IPL 2024 : અમદાવાદમાં મેચને લઈ કરવામાં આવી છે ખાસ વ્યવસ્થા, જાણો શું છે મેનેજમેન્ટની તૈયારી?
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મંગળ અને બુધવારે બેક ટુ બેક મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ BCCI, GCA અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રેક્ષકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદ IPL 2024 ની ક્વોલિફાયર 1 અને એલિમિનેટર 1 એમ બે મેચો બે દિવસોમાં રમાશે અને આ બંને મેચમાં સ્ટેડિયમ હાઉસફુલ રહેશે. એટલે કે 1 લાખથી વધુ દર્શકો સ્ટેડિયમમાં મેચ નિહાળશે.

આટલા બધા દર્શકો માટે સ્ટેડિયમ સુધી પહોંચવા માટે મેટ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય દિવસો કરતા વધુ મેટ્રો ચાલશે અને દર્શકોને સ્ટેડિયમની નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચાડશે.

સ્ટેડિયમમાં દર્શકોની ભીડને કંટ્રોલ કરવા મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. જેમાં દર્શકોની ચેકિંગથી લઈ તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

અમદાવાદમાં હાલ ગરમીનો પારો 45ની નજીક પહોંચી ગયો છે, એવામાં ગરમીથી દર્શકોને રાહત મળે એ માટે સ્ટેડિયમમાં પાણીના બુથના સ્ટેન્ડસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરમીના કારણે દર્શકોને હેલ્થમાં કોઈ તકલીફ થાય તો તેમને તુરંત સારવાર માટે સ્ટેડિયમમાં ડોકટરોની મેડિકલ ટીમ હાજર રહેશે, સ્ટેડિયમમાં મેડિકલ બુથ પણ બનાવવામાં આવ્યા છે.
