AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: જો વિરાટ કોહલીએ સદી ન ફટકારી હોત, તો લાખોનું નુકસાન થયું હોત! ચોંકાવનારો ખુલાસો

ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે વિશાખાપટ્ટનમમાં વનડે શ્રેણીની અંતિમ મેચ રમશે. વિરાટ કોહલીના શાનદાર ફોર્મને કારણે આ મેચ માટે સ્ટેડિયમ ભરાઈ જવાની અપેક્ષા છે. તે બે મેચમાં બે સદી ફટકારી ચૂક્યો છે. અને આ સદી બાદ વિશાખાપટ્ટનમ મેચની ટિકિટો ધડાધડ વેચાઈ ગઈ.

Virat Kohli: જો વિરાટ કોહલીએ સદી ન ફટકારી હોત, તો લાખોનું નુકસાન થયું હોત! ચોંકાવનારો ખુલાસો
Virat KohliImage Credit source: PTI
| Updated on: Dec 05, 2025 | 3:42 PM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણી રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે. 1-1 થી બરાબર રહેલી શ્રેણીની અંતિમ મેચ 6 ડિસેમ્બર, 2025 ના રોજ વિશાખાપટ્ટનમના ડૉ .વાય એસ રાજશેખર રેડ્ડી ACA- VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહેવાની અપેક્ષા છે. આ મેચમાં સૌના આકર્ષણનું કેન્દ્ર ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી છે. આ કંઈ નવું નથી. કોહલીનો કરિશ્મા હંમેશા સ્ટેડિયમ ભરવાની ચાવી રહ્યો છે. પરંતુ આ વખતે, તેણે આંધ્ર ક્રિકેટ એસોસિએશનને મોટા નુકસાનથી બચાવ્યું છે.

ચાહકોમાં વિરાટ કોહલીનો ક્રેઝ

આ શ્રેણી વિરાટ કોહલી માટે અત્યાર સુધી ખૂબ જ પ્રભાવશાળી રહી છે, તેણે શરૂઆતની બંને મેચમાં સદી ફટકારી છે. આ પ્રદર્શનની વિશાખાપટ્ટનમમાં ટિકિટ વેચાણ પર નોંધપાત્ર અસર પડી છે. એક અહેવાલ મુજબ રાંચીમાં વિરાટની સદી પછી વિશાખાપટ્ટનમ મેચ માટે ટિકિટ વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જે કોહલીના જાદુનો પુરાવો છે. આ સદીને કારણે ફાઇનલ મેચ માટે ટિકિટની માંગ આસમાને પહોંચી ગઈ છે.

રાંચીમાં વિરાટ કોહલીની સદી

હકીકતમાં, આ મેચની પ્રથમ રાઉન્ડની ટિકિટ 28 નવેમ્બરના રોજ વેચાણ માટે શરૂ થઈ હતી, પરંતુ બહુ ઓછી વેચાઈ હતી. ત્યારબાદ 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ 135 રન બનાવ્યા, જેના પરિણામે 1 અને 3 ડિસેમ્બરની ટિકિટ ઓનલાઈન ઉપલબ્ધ થયાની થોડી જ મિનિટોમાં વેચાઈ ગઈ.

વિરાટની સદી બાદ ટિકિટો વેચાઈ

આ મેચની ટિકિટની કિંમત ₹1,200 થી ₹18,000 સુધીની હતી, પરંતુ એક પણ ટિકિટ વેચાયા વગર રહી ન હતી. વિરાટની સદીએ બધું બદલી નાખ્યું અને ચાહકોમાં આ મેચ માટે ઉત્સાહ વધાર્યો. સ્થાનિક ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોહલીના ચાહકોએ રાંચીમાં તેની ઇનિંગ જોતાની સાથે જ ટિકિટ ખરીદવાનું શરૂ કરી દીધું હતું. હવે, ચાહકો તેની પાસેથી બીજી સદીની આશા રાખી રહ્યા છે .

વિશાખાપટ્ટનમમાં વિરાટનો રેકોર્ડ

આ મેદાન વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ રહ્યું છે. તેણે અહીં અત્યાર સુધીમાં સાત વનડે મેચ રમી છે , જેમાં તેણે 97.83 ની સરેરાશથી 587 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. વધુમાં, તેણે વિશાખાપટ્ટનમ ખાતે બે ટેસ્ટ મેચમાં 299 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીની જોરદાર ફટકાબાજી છતાં અર્જુન તેંડુલકરની ટીમ સામે મળી હાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">