AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Foods for better sleep : રાત્રે ઊંઘ નથી આવતી? સૂતા પહેલા ખાઓ આ 4 વસ્તુઓ, મિનિટોમાં આવી જશે ઊંઘ!

આજે આપણે એવા કેટલાક ખોરાક વિશે જાણશું, જે સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે અને અનિદ્રાની સમસ્યાને ઘટાડવામાં સહાયક બની શકે છે. ચાલો હવે સંક્ષેપમાં જાણીએ કે તે ખોરાક કયા છે.

| Updated on: Mar 11, 2026 | 6:00 PM
Share
સારી ઊંઘ શરીર અને મન બંને માટે ખૂબ જરૂરી છે. જો પૂરતી ઊંઘ ન મળે તો હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન અને સ્થૂળતા જેવી સમસ્યાઓનો ખતરો વધી શકે છે. ઘણા લોકો ઊંઘ માટે દવાઓ લે છે, પરંતુ તેના સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે છે. તેથી આજે આપણે એવા કેટલાક ખોરાક વિશે જાણીએ, જે અનિદ્રાની સમસ્યામાં રાહત આપી સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

સારી ઊંઘ શરીર અને મન બંને માટે ખૂબ જરૂરી છે. જો પૂરતી ઊંઘ ન મળે તો હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન અને સ્થૂળતા જેવી સમસ્યાઓનો ખતરો વધી શકે છે. ઘણા લોકો ઊંઘ માટે દવાઓ લે છે, પરંતુ તેના સાઇડ ઇફેક્ટ પણ હોઈ શકે છે. તેથી આજે આપણે એવા કેટલાક ખોરાક વિશે જાણીએ, જે અનિદ્રાની સમસ્યામાં રાહત આપી સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે.

1 / 5
કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે સ્નાયુઓને આરામ આપે છે. તેમાં ટ્રિપ્ટોફન પણ હોય છે, જે ઊંઘ માટે જરૂરી હોર્મોન્સ વધારવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા લગભગ એક કલાક પહેલા કેળું ખાવાથી સારી ઊંઘ આવી શકે છે. ( Credits: AI Generated )

કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે સ્નાયુઓને આરામ આપે છે. તેમાં ટ્રિપ્ટોફન પણ હોય છે, જે ઊંઘ માટે જરૂરી હોર્મોન્સ વધારવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા લગભગ એક કલાક પહેલા કેળું ખાવાથી સારી ઊંઘ આવી શકે છે. ( Credits: AI Generated )

2 / 5
અખરોટ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સારી ઊંઘ માટે પણ મદદરૂપ છે. તેમાં મેલાટોનિન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તણાવ ઘટાડીને ઊંઘ સુધારવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા થોડા અખરોટ ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

અખરોટ પોષક તત્વોથી ભરપૂર હોય છે અને સારી ઊંઘ માટે પણ મદદરૂપ છે. તેમાં મેલાટોનિન અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે તણાવ ઘટાડીને ઊંઘ સુધારવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા થોડા અખરોટ ખાવા ફાયદાકારક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

3 / 5
કેમોમાઈલ ચામાં એપિજેનિન નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે મનને શાંત કરવામાં મદદ કરે છે. તે તણાવ ઘટાડે છે અને અનિદ્રાની સમસ્યા ઓછી કરીને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે. તેથી સૂતા પહેલા કેમોમાઈલ ચા પીવી લાભદાયક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

કેમોમાઈલ ચામાં એપિજેનિન નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે મનને શાંત કરવામાં મદદ કરે છે. તે તણાવ ઘટાડે છે અને અનિદ્રાની સમસ્યા ઓછી કરીને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ બને છે. તેથી સૂતા પહેલા કેમોમાઈલ ચા પીવી લાભદાયક માનવામાં આવે છે. ( Credits: AI Generated )

4 / 5
દૂધમાં રહેલું ટ્રિપ્ટોફન અને કેલ્શિયમ સારી ઊંઘ માટે મદદરૂપ હોર્મોન્સ બનાવવામાં સહાય કરે છે. મધ મનને શાંત કરવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા ગરમ દૂધમાં થોડું મધ મેળવીને પીવાથી સારી અને આરામદાયક ઊંઘ મળી શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

દૂધમાં રહેલું ટ્રિપ્ટોફન અને કેલ્શિયમ સારી ઊંઘ માટે મદદરૂપ હોર્મોન્સ બનાવવામાં સહાય કરે છે. મધ મનને શાંત કરવામાં મદદ કરે છે. તેથી સૂતા પહેલા ગરમ દૂધમાં થોડું મધ મેળવીને પીવાથી સારી અને આરામદાયક ઊંઘ મળી શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.) ( Credits: AI Generated )

5 / 5

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

g clip-path="url(#clip0_868_265)">