Chandra Grahan 2025 : ચંદ્રગ્રહણ પહેલા તુલસીનો જાદુઈ ઉપાય, દુષ્પ્રભાવથી બચાવશે
આ વર્ષે આવતું બીજું તથા અંતિમ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, રવિવારે જોવા મળશે. ખાસ વાત એ છે કે એ જ દિવસે પૂર્ણિમા તિથિનું શ્રાદ્ધ પણ છે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે અને તેથી તેનું સૂતક કાળ પણ લાગુ પડશે. આ કારણે જ્યોતિષાચાર્યો લોકોને એ દિવસે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. (Credits: - Canva)

ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ થતાં જ પૂજા-પાઠ, રસોઈ બનાવવી અથવા ભોજન કરવું અશુભ માનવામાં આવે છે. સૂતક શરૂ થાય તે પહેલાં જમવા યોગ્ય વસ્તુઓમાં તુલસીના પાન મૂકવાની પરંપરા છે, જેથી ગ્રહણની નકારાત્મક અસર તેના પર ન પડે. ( Credits: Getty Images )

કેટલાક લોકો સૂતક લાગ્યા પછી તુલસીના પાન તોડવાની ભૂલ કરે છે, જે યોગ્ય નથી માનાતું. ધાર્મિક માન્યતા મુજબ તુલસીના પાન સૂતક શરૂ થાય તે પહેલાં જ તોડી રાખવા જોઈએ અને ત્યારબાદ તેને ખોરાકમાં ઉમેરવા જોઈએ. ( Credits: Getty Images )

7 સપ્ટેમ્બરના દિવસે ચંદ્રગ્રહણનો આરંભ રાત્રે 9 વાગ્યાને 58 મિનિટે થશે અને તેનું સમાપન બીજા દિવસે વહેલી સવારે 1 વાગ્યાને 26 મિનિટે થશે. (Credits: - Canva)

ચંદ્રગ્રહણ લાગુ પડતા પહેલા તેનું સૂતક કાળ આશરે 9 કલાક અગાઉ શરૂ થઈ જાય છે. તેથી, 7 સપ્ટેમ્બરના આ ચંદ્રગ્રહણ માટે સૂતક કાળ બપોરે લગભગ 12 વાગ્યાને 57 મિનિટથી પ્રારંભ થશે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 7 સપ્ટેમ્બરના ચંદ્રગ્રહણના દિવસે બપોરે સૂતક કાળ શરૂ થવાના પહેલા તુલસીના પાન તોડી ખોરાકમાં મૂકવા યોગ્ય માનવામાં આવે છે. (Credits: - Canva)

ગ્રહણના સમયમાં તુલસી તોડવી અશુભ માનવામાં આવે છે. આ સમયે તોડાયેલા તુલસીના પાનમાં રહેલી પાવનતા અને તેની અસરકારકતા પણ નષ્ટ થઈ જાય છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
