Helth tips : મોંઘા ડ્રાયફ્રુટથી પણ વધારે તાકતવર છે મગફળી, જાણો પલાળેલી મગફળી ખાવાના ફાયદા
મગફળી (માંડવી) ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ હૃદય અને પાચનશક્તિ સુધારવા માટે પલાળેલી મગફળીનું સેવન કરો. રોજ એક મુઠ્ઠી પલાળેલી મગફળી ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે.

આમ તો મગફળી બારે માસ મળે છે, ચોમાસામાં લોકો લીલી મગફળીનું ભરપુર માત્રામાં સેવન કરતા હોય છે. શિયાળામાં બજારમાં મગફળી સરળતાથી મળી રહે છે. ભારતીય ફુડમાં મગફળીનો ઉપયોગ વધુ થાય છે. સ્વાસ્થ માટે પણ મગફળી ખુબ સારી માનવામાં આવે છે.

મગફળીનું કોઈ ગોળ સાથે સેવન કરે, કે પછી ચેવડો, અથવા તો વાનગીઓમાં પણ મગફળીનો ઉપયોગ થવા લાગ્યો છે. જે લોકો વ્રત રહે છે. તે લોકો પણ ફરાળમાં મગફળી ખાવાનું પસંદ કરે છે.

મગફળીને સ્વાસ્થ માટે પોષક તત્વોનું પાવર હાઉસ માનવામાં આવે છે. મગફળીમાં એક એવું પોષક તત્વ હોય છે. જે તમારા સ્વાસ્થને સારું અને હેલ્ધી રાખે છે. મગફળી (માંડવી)માં વિટામિન ઈ,પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, વિટામિન બી,મેગ્નેશિયમ, ફોસ્ફોરસ જેવા પોષક તત્વો હોય છે

મગફળી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે મગફળીને તમારા ડાયટમાં પણ સામેલ કરી શકો છો.મોટાભાગના લોકો પલાળેલી મગફળી ખાવાનું પસંદ કરે છે.પલાળેલી મગફળી ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. આનાથી કબજિયાત અને પાચનની સમસ્યામાં રાહત મળે છે.

પલાળેલી મગફળી ખાવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. પલાળેલી મગફળી ખાવાથી કબજીયાત અને ગેસની સમસ્યામાંથી પણ રાહત મળે છે. મગફળીનું સેવન કરવાથી અનેક બિમારીઓનો ખતરો ઓછો રહે છે. મગફળી શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે.

એટલા માટે લોકો શિયાળામાં વધુ માત્રામાં મગફળીનું સેવન કરતા હોય છે. મગફળી ખાવાથી આખા શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. મગફળીમાં એન્ટીઑકિસડન્ટ રેઝવેરાટ્રોલ પણ જોવા મળે છે,

મગફળીને ગરીબોની બદામ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, માત્ર બદામમાં જ વધુ તાકાત હોતી નથી,મગફળીને બદામથી પણ વધુ તાકતવર માનવામાં આવે છે. તમે સવારે બ્રેડ સાથે પીનર બટરનું પણ સેવન કરી શકો છો.
હેલ્થ વિશે વધુ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો
