Women’s health : સ્ત્રીઓ માટે નિયમિત પેલ્વિક તપાસ કરાવવી શા માટે મહત્વપૂર્ણ છે? તમારા ડૉક્ટર પાસેથી શીખો
મહિલાઓને ઘણીવાર નિયમિત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તેથી, પેલ્વિકની તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે, પણ શા માટે? ડૉક્ટર પાસેથી જાણો.

ભાગદૌડ ભરેલી લાઈફસ્ટાઈલના કારણે હંમેશા મહિલાઓના પીરિયડ્સ અનિયમિત થવા, શરીરના હોર્મોનમાં ફેરફાર અને સ્વાસ્થ સંબંધી કોઈના કોઈ સમસ્યા પરેશાન રહે છે. ત્યારે સારા સ્વાસ્થ માટે હંમેશામહિલાઓને વિટામિન્સ અને મિનરલ જેવા પોષક તત્વોવાળા લીલા શાકભાજી,ફળ, તેમજ આખા અનાજ અને અન્ય પૌષ્ટિક ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે.

વધુમાં, હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પાણી પીવું, નિયમિત કસરત કરવી, તણાવ ઓછો કરવો, પુષ્કળ ઊંઘ લેવી અને નિયમિત ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે. મહિલાઓએ નિયમિત પેલ્વિકની તપાસ પણ કરાવવી જોઈએ.

પેલ્વિક તપાસમાં મહિલાની વજાઈના, સર્વિક્સ, ગર્ભાશય,ફેલોપિયન ટ્યુબ અને અંડાશય જેવા પ્રજનન અંગોની તપાસ કરવામાં આવે છે. જેનાથી સ્વાસ્થય સંબંધી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

પેલ્વિક તપાસ કરાવવી ખુબ જરુરી છે. જેનાથી કેન્સર, ઈન્ફેક્શન કે પછી ફર્ટિલિટી સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓની સમયસર જાણ થઈ જાય છે. તેમજ સારવાર કરાવવી સરળ રહે છે.

કેટલીક વખત મહિલાઓને પ્રેગ્નન્સીમાં મુશ્કેલીઓ આવે છે. અનિયમિત બ્લીડિંગ થવું તેમજ પેલ્વિક એરિયામાં દુખાવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે ફર્ટિલિટી સાથે જોડાયેલી પરેશાનીઓના કારણે થઈ શકે છે. ત્યારે પેલ્વિક વિસ્તારમાં તપાસ કરાવવાથી આ સમસ્યાઓથી સમય રહેતા બચી શકાય છે.

નિયમિત રુપે પેલ્વિકની તપાસ કરવાથી ઓવેરિયન કેન્સર કે પછી સર્વાઈકલ કેન્સરની સમયથી જાણ થઈ શકે છે. જેનાથી મહિલાઓને આ ગંભીર બીમારીઓથી બચવામાં પણ મદદ મળે છે.

નિયમિત રુપથી પેલ્વિકની તપાસ કરાવવાથી મહિલાઓને યૌન સંચારિત સંક્રમણ, યીસ્ટ ઈન્ફેક્શન, બેક્ટીરિયલ ઈન્ફેક્શન તેમજ અન્ય ઈન્ફેક્શનની સમયસર જાણ થઈ જાય છે. આ કારણે થનારી કોઈ પણ ગંભીર સમસ્યાની સમયસર જાણ થઈ જાય છે.

પેલ્વિક વિસ્તારની તપાસ કરવાથી મહિલાઓમાં યુટેરિયન ફાઈબ્રોઈડ્સ તેમજ ઓવરેયિન સિસ્ટની સમસ્યાની પણ જાણ થઈ જાય છે. જો આવી કોઈ સમસ્યા છે. તો મહિલાઓને સમયસર આ ગંભીર પરિણામથી બચી શકાય છે.

મહિલાઓએ નિયમિત પેલ્વિક તપાસ કરાવવી જોઈએ. આમ કરવાથી કેન્સર, ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ, અંડાશયના કોથળીઓ, કોઈપણ ઈન્ફેકશન અને પ્રજનન સમસ્યાઓનું વહેલું નિદાન કરવામાં મદદ મળી શકે છે,જો તમને કોઈ ગંભીર સમસ્યાઓનો અનુભવ થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
