ભારતીય નેવીમાં સામેલ થયુ INS Mormugao, જાણો આ વિનાશક યુદ્વ જહાજ સાથે સંબંધિત 10 મોટી વાત
આ યુદ્ધ જહાજની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7,400 ટન છે. આ યુદ્ધ જહાજમાં ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇન છે, જેની મદદથી આ યુદ્ધ જહાજ 30 નોટથી વધુની ઝડપે દોડી શકે છે.

ભારતીય નેવીમાં આધુનિક શસ્ત્રોથી સજ્જ આઈએનએસ મોર્મુગાઓ જોડાઈ ગયુ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેને ભારતીય નેવીને સોંપ્યુ છે. આ યુદ્ધ જહાજ 19 ડિસેમ્બર, 2021ના રોજ પ્રથમ વખત સમુદ્રમાં ઉતર્યું હતુ. આ વિનાશક યુદ્ધ જહાજને ભારતીય નૌકાદળના 'વોરશિપ ડિઝાઇન બ્યુરો' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યુ છે અને તેને મુંબઈની મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે.

તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે અને તે ભારત દ્વારા બનાવવામાં આવેલા સૌથી ઘાતક યુદ્ધ જહાજોમાંનું એક છે. આ યુદ્ધ જહાજ રિમોટ સેન્સિંગ સાધનો, આધુનિક રડાર અને શસ્ત્ર પ્રણાલી જેવી કે સરફેસ ટુ સરફેસ મિસાઈલ અને સરફેસ ટુ એર મિસાઈલથી સજ્જ છે.

આ યુદ્ધ જહાજની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7,400 ટન છે. આ યુદ્ધ જહાજમાં ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇન છે, જેની મદદથી આ યુદ્ધ જહાજ 30 નોટથી વધુની ઝડપે દોડી શકે છે.

યુદ્ધ જહાજ રિમોટ સેન્સિંગ સાધનો, આધુનિક રડાર અને હવામાં પ્રહાર કરનારી મિસાઈલો, રોકેટ લોન્ચર અને ટોર્પિડો જેવા હથિયારોથી સજ્જ છે. જેના કારણે દુશ્મન દેશના જહાજ હંમેશા ડરેલા રહેશે.

આ યુદ્ધજહાજમાં લગાવવામાં આવેલી મિસાઈલ 70 કિમીના અંતરથી આકાશમાં ઉડતા એરક્રાફ્ટને અને 300 કિમીના અંતરથી જમીન કે સમુદ્ર પરના લક્ષ્યાંકને મારવામાં સક્ષમ છે.

આધુનિક રડારની મદદથી નેવીના હેલિકોપ્ટર અત્યંત ખરાબ હવામાનમાં પણ આ યુદ્ધ જહાજ પર ઉતરાણ કરી શકશે. INS મોર્મુગાઓ 127 mm ગનથી સજ્જ છે. તેમાં AK-630 એન્ટી મિસાઈલ ગન સિસ્ટમ પણ છે.

આ યુદ્ધ જહાજને પ્રોજેક્ટ 15B હેઠળ બનાવવામાં આવ્યુ છે. આ પ્રોજેક્ટમાં ચાર વિનાશક યુદ્ધ જહાજ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ INS વિશાખાપટ્ટનમને ગયા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. બાકીના બે યુદ્ધ જહાજો (આઈએનએસ ઈમ્ફાલ અને આઈએનએસ સુરત)નું નિર્માણ કાર્ય પણ મઝગાંવ ડોકયાર્ડ ખાતે ઝડપથી ચાલી રહ્યું છે.

આ સ્વદેશી યુદ્ધ જહાજ પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ દરમિયાન પણ બચાવ કરવામાં સક્ષમ છે. તેની સૌથી મહત્વની બાબત એ છે કે તેનું બહારનું પડ ખાસ સ્ટીલનું બનેલું છે, જેથી દુશ્મન તેને રડાર પર શોધી ન શકે.

આ પહેલા પ્રોજેક્ટ 15A હેઠળ આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ ચેન્નૈ અસિતત્વમાં આવ્યા હતા. પ્રોજેક્ટ 15Aની ખાસ વાત એ છે કે તે રુસી સિસ્ટમને સ્વદેશી સિસ્ટમમાં બદલી રહી છે.

પ્રોજેક્ટ 15B હેઠળ ભારત વર્લ્ડ ક્લાસ મિસાઈલ ડિસ્ટ્રોયર્સ તૈયાર કરશે. જે અમેરિકા અને યૂરોપના યુદ્ધ સાધનનો પણ ટક્કર આપશે.