ગૌતમ અદાણીએ આ કંપનીમાંથી આપ્યું ‘રાજીનામું’ , ‘કેજરીવાલ’ની ડિરેક્ટર પદે કરાઇ ‘નિમણૂક’
ભારતના ખ્યાતનામ બિઝનેસમેન ગૌતમ અદાણીએ 'અદાણી ગ્રુપ'ની સૌથી મોટી કંપનીઓમાંની એક કંપનીમાંથી રાજીનામું આપ્યું છે. આ સમાચાર બહાર આવતા જ કંપનીનો શેર પણ નીચે ગગળ્યો. તો ચાલો જાણીએ કે, રાજીનામું આપવાનું કારણ શું છે...

ગૌતમ અદાણીએ 'અદાણી ગ્રુપ'ની સૌથી મોટી કંપનીઓમાંની એક 'અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ' છોડી દીધી છે. ખાસ વાત એ છે કે, હવે તેમને કંપનીમાં બીજું પદ આપવામાં આવ્યું છે. જો કે, આ પદ તેમના પહેલાના પદ જેટલું ખાસ નથી.

APSEZ એ સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે, નોમિનેશન અને મહેનતાણું સમિતિની ભલામણના આધારે ડિરેક્ટર બોર્ડે ગૌતમ અદાણીને 'એક્ઝિક્યુટિવ ચેરમેન'થી 'નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન' તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે.

આ ફેરફાર 5 ઓગસ્ટથી અમલમાં આવ્યો અને પરિણામે અદાણી હવે કંપનીના 'મુખ્ય મેનેજરિયલ કર્મચારી' રહેશે નહીં. કંપનીએ 5 ઓગસ્ટથી ત્રણ વર્ષના પ્રારંભિક સમયગાળા માટે મનીષ કેજરીવાલને કંપનીના ડિરેક્ટર (નોન-એક્ઝિક્યુટિવ, સ્વતંત્ર) તરીકે નિયુક્ત કર્યા છે.

આ માટે ત્રણ મહિનાની અંદર શેરધારકોની મંજૂરીની જરૂર પડશે. APSEZ વૈશ્વિક સ્તરે અદાણી ગ્રુપનો ભાગ છે. તે દેશના 15 બંદરો અને ભારતની બહાર ચાર બંદરોમાં હાજરી ધરાવે છે.

અગાઉ ચાલુ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 6.54 ટકા વધીને રૂ. 3,310.60 કરોડ થયો હતો. ગયા નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ (એપ્રિલ-જૂન) ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 3,107.23 કરોડ હતો.

APSEZ એ શેરબજારને માહિતી આપી હતી કે, સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેની કુલ આવક રૂ. 9,422.18 કરોડ થઈ છે જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં રૂ. 8,054.18 કરોડ હતી. કંપનીનો ખર્ચ પણ વાર્ષિક ધોરણે રૂ. 4,238.94 કરોડથી વધીને રૂ. 5,731.88 કરોડ થયો છે.

જો કે, મંગળવારે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈના ડેટા અનુસાર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના શેર મંગળવારે 2.38 ટકાના ઘટાડા સાથે 1357.55 રૂપિયા પર બંધ થયા હતા.

ટ્રેડિંગ સત્ર દરમિયાન, કંપનીનો શેર પણ દિવસના નીચા સ્તરે એટલે કે 1345.55 રૂપિયા પર પહોંચી ગયો હતો. જણાવી દઈએ કે, કંપનીનો શેર 1390.45 રૂપિયાથી શરૂ થયો હતો. એક દિવસ પહેલા કંપનીનો શેર 1390.60 રૂપિયા પર બંધ થયો હતો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
