Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

અમદાવાદમાં મોટેરા સ્થિત આવેલુ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમએ વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. 1 લાખ 32 હજાર પ્રેક્ષકોના બેસવાની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમની માલિકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનની છે. આઈપીએલની ફાઈનલ મેચ અને વર્લ્ડ કપની ફાઈનલ મેચનું સાક્ષી પણ આ સ્ટેડિયમ બન્યુ છે. મોટેરામાં આવેલુ હોવાથી પહેલા આ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમથી જાણીતુ હતુ. જો કે વર્ષ 2015માં સ્ટેડિયમ બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારૂબાદ તેને સંપૂર્ણપણે તોડીને તદ્દન નવુ જ અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ અને ફેબ્રુઆરી 2020માં 800 કરોડના ખર્ચે નવુ બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યુ હતુ.

24 ફેબ્રુઆરી 2021ના રોજ આ સ્ટેડિયમનું નામકરણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ. આ સ્ટેડિયમમાં સૌપ્રથમવાર પિંક બોલનો ઉપયોગ 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં થયો હતો.

Read More

Olympics 2036 : આસારામ આશ્રમમાં ઓલિમ્પિક ઈવેન્ટ યોજાશે ! જાણો શું છે ગુજરાત સરકારની યોજના

ઓલિમ્પિક 2036ની તૈયારીઓ માટે મોટેરામાં 3 આશ્રમની જમીન સંપાદિત કરવામાં આવશે. જેમાં આસારામના આશ્રમનો પણ સમાવેશ થાય છે. આ આશ્રમોને સરકાર દ્વારા વૈકલ્પિક જગ્યાઓ અથવા વળતર આપવામાં આવશે. રહેણાંક વિસ્તારોનો પણ માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ત્યાં રહેતા લોકોનું સ્થળાતંર પણ કરવામાં આવશે.

GT vs PBKS : શ્રેયસ અય્યરે ટીમ માટે પોતાની સદીનું બલિદાન આપ્યું, 97 રન બનાવીને અણનમ રહ્યો

શ્રેયસ અય્યરે ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર બેટિંગ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. પંજાબ કિંગ્સ માટે પહેલી જ મેચમાં શ્રેયસ અય્યરે છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 27 બોલમાં અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ શ્રેયસ અય્યર 97 રન બનાવીને અણનમ રહ્યો અને પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં.

IPL 2025 in Ahmedabad : IPLની 7 મેચો દરમિયાન કેટલાક રસ્તા પર વાહનો માટે પ્રતિબંધ ? જાણી લો વૈકલ્પિક રૂટ

IPL 2025 માટે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં 7 મેચ યોજાશે. ટ્રાફિકને સુચારુ રાખવા માટે, મેચ દિવસોમાં કેટલાક માર્ગો બંધ રહેશે. ટ્રાફિક વિભાગે વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે

IPL 2025 : GTના ચાહકો માટે ગુડન્યુઝ, Gujarat Titans vs Mumbai Indians મેચની ટિકિટ આજે ઓનલાઈન બુક કરી શકશો

IPL 2025 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, 29 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મુંબઈ અને ગુજરાતની મેચ માટેની ટિકિટ આજે બપોરના 2 કલાકથી ઓનલાઈન બુક કરી શકશો.

Champions trophy 2025 : રાહુલે છેલ્લો બોલ રમી અમદાવાદનો હિસાબ દુબઈમાં બરાબર કર્યો, જુઓ ફોટો

ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવીને સતત ત્રીજી ICC ટુર્નામેન્ટના ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ટીમે અમદાવાદનો બદલો પણ પૂર્ણ કર્યો છે.

Ranji Trophy Semi Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરતી લાલા અરઝાન નાગવાસવાલા બોલાવી રહ્યો છે ધમાલ

રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં મુંબઈની ટીમ વિદર્ભ સામે ટકરાઈ રહી છે જ્યારે બીજી સેમિફાઇનલ કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહી છે. આ બે મેચના વિજેતાઓ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ રમાશે.

Ranji Trophy Semi Final : રણજી ટ્રોફીમાં અમદાવાદના ખેલાડીએ ધમાલ મચાવી, પ્રિયાંક પંચાલે ફટકારી સદી

ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહેલી સેમિફાઈનલ મેચમાં ગુજરાતના બેટસમેને સદી ફટકારી છે. અમદાવાદના આ બેટ્સમેને સદી ફટકારી ટીમ માટે મજબુત સ્થિતિ બનાવી છે. આ સાથે તેમણે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે પણ પોતાની દાવેદારી રજુ કરી છે.

IPL 2025 GT Schedule : ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ 25 માર્ચે પંજાબ કિંગ્સ સાથે થશે, જાણો GTનો આખું શેડ્યૂલ

IPl 2025 Gujarat Titans Schedule Gujarati : ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2025માં પોતાની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમશે. તો ચાલો આજે આપણે ગુજરાત ટાઈટન્સની ટીમનું આઈપીએલ 2025નું શેડ્યુલ જોઈએ.

IND vs ENG : વિરાટ કોહલી પેવેલિયનમાં નિરાશ દેખાયો, કેપ્ટન રોહિતે આ રીતે વધાર્યું પોતાનું મનોબળ

ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી મેચ 142 રનથી જીતી છે. આ સાથે ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કરવામાં પણ સફળ રહી હતી. અમદાવાદમાં રમાયેલી છેલ્લી મેચમાં વિરાટ કોહલી 52 રનની ઈનિગ્સ રમી હતી. પરંતુ તે આઉટ થયા બાદ પેવેલિયનમાં નિરાશ જોવા મળ્યો હતો.

IND vs ENG : ધોની-વિરાટ નહીં, રોહિત શર્મા બન્યો ભારતનો નંબર-1 કેપ્ટન, ODI શ્રેણીમાં તૂટ્યા 5 રેકોર્ડ

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં ઈંગ્લેન્ડને 142 રનથી હરાવી વનડે શ્રેણી 3-0થી જીતી લીધી. નાગપુર, કટક પછી ભારતે અમદાવાદમાં પણ એકતરફી વિજય મેળવ્યો હતો. આ સિરીઝ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા અને તૂટ્યા. રોહિત શર્માએ કેપ્ટન તરીકે એક મોટો રેકોર્ડ તોડ્યો અને ધોની અને વિરાટથી આગળ નીકળી ગયો. ચાલો તમને જણાવીએ કે અમદાવાદ વનડે પછી કયા પાંચ મોટા રેકોર્ડ તૂટ્યા.

IND vs ENG : અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ભારતે 14 વર્ષ પછી ઈંગ્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ

ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદ વનડેમાં મોટી જીત નોંધાવીને વનડે શ્રેણી 3-0થી જીતી લીધી. 14 વર્ષ પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડને વનડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. અમદાવાદ વનડેમાં જીતનો હીરો શુભમન ગિલ હતો, જેણે 112 રનની ઇનિંગ રમી હતી.

IND vs ENG : આ ઈંગ્લિશ સ્પિનર સામે કોહલીએ ફરી શરણાગતિ સ્વીકારી, 11મી વખત થયો આઉટ

કટક પછી આદિલ રશીદે અમદાવાદ વનડેમાં પણ વિરાટ કોહલીની વિકેટ લીધી અને આ સાથે તેણે એક ખાસ રેકોર્ડની બરાબરી પણ કરી. આદિલ હવે કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કરનાર સંયુક્ત ત્રીજો બોલર બની ગયો છે.

IND vs ENG : ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં શ્રેયસ અય્યરે 175 રન ફટકારી ટીકાકારોને ચૂપ કરી દીધા

અમદાવાદ સામેની ત્રીજી વનડેમાં શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદી ફટકારી. તેણે પોતાના બેટથી 64 બોલમાં 78 રન બનાવ્યા. અય્યરે ODI શ્રેણીમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ટીકાકારોને ચૂપ કરી દીધા છે અને હવે રોહિત અને ગંભીરની જોડી પણ કદાચ ચૂપ રહેશે.

IND vs ENG : કોહલીએ સચિનનો મહારેકોર્ડ તોડ્યો, પહેલીવાર કોઈ ભારતીય ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે મેળવી આ સિદ્ધિ

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ અમદાવાદમાં ફુલ ફોર્મમાં હતું. તેણે ઇંગ્લેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડ્યો. જ્યારે તે ઈંગ્લેન્ડ સામે ખાસ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બની ગયો છે.

IND vs ENG : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલે ફટકારી દમદાર સદી, તોડ્યા મોટા રેકોર્ડ

ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શુભમન ગિલે સતત બે અડધી સદી ફટકાર્યા બાદ હવે અમદાવાદમાં સદી ફટકારી છે. આ તેની વનડે કારકિર્દીની સાતમી સદી છે. તેણે 507 દિવસ પછી આ ફોર્મેટમાં સદી ફટકારી છે.

g clip-path="url(#clip0_868_265)">