કાનુની સવાલ : જો પોલીસ FIR નોંધે નહીં તો ગભરાશો નહીં, તમારા કાનૂની અધિકારો જાણો
FIR બાદ પોલીસ આગળની પ્રકિયા પુરી કરે છે પરંતુ કેટલીક વખત પીડિતને આ તબક્કામાં અડચણનો સામનો કરવો પડે છે. જ્યારે પોલીસ કોઈ કારણવગર FIR નોંધવાની ના પાડી દે છે.

ભારતીય કાયદા મુજબ, ગુનાની માહિતી મળતાં જ FIR નોંધવાની જવાબદારી પોલીસની છે. જોકે, દબાવ, લાપરવાહી અથવા બેદરકારીને કારણે, પોલીસ ઘણીવાર FIR નોંધતી નથી. તેથી જરુરી છે કે, દરેક નાગરિક પોતાના અધિકારોથી વાકેફ હોય અને જો પોલીસ FIR નોંધવાની ના પાડે તો ન્યાય મેળવવા માટે તેઓ કયા કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.

આજે આપણે કાનુની સવાલમાં પોતાના અધિકાર વિશે જાણીશું.જો ક્યારે પણ પોલીસ FIR નોંધવાની ના પાડે તો તમને આ અધિકારો વિશે જાણ હોવી જરુરી છે.

FIR અને ફરિયાદ બંન્ને વચ્ચે ખુબ મોટો તફાવત છે. ચોરી, ઝગડો,ધમકી આપવી જેવા કેસમાં પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ આગળની તપાસ હાથ ધરે છે.તપાસ યોગ્ય કર્યા બાદ પોલીસ FIR નોંધે છે.પોલીસ ફરિયાદનો ઉકેલ પોતાની રીતે લાવી શકે છે.

પરંતુ FIR દાખલ થયા પછી, પોલીસે કેસ કોર્ટ જાય છે. ત્યારબાદ આ કેસ વિશે ટ્રાયલ થશે. તેથી, કોઈપણ બાબત પોલીસ સમક્ષ લઈ જતા પહેલા, ખાતરી કરો કે પોલીસે ફરિયાદ નોંધી છે કે FIR દાખલ કરી છે.

મહત્વની વાત એ છે કે, જ્યારે પોલીસ FIR નોંધવાની ના પાડે તો નાગરિકના ક્યાં કાનુની અધિકારો છે.ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમો અનુસાર, આ કેસોને કોગ્નિઝેબલ ગુના ગણવામાં આવે છે અને પોલીસે આવા ગુનાઓની ફરિયાદો મળવા પર કાર્યવાહી કરવી પડે છે.

પરંતુ જો તમારી FIR લેવામાં આવી રહી નથી. તો તમે સીધા એસપી કે પછી ડીએસપી સાથે મુલાકાત કરી શકો છે. તેની પાસે FIR નોંધવાનો અધિકાર અને જવાબદારી હોય છે. જો પીલેસ જાણી જોઈને FIR લેતી નથી તો તેની ડ્યુટીમાં લાપરવાહી માનવામા આવે છે.અને તમે આ વિશે ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી શકો છો.

જો ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યવાહી ન કરે, તો પીડિતા ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે અને પોલીસને FIR નોંધવાનો આદેશ મેળવી શકે છે. મેજિસ્ટ્રેટ સમક્ષ ખાનગી ફરિયાદ દાખલ કરી શકાય છે.જો મેજિસ્ટ્રેટ પણ કોઈ આદેશ જાહેર ન કરે અથવા પોલીસ તપાસમાં વિલંબ કરે, તો પીડિતા હાઈકોર્ટમાં FIR નોંધવા માટે નિર્દેશો માંગતી અરજી દાખલ કરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
