IPL 2025 : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રમાનારી મેચ પ્લેઓફમાં પહોંચવા માટે મહત્વની
આઈપીએલ 2025માં 2 મેના રોજ શુભમન ગિલની કેપ્ટનશીપ વાળી ગુજરાત ટાઈટન્સ અને પેટ કમિન્સની આગેવાની વાળી સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. આજની મેચ ખુબ મહત્વપૂર્ણ છે.

આઈપીએલ 2025 શાનદાર અંદાજમાં રમાય રહી છે. ચાહકોને દરરોજ રોમાંચક મેચ જોવા મળે છે. 9 ટીમ પ્લેઓફમાં જવા માટે મહેનત કરી રહી છે. 2 મેના રોજ આઈપીએલ 2025માં ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને ટીમ આ મેચ ખુબ ખાસ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે અત્યારસુધી સીઝનમાં કુલ 9 મેચ રમી છે. જેમાં માત્ર 3 મેચમાં જીત મેળવી છે અને 6 મેચમાં હાર મેળવી છે. તેના હજુ 6 અંક છે. હજુ પ્લેઓફમાં પહોંચવા માટે તેમણે બાકીની તમામ મેચ જીતવી પડશે.

ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યારસુધી આઈપીએલમાં કુલ 5 મેચ રમાઈ છે. જેમાંથી 3માં ગુજરાતે જીત મેળવી છે અને એક મેચમાં હૈદરાબાદની ટીમે બાજી મારી છે. એક મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. જો આંકડા જોઈએ તો ગુજરાતની ટીમનું પલડું ભારે છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેન માટે મદદગાર રહી છે. અહી રનનો વરસાદ થઈ શકે છે.આ મેદાન પર અત્યારસુધી કુલ 39 મેચ રમાઈ રહી છે.

આ મેદાન પર પહેલા બેટિંગ કરનારી ટીમે 18 મેચ જીતી છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતી ટીમે 21 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, ટોસની ભૂમિકા મહત્વપૂર્ણ બની શકે છે.ગુજરાત ટાઈટન્સના બોલર અને બેટ્સમેન સારું પ્રદર્શન કરી રહ્યા છે.

ટીમ માટે સાંઈ સુદર્શન અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી રહ્યા છે.બીજી બાજુ ઈશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજ ગુજરાત ટાઈટન્સની બોલિંગ આક્રમણમાં મહત્વની ભૂમિકા છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































