T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ચાઈનામેન લગ્નના બંધનમાં બંધાશે, જુઓ ફોટો
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવ ટૂંક સમયમાં નવી ઈનિગ્સ શરૂ કરશે. તે 14 માર્ચ, 2026 ના રોજ વંશિકા સાથે લગ્ન કરશે. રિપોર્ટ મુજબ લગ્ન સમારોહ ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં એક લક્ઝરી રિસોર્ટમાં યોજાશે.

એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપની જીત બાદ જશ્નમાં ડુબી છે. આ વચ્ચે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી લગ્નના બંધનમાં બંધાશે. આ ખેલાડીના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે.

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવ લગ્ન કરવા જઈ રહ્યો છે. કુલદીપ યાદવ બાળપણની મિત્ર વંશિકા સાથે સાત ફેરા લેશે.કુલદીપ યાદવના લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને બંને પરિવારોના લોકો હાજર રહેશે.રિપોર્ટ મુજબ લગ્ન ઉત્તરાખંડના મસૂરીના સુંદર હિલ સ્ટેશનમાં યોજાયા છે.

ત્યારબાદ ક્રિકેટર 17 માર્ચના રોજ લખનૌમાં એક રિસ્પેશનનું આયોજન કર્યું છ. આ રિસ્પેશનમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત બોલિવુડ સ્ટાર અને કેટલાક નેતાઓ પણ આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, કુલદીપ યાદવની ફિયાન્સી વંશિકા કાનપુરની શ્યામ નગરની રહેવાસી છે.

તે એલઆઈસીમાં નોકરી કરે છે. કુલદીપ યાદવ અને વંશિકા બાળપણથી એકબીજાને ઓળખે છે. ધીમે ધીમે તેની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ .4 જૂન 2025ના રોજ લખનૌમાં બંન્નેએ સગાઈ કરી હતી.

ટી20 વર્લ્ડકપ 2026માં કુલદીપ યાદવને વધારે રમવાની તક મળી ન હતી. તેમણે માત્ર 1 મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ મેચમાં તેમણે 14 રન આપી 1 વિકેટ લીધી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.
દિકરાને ટીવી પર રમતા જોઈ પરિવાર જમ્યો પણ ન હતો, જુઓ કુલદીપ યાદવનો પરિવાર અહી ક્લિક કરો
