Can we reheat roti : શું રોટલી ફરીથી ગરમ કરીને ખાવી જોઈએ? જાણો શું કહે છે આયુર્વેદ
ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવા-પીવાની આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. જ્યારે કેટલાક લોકો રોટલીને બીજી વાર ગરમ કરીને ખાવી જોઈએ કે નહીં તે અંગે જાણીશું.

ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાવાની આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં, ચયાપચય ધીમો પડી જાય છે, જેના કારણે તમારે આ ઋતુમાં ખૂબ જ સ્વસ્થ અને સરળ વસ્તુઓ ખાવી જોઈએ.

જો કોઈ પણ વ્યક્તિ હેલ્ધી વસ્તુ યોગ્ય રીતે ન ખાઓ તો પણ નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તમે રાતની બચેલી વાસી રોટલી ખાઓ છો અથવા તેને ફરીથી ગરમ કરીને કંઈક ખાઓ છો તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે નહીં તે જાણીશું.

રોટલી ભારતીય ખોરાક થાળીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મોટાભાગના લોકો દિવસમાં ત્રણ વખત રોટલી ખાવાનું પસંદ કરે છે. હવે, એક સમયે અનેક ગણી વધુ રોટલી બને છે, આવી સ્થિતિમાં લોકો તેને ફરીથી ગરમ કરીને ખાય છે.

તાજેતરમાં એક ન્યુટ્રિશનિસ્ટ જણાવ્યા અનુસાર ખોરાકને ગરમ કરીને ખાવાની આદત સ્વાસ્થ્ય માટે સારી નથી. જ્યારે રોટલીને ફરીથી ગરમ કરવામાં આવે છે, ત્યારે તે સૂકી અને કઠણ થઈ જાય છે.

રોટલીને બીજી વખત ગરમ કરીને ખાવાથી પાચન યોગ્ય રીતે થતુ નથી. જેથી ગેસ, પેટ ફૂલવાની સમસ્યાઓનું કારણ બની જાય છે.

તાજી બનાવેલી રોટલીમાં હાજર ભેજ અને પોષણ વારંવાર ગરમ કરવાથી ઓછું થઈ જાય છે. તેથી, રોટલીને ફરીથી ગરમ કરીને ન ખાવી જોઈએ.(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
