AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પેટ્રોલ પંપ પર ઓછુ પેટ્રોલ મળે છે? જાણો તરત શું કરવું અને ક્યાં કરવી ફરિયાદ

કાનુની સવાલ: ઘણી વાર લોકો કહે છે કે પેટ્રોલ પંપ પર પૂરતું પેટ્રોલ મળતું નથી. ઘણા લોકોને શંકા થાય છે કે મીટર પર બતાવેલી માત્રા મુજબ પેટ્રોલ નથી મળતું. જો તમને પણ આવું લાગે તો જાણો કે કાયદા મુજબ તમારી પાસે શું અધિકાર છે અને કેવી રીતે તમે ફરિયાદ કરી શકો છો.

| Updated on: Nov 04, 2025 | 9:00 AM
Share
સૌથી પહેલા શું કરવું: જો તમને લાગે કે પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે, તો સૌથી પહેલા પંપ મેનેજર સાથે વાત કરો. દરેક પેટ્રોલ પંપ પર “5 લિટર માપણી કેન” હોય છે. તમે માગી શકો છો. તે કેન વડે પેટ્રોલનું માપ લઈ બતાવો. જો માપણીમાં તફાવત આવે તો તમને રિફંડ અથવા યોગ્ય માત્રામાં પેટ્રોલ આપવું ફરજિયાત બને છે.

સૌથી પહેલા શું કરવું: જો તમને લાગે કે પેટ્રોલ ઓછું આપવામાં આવ્યું છે, તો સૌથી પહેલા પંપ મેનેજર સાથે વાત કરો. દરેક પેટ્રોલ પંપ પર “5 લિટર માપણી કેન” હોય છે. તમે માગી શકો છો. તે કેન વડે પેટ્રોલનું માપ લઈ બતાવો. જો માપણીમાં તફાવત આવે તો તમને રિફંડ અથવા યોગ્ય માત્રામાં પેટ્રોલ આપવું ફરજિયાત બને છે.

1 / 7
માપણીમાં તફાવત આવે તો કાયદેસરની કાર્યવાહી: જો માપણીમાં ખામી સાબિત થાય તો તે લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 હેઠળ ગુનો ગણાય છે. એ મુજબ ખોટી માપણી કે ગ્રાહક સાથે છેતરપીંડી કરવા બદલ દંડ અને લાયસન્સ રદ થઈ શકે છે.

માપણીમાં તફાવત આવે તો કાયદેસરની કાર્યવાહી: જો માપણીમાં ખામી સાબિત થાય તો તે લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 હેઠળ ગુનો ગણાય છે. એ મુજબ ખોટી માપણી કે ગ્રાહક સાથે છેતરપીંડી કરવા બદલ દંડ અને લાયસન્સ રદ થઈ શકે છે.

2 / 7
ક્યાં કરવી ફરિયાદ?: તમારી ફરિયાદ આ માધ્યમો દ્વારા કરી શકાય છે. જિલ્લા વજન માપ વિભાગ (Legal Metrology Department) — અહીં લેખિત ફરિયાદ કરી શકાય છે. Consumer Helpline નંબર: 1800-11-4000 અથવા 14404 પર કોલ કરી શકો છો. Email દ્વારા: consumeraffairs@nic.in  પર ફરિયાદ મોકલો. National Consumer Helpline Portal: www.consumerhelpline.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે.

ક્યાં કરવી ફરિયાદ?: તમારી ફરિયાદ આ માધ્યમો દ્વારા કરી શકાય છે. જિલ્લા વજન માપ વિભાગ (Legal Metrology Department) — અહીં લેખિત ફરિયાદ કરી શકાય છે. Consumer Helpline નંબર: 1800-11-4000 અથવા 14404 પર કોલ કરી શકો છો. Email દ્વારા: consumeraffairs@nic.in પર ફરિયાદ મોકલો. National Consumer Helpline Portal: www.consumerhelpline.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે.

3 / 7
Oil Company Helpline: Indian Oil: 1800-2333-555. Bharat Petroleum: 1800-22-4344. Hindustan Petroleum: 1800-233-3555 આ નંબર પર તમે કોલ કરી શકો છો.

Oil Company Helpline: Indian Oil: 1800-2333-555. Bharat Petroleum: 1800-22-4344. Hindustan Petroleum: 1800-233-3555 આ નંબર પર તમે કોલ કરી શકો છો.

4 / 7
પુરાવા રાખવો જરૂરી: ફરિયાદ કરતા પહેલા બિલની કૉપિ, પેટ્રોલ ભરાવવાનો સમય, પંપનું નામ અને સ્થળની વિગત જરૂર રાખો. શક્ય હોય તો વીડિયો કે ફોટો પુરાવા પણ લો.

પુરાવા રાખવો જરૂરી: ફરિયાદ કરતા પહેલા બિલની કૉપિ, પેટ્રોલ ભરાવવાનો સમય, પંપનું નામ અને સ્થળની વિગત જરૂર રાખો. શક્ય હોય તો વીડિયો કે ફોટો પુરાવા પણ લો.

5 / 7
ગ્રાહક ફોરમમાં ફરિયાદ: જો તમારી ફરિયાદનું યોગ્ય નિરાકરણ ન મળે તો તમે ગ્રાહક સુરક્ષા ફોરમ (Consumer Forum)માં કેસ કરી શકો છો. અહીં ગ્રાહકના હિતમાં ન્યાય મેળવવા માટે ફી ખૂબ નાની હોય છે અને પ્રક્રિયા સરળ છે.

ગ્રાહક ફોરમમાં ફરિયાદ: જો તમારી ફરિયાદનું યોગ્ય નિરાકરણ ન મળે તો તમે ગ્રાહક સુરક્ષા ફોરમ (Consumer Forum)માં કેસ કરી શકો છો. અહીં ગ્રાહકના હિતમાં ન્યાય મેળવવા માટે ફી ખૂબ નાની હોય છે અને પ્રક્રિયા સરળ છે.

6 / 7
આવી છેતરપીંડી રોકવા માટેના ઉપાય: હંમેશા પેટ્રોલ ભરાવતાં પહેલા મીટર “Zero” છે કે નહીં તે તપાસો. બિલ જરૂર લો. લિટરમાં માપણી ચેક કરો. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત વીડિયો લો અને ફરિયાદ કરો.

આવી છેતરપીંડી રોકવા માટેના ઉપાય: હંમેશા પેટ્રોલ ભરાવતાં પહેલા મીટર “Zero” છે કે નહીં તે તપાસો. બિલ જરૂર લો. લિટરમાં માપણી ચેક કરો. જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત વીડિયો લો અને ફરિયાદ કરો.

7 / 7

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(Image Credit: AI Whisk Photo)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">