AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઓપરેશન સિંદૂર’ને કારણે પાકિસ્તાન ક્રિકેટ ભીખ માંગવા મજબૂર બનશે, ભારતને કારણે થયા 4 મોટા નુકસાન

ભારતના ઓપરેશન સિંદૂરની અસર પાકિસ્તાન ક્રિકેટ પર પણ પડી છે. બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કરોડો રૂપિયાનું નુકસાન થવાનું છે. પાકિસ્તાન ક્રિકેટ લીગ પર પણ એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

| Updated on: May 09, 2025 | 5:01 PM
ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી, પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવ્યા અને મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો, જેને ભારતના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા. આવી સ્થિતિમાં, બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેની અસર પાકિસ્તાન ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. હવે પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે.

ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ પછી, પાકિસ્તાને ભારતના ઘણા શહેરોને નિશાન બનાવ્યા અને મિસાઈલો અને ડ્રોનથી હુમલો કર્યો, જેને ભારતના એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા. આવી સ્થિતિમાં, બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેની અસર પાકિસ્તાન ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. હવે પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડશે.

1 / 5
ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLની બાકીની 10 મેચો દુબઈમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં, તેના પાકિસ્તાન માટે ઘણા નકારાત્મક પરિણામો આવી શકે છે અને બધી ટીમોને પણ નુકસાનનો સામનો કરવો પડશે. દુબઈમાં સ્ટેડિયમનું ભાડું, હવાઈ મુસાફરી અને મોંઘી હોટલ જેવા ખર્ચ ફ્રેન્ચાઈઝીઓની કમાણી પર અસર કરશે.

ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે PSLની બાકીની 10 મેચો દુબઈમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં, તેના પાકિસ્તાન માટે ઘણા નકારાત્મક પરિણામો આવી શકે છે અને બધી ટીમોને પણ નુકસાનનો સામનો કરવો પડશે. દુબઈમાં સ્ટેડિયમનું ભાડું, હવાઈ મુસાફરી અને મોંઘી હોટલ જેવા ખર્ચ ફ્રેન્ચાઈઝીઓની કમાણી પર અસર કરશે.

2 / 5
PSLની શરૂઆત 2016માં UAEમાં થઈ હતી, કારણ કે તે સમયે સુરક્ષા ચિંતાઓને કારણે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન શક્ય નહોતું. તે પછી ક્રિકેટ ધીમે ધીમે પાકિસ્તાનમાં પાછું ફર્યું. પરંતુ હવે ફરી એકવાર PSL પાકિસ્તાનની બહાર થઈ ગયું છે. જેના કારણે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ટીમોમાં પાકિસ્તાનમાં રમવા અંગે ફરીથી શંકાઓ ઉભી થઈ શકે છે, જે દેશના ક્રિકેટ માટે હાનિકારક રહેશે.

PSLની શરૂઆત 2016માં UAEમાં થઈ હતી, કારણ કે તે સમયે સુરક્ષા ચિંતાઓને કારણે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન શક્ય નહોતું. તે પછી ક્રિકેટ ધીમે ધીમે પાકિસ્તાનમાં પાછું ફર્યું. પરંતુ હવે ફરી એકવાર PSL પાકિસ્તાનની બહાર થઈ ગયું છે. જેના કારણે, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ટીમોમાં પાકિસ્તાનમાં રમવા અંગે ફરીથી શંકાઓ ઉભી થઈ શકે છે, જે દેશના ક્રિકેટ માટે હાનિકારક રહેશે.

3 / 5
ભારતના ડ્રોન હુમલા બાદ રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયું હતું. જેના કારણે 8 મેના રોજ કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા આ સ્ટેડિયમનું રિનોવેશન કરાવ્યું હતું, જેનો ખર્ચ આશરે 400 કરોડ રૂપિયા થયો હતો.

ભારતના ડ્રોન હુમલા બાદ રાવલપિંડી સ્ટેડિયમને પણ ભારે નુકસાન થયું હતું. જેના કારણે 8 મેના રોજ કરાચી કિંગ્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચેની મેચ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા આ સ્ટેડિયમનું રિનોવેશન કરાવ્યું હતું, જેનો ખર્ચ આશરે 400 કરોડ રૂપિયા થયો હતો.

4 / 5
ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ શ્રેણી રમાતી નથી. બંને દેશો ફક્ત ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે બંને ટીમો વચ્ચે કોઈ પણ મેચ યોજવી લગભગ અશક્ય છે. પહેલગામ હુમલા પછી BCCIએ ICC ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન સાથે એક ગ્રુપમાં ન રાખવા ICCને માંગ કરી છે. જો આવું થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 220 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. (All Photo Credit : PTI / X)

ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ ક્રિકેટ શ્રેણી રમાતી નથી. બંને દેશો ફક્ત ICC ઈવેન્ટ્સ અથવા એશિયા કપમાં જ એકબીજાનો સામનો કરે છે. પરંતુ હવે બંને ટીમો વચ્ચે કોઈ પણ મેચ યોજવી લગભગ અશક્ય છે. પહેલગામ હુમલા પછી BCCIએ ICC ટુર્નામેન્ટમાં ભારતને પાકિસ્તાન સાથે એક ગ્રુપમાં ન રાખવા ICCને માંગ કરી છે. જો આવું થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 220 કરોડ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. (All Photo Credit : PTI / X)

5 / 5

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, એવામાં પાકિસ્તાન ક્રિકેટ લીગની મેચોને UAEમાં ખસેડવામાં આવી છે, જેનાથી પાકિસ્તાન ક્રિકેટને નુકસાન થશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
g clip-path="url(#clip0_868_265)">