાં આવે છે. તેને ચંબાના ઐતિહાસિક ચૌગાનમાં લાવવામાં આવે છે અને તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.

2 / 6
એવું કહેવાય છે કે, 1641 માં શાહજહાંના શાસન દરમિયાન, રાજા પૃથ્વી સિંહ ભગવાન રઘુનાથની મૂર્તિને ચંબામાં લાવ્યા હતા. તે સમયગાળામાં શાહજહાંએ મિર્ઝા સફી બેગને દિલ્હીથી ચંબા મોકલ્યા. મિર્ઝા પરિવાર ઝરી અને ગોટાનું કામ કરતો હતો. તેથી સફી બેગે સોનાનો મિંજર બનાવીને ભગવાન રઘુનાથને અર્પણ કર્યો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ. એક મિંજર તૈયાર કરવામાં લગભગ 20 મિનિટ લાગે છે.

એવું કહેવાય છે કે, 1641 માં શાહજહાંના શાસન દરમિયાન, રાજા પૃથ્વી સિંહ ભગવાન રઘુનાથની મૂર્તિને ચંબામાં લાવ્યા હતા. તે સમયગાળામાં શાહજહાંએ મિર્ઝા સફી બેગને દિલ્હીથી ચંબા મોકલ્યા. મિર્ઝા પરિવાર ઝરી અને ગોટાનું કામ કરતો હતો. તેથી સફી બેગે સોનાનો મિંજર બનાવીને ભગવાન રઘુનાથને અર્પણ કર્યો. ત્યારથી આ પરંપરા શરૂ થઈ. એક મિંજર તૈયાર કરવામાં લગભગ 20 મિનિટ લાગે છે.

3 / 6
ખાસ વાત એ છે કે હિમાચલ પ્રદેશના દરેક ગામમાં પોતાના દેવતા છે. તે દેવી-દેવતાઓને પરંપરાગત વેશભૂષામાં મેળામાં લાવવામાં આવે છે. મિંજરના મેળામાં પ્રથમ દિવસે ભગવાન રઘુવીરની યાત્રા થાય છે. મિંજર મેળો હિમાચલ પ્રદેશની સંસ્કૃતિને દર્શાવે છે. જો તમારે હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ જોવી હોય તો તમારે અહીં ચોક્કસ આવવું જોઈએ. આ મેળાને જોવા માટે દેશના અનેક રાજ્યોમાંથી પ્રવાસીઓ પહોંચે છે.

ખાસ વાત એ છે કે હિમાચલ પ્રદેશના દરેક ગામમાં પોતાના દેવતા છે. તે દેવી-દેવતાઓને પરંપરાગત વેશભૂષામાં મેળામાં લાવવામાં આવે છે. મિંજરના મેળામાં પ્રથમ દિવસે ભગવાન રઘુવીરની યાત્રા થાય છે. મિંજર મેળો હિમાચલ પ્રદેશની સંસ્કૃતિને દર્શાવે છે. જો તમારે હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ જોવી હોય તો તમારે અહીં ચોક્કસ આવવું જોઈએ. આ મેળાને જોવા માટે દેશના અનેક રાજ્યોમાંથી પ્રવાસીઓ પહોંચે છે.

4 / 6
મિંજરના મેળામાં માત્ર હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ જ નહીં, પરંતુ તેની વાનગીઓ, લોક કલા અને રમતગમતની ઝલક પણ જોવા મળે છે. ચંબાના ચૌગાન પહાડીમાં ભરાતા આ મેળામાં પહોંચતા જ ચારેબાજુ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો પણ જોવા મળે છે. આ જ કારણ છે કે હિમાચલ પ્રદેશ પહોંચેલા પ્રવાસીઓ તેનો વિશેષ આનંદ લે છે.

મિંજરના મેળામાં માત્ર હિમાચલ પ્રદેશની સંસ્કૃતિ જ નહીં, પરંતુ તેની વાનગીઓ, લોક કલા અને રમતગમતની ઝલક પણ જોવા મળે છે. ચંબાના ચૌગાન પહાડીમાં ભરાતા આ મેળામાં પહોંચતા જ ચારેબાજુ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો પણ જોવા મળે છે. આ જ કારણ છે કે હિમાચલ પ્રદેશ પહોંચેલા પ્રવાસીઓ તેનો વિશેષ આનંદ લે છે.

5 / 6
મિંજરના મેળા વિશે એક કહેવત છે – ચંબે એક દિન ઓણા કને મહિનો રૈણા… તેનો અર્થ છે જે એક દિવસ માટે ચંબા આવે છે, તે આ સ્થળની સુંદરતા જોઈને એક મહિના સુધી અહીં રહે છે. મેળામાં હિમાચલી સંસ્કૃતિ, ચારેબાજુ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો અને નીચે પૂરજોશમાં વહેતી રાવી નદી પ્રવાસીઓને આકર્ષે છે અને મનમોહી લે છે.

મિંજરના મેળા વિશે એક કહેવત છે – ચંબે એક દિન ઓણા કને મહિનો રૈણા… તેનો અર્થ છે જે એક દિવસ માટે ચંબા આવે છે, તે આ સ્થળની સુંદરતા જોઈને એક મહિના સુધી અહીં રહે છે. મેળામાં હિમાચલી સંસ્કૃતિ, ચારેબાજુ બરફથી ઢંકાયેલા હિમાલયના શિખરો અને નીચે પૂરજોશમાં વહેતી રાવી નદી પ્રવાસીઓને આકર્ષે છે અને મનમોહી લે છે.

6 / 6
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">