Ujjain Train : ગાંધીનગર-અમદાવાદથી ઉજ્જૈન જવા માટે આ ટ્રેનમાં કરો સફર, અઠવાડિયાના સાતે સાત વારે ટ્રેન છે ઉપલબ્ધ
ઘણા લોકોને બાર જ્યોર્તિલિંગના દર્શન માટે જવું હોય છે. તેમાં પણ મધ્યપ્રદેશ રાજ્ય આપણા ગુજરાતનું પાડોશી રાજ્ય છે. એટલે ત્યાં ફરવા જવા માટે સરળતા રહે છે. નાની ટ્રિપ કરીને પણ તમે પરત ફરી શકો છો.

ગાંધીનગર કેપિટલ અને ઉજ્જૈન જંક્શન વચ્ચે 16 ટ્રેનો દોડે છે. આજે આપણે તેમાંથી એક ટ્રેન વિશે જોઈશું.

ગાંધીનગર કેપિટલ-ઈન્દોર જંક્શન વચ્ચે જે ટ્રેન ચાલે છે તે ટ્રેન નંબર-19309 છે. આ ટ્રેન ગુજરાતના 11 થી 12 સ્ટેશનોને જોડે છે.

આ ટ્રેનમાં ગાંધીનગરથી ઉજ્જૈનની જનરલ ટિકિટ 165 રુપિયા છે. તેમાં અંદાજે 2 જનરલ કોચ, 8 સ્લીપર કોચ, 5 કોચ 3A AC, 2 કોચ 2A AC ના અને 1 કોચ 1A ACનો સમાવેશ થાય છે. સ્લીપર કોચના અંદાજે 315થી 325 રુપિયા છે.

આ ટ્રેન ગુજરાતના ગાંધીનગર, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ, મહેમદાવાદ, ખેડા રોડ, નડિયાદ જંક્શન, આણંદ જંક્શન, છાયાપુરી(વડોદરા), ગોધરા, લિમખેડા, દાહોદ જેવા સ્ટેશનો આવરે છે.

આ ટ્રેન અઠવાડિયાના દરેક વારે સફર કરાવે છે. ગાંધીનગરથી તેનો સમય 18:00 વાગ્યાનો છે અને બીજા દિવસે ઉજ્જૈન 03:50 વાગ્યે પહોંચાડે છે અને ઈન્દોર 05:55 વાગ્યે પહોંચાડે છે. (નોંધ-ટ્રેનનો સમય પરિસ્થિતિ અનુસાર આગળ-પાછળ થઈ શકે છે. તો એક વાર કન્ફર્મ કરી લેવા વિનંતી.)
