AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Group : અનિલ અંબાણીની વધી મુશ્કેલી, EDએ ફરી જપ્ત કરી કરોડોની પ્રોપર્ટી

અનિલ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ સામે મની લોન્ડરિંગ અને બેંક છેતરપિંડીની ED તપાસ તીવ્ર બની છે. EDએ ₹1,120 કરોડથી વધુની 18 મિલકતો, ફિક્સ્ડ ડિપોઝિટ અને રોકાણો કામચલાઉ જપ્ત કર્યા છે.

Reliance Group : અનિલ અંબાણીની વધી મુશ્કેલી, EDએ ફરી જપ્ત કરી કરોડોની પ્રોપર્ટી
| Updated on: Dec 05, 2025 | 3:02 PM
Share

અનિલ અંબાણી અને તેમના ગ્રુપ સામે મની લોન્ડરિંગ અને બેંક છેતરપિંડીની તપાસ વધુ તીવ્ર બની રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ કેસમાં મોટું પગલું ભરતા ₹1,120 કરોડથી વધુની 18 કરતાં વધુ મિલકતો, ફિક્સ્ડ ડિપોઝિટ, બેંક બેલેન્સ, શેરહોલ્ડિંગ અને અનકોટેડ રોકાણોને કામચલાઉ જપ્ત કરી છે. આ કાર્યવાહી યસ બેંક, RHFL અને RCFL સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યવહારોના આધાર પર કરવામાં આવી છે.

કઈ કંપનીઓની મિલકતો જપ્ત થઈ?

EDની કાર્યવાહી હેઠળ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપની અનેક કંપનીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે, જેમાં સમાવેશ થાય છે:

  • રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ – 7 મિલકતો
  • રિલાયન્સ પાવર લિમિટેડ – 2 મિલકતો
  • રિલાયન્સ વેલ્યુ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ – 9 મિલકતો
  • તેમજ વિવિધ ગ્રુપ કંપનીઓના ફિક્સ્ડ ડિપોઝિટ અને અનકોટેડ રોકાણો

આ રીતે ED દ્વારા કરવામાં આવેલી કુલ જપ્તી ₹1,120 કરોડ સુધી પહોંચી છે.

અગાઉની કાર્યવાહી, કુલ જપ્ત કરેલી મિલકની વિગત

આ તાજેતરની કાર્યવાહી પહેલાં પણ EDએ RCOM, RCFL અને RHFL સહિતની કંપનીઓ સામેની તપાસમાં ₹8,997 કરોડની મિલકતો જપ્ત કરી હતી. નવી કાર્યવાહી સાથે કુલ સંપત્તિ એટેચમેન્ટ ₹10,117 કરોડ સુધી પહોંચી છે. EDનું કહેવું છે કે રિલાયન્સ ગ્રુપની અનેક કંપનીઓએ જાહેર ભંડોળનો દુરુપયોગ અને છેતરપિંડીપૂર્વક ઉપયોગ કર્યો છે.

આખરે આખો મામલો શું છે?

2017 થી 2019 દરમિયાન યસ બેંકે RHFL માં ₹2,965 કરોડ અને RCFL માં ₹2,045 કરોડનું રોકાણ કર્યું હતું. પરંતુ ડિસેમ્બર 2019 સુધી આ રોકાણો NPA (બિન-કાર્યકારી સંપત્તિ) બની ગયા. ત્યારબાદ RHFL પર ₹1,353.50 કરોડ અને RCFL પર ₹1,984 કરોડ બાકી રહ્યા.

EDની તપાસમાં ખુલ્યું છે કે RHFL અને RCFLને જાહેર ભંડોળમાં ₹11,000 કરોડથી વધુ પ્રાપ્ત થયા હતા, અને આ રકમને ચક્રીય માર્ગ દ્વારા અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓ સુધી પહોંચાડવામાં આવી હતી. SEBIના નિયમોનું ઉલ્લંઘન ટાળવા માટે મ્યુચ્યુઅલ ફંડ મારફતે પરોક્ષ રોકાણો કરવામાં આવ્યા હતા.

કેવા છે ગંભીર આરોપો?

ED અનુસાર તપાસમાં નીચેના મુખ્ય ગેરરીતિઓ બહાર આવી છે:

  • એક કંપનીએ એક બેંકમાંથી લોન લઈ તે રકમ બીજી કંપનીના બેંક લોન ચૂકવવામાં વાપરી
  • રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા ₹13,600 કરોડની રકમ એવરગ્રીનિંગ માટે વાપરાઈ
  • ₹12,600 કરોડથી વધુ રકમ જોડાયેલ પક્ષોને ટ્રાન્સફર
  • ₹1,800 કરોડથી વધુ ફિક્સ્ડ ડિપોઝિટ અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
  • બિલ ડિસ્કાઉન્ટિંગનો વ્યાપક દુરુપયોગ

EDની તપાસ અનુસાર, લોન રકમનો વપરાશ લોન મંજૂરી દસ્તાવેજોની શરતોના ઉલ્લંઘન સાથે કરવામાં આવ્યો હતો.

CBI દ્વારા દાખલ FIRના આધાર પર આ તપાસ ચાલુ છે. નવ બેંકોએ અનિલ અંબાણી ગ્રુપની લોન ખાતાઓને છેતરપિંડી ખાતા તરીકે જાહેર કર્યા છે અને ₹40,185 કરોડ હજુ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. EDની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે અનિલ અંબાણી ગ્રુપ પર તપાસની પકડ હવે વધુ કડક બનતી જઈ રહી છે.

કામની વાત : EPFO તરફથી તમને કેટલું પેન્શન મળશે ? એક ક્લિકે જાણી લો આખી ગણતરી અને ફોર્મ્યુલા

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">