કાનુની સવાલ : છૂટાછેડા બાદ પણ પત્ની પતિના ઘરે રહી શકે છે, જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં ફોજદારી કાયદાઓમાં તાજેતરના ફેરફારો થયા છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ને ભારતીય ન્યાયિક સંહિતા 2023 દ્વારા બદલવામાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ, છૂટાછેડા પછી મહિલાઓના અધિકારો સંબંધિત જોગવાઈઓ જે અગાઉ CrPC હેઠળ હતી, તે હવે ભારતીય ન્યાયિક સંહિતા હેઠળ લાગુ થાય છે.

છૂટાછેડા બાદ મહિલાના મુખ્ય અધિકારો વિશે વાત કરીએ તો, ભરણ પોષણ(Right to Maintenance)નો અધિકાર છે. પહેલા CrPCની કલમ 125 હેઠળ છૂટાછેડા લીધેલી મહિલાને ભરણપોષણ(Alimony)નો અધિકાર હતો. હવે આ જોગવાઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 144, 2023 હેઠળ લાગુ થાય છે.કલમ144 (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023) મુજબ, છૂટાછેડા પછી, સ્ત્રીને પતિ પાસેથી યોગ્ય ભરણપોષણ મેળવવાનો અધિકાર છે.

છૂટાછેડા બાદ સંપત્તિના અધિકાર (Right to Property) વિશે આપણે વાત કરીએ તો.છૂટાછેડા પછી સ્ત્રીને તેના પતિ અથવા સાસરિયાઓની પૈતૃક સંપત્તિમાં કોઈ અધિકાર નથી, પરંતુ તેનું સ્ત્રીધન પરત કરવું ફરજિયાત છે.સ્ત્રીધન પરત માટે, મહિલા ભારતીય દંડ સંહિતા 2023ની કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરી શકે છે.ભારતીય દંડ સંહિતા, 2023 હેઠળ, જો સાસરિયાઓ મહિલાનું સ્ત્રીધન પાછું ન આપે, તો છેતરપિંડીનો કેસ નોંધી શકાય છે.

મહિલાને છુટાછેડા બાદ સાસરાના ઘરમાં રહેવાનો અધિકાર છે. ઘરેલું હિસા અધિનિયમ, 2005 હેઠળ છૂટાછેડા બાદ પણ મહિલાને સાસરિયાના ઘરમાં રહેવાનો અધિકાર છે. જો સાસરિયા વાળા મહિલાને જબરદસ્તીથી ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો તે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સુરક્ષા માટે અરજી પણ દાખલ કરી શકે છે.

કોર્ટે કહ્યું કે છૂટાછેડા પછી પણ મહિલાને સાસરિયામાં રહેવાનો અધિકાર છે સિવાય કે તેની પાસે રહેવા માટે બીજો કોઈ વિકલ્પ ન હોય.આ અધિકાર ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 અને ભારતીય ન્યાયિક સંહિતા, 2023 હેઠળ સુરક્ષિત છે.

બાળકોની કસ્ટડી અને ભરણપોષણ, (Guardians and Wards Act, 1890) હેઠળ મહિલાને બાળકની કસ્ટડી મળી શકે છે અને પતિને નવા કાયદા હેઠળ, કલમ 144 મુજબ, વ્યક્તિએ બાળકોના ભરણપોષણમાં યોગદાન આપવું પડશે.

સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ભરણપોષણનો અધિકાર ધર્મથી ઉપર છે અને દરેક છૂટાછેડા લીધેલ મહિલા ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 144 હેઠળ ભરણપોષણ મેળવવા માટે હકદાર છે.

છૂટાછેડા પછી પણ જો સ્ત્રીને તેના સાસરિયાઓ અથવા પતિ દ્વારા હેરાન કરવામાં આવે છે, તો તે ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 અને ભારતીય ન્યાયિક સંહિતા, 2023 હેઠળ પ્રોટેક્શન ઓર્ડર માટે અરજી કરી શકે છે.

જો છૂટાછેડા પછી પણ દહેજની માંગ ચાલુ રહે છે, તો મહિલા ભારતીય દંડ સંહિતા, 2023 હેઠળ એફઆઈઆર નોંધાવી શકે છે.સુપ્રીમ કોર્ટના નિર્ણયોએ મહિલાઓના અધિકારોને વધુ મજબૂત બનાવ્યા છે, જેથી તેઓ છૂટાછેડા પછી પણ મહિલા સન્માનજનક જીવન જીવી શકે.
ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































