વડોદરામાં જન્મેલા ક્રિકેટર પર રાજસ્થાનની યુવતીએ, બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો, આવો છે પરિવાર
શિવાલિક શર્મા એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 6 ડિસેમ્બર 2018 ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. હાલમાં શિવાલિક શર્મા પર છેતરપિંડી અને બળાત્કારનો કેસ દાખલ થયો છે. તો શિવાલિક શર્માની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

એક છોકરીએ ગુજરાતના એક IPL ક્રિકેટ ખેલાડી વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. યુવતીનો આરોપ છે કે ક્રિકેટ ખેલાડી શિવાલિક શર્માએ તેની સાથે છેતરપિંડી કરી છે.

રાજસ્થાનના જોધપુરમાં IPL ખેલાડી શિવાલિક શર્મા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે શિવાલિક શર્માએ લગ્નના બહાને પીડિતા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. તો ચાલો જોઈએ આ શિવાલિક શર્મા કોણ છે અને તેના પરિવારમાં કોણ કોણ છે.

પીડિતાએ જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં શિવાલિક વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શિવાલિક અને છોકરીની સગાઈ થઈ હતી.

આ પછી, બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો અને 2024માં બંને ટ્રિપ પર પણ ગયા પરંતુ ઓગસ્ટ 2024માં શિવાલિકના માતાપિતાએ સગાઈ તોડી નાખી.

શિવાલક શર્મા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ રહી ચૂક્યો છે.બરોડાના આ ખેલાડીના કારકિર્દીનો ગ્રાફ 2016ની વિનુ માંકડ અંડર-19 ટ્રોફી અને 2017 ની કૂચ બિહાર અંડર-19 ટ્રોફીમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સથી શરૂ થયો, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.

શિવાલિક શર્માનો જન્મ 28 નવેમ્બર 1998ના રોજ વડોદરામાં થયો હતો. જે એક ભારતીય ક્રિકેટર છે. 6 ડિસેમ્બર 2018 ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં બરોડા માટે ફર્સ્ટ-ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.

2024માં ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે ઓક્શનમાં તેમને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે સામેલ કર્યો હતો.શિવાલિક શર્મા નીચલા ક્રમના બેટ્સમેન તરીકે રમે છે. 2023માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં, તેમણે 10 મેચમાં 114 રન બનાવ્યા હતા.શિવાલિક શર્માના પિતાનું નામ સુનિલ શર્મા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































