ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો 25મો હેડ કોચ બન્યો, ભારતીય ક્રિકેટ ટીમના અત્યાર સુધીના કોચનું લિસ્ટ જુઓ

રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ બનાવવામાં આવ્યો છો. તો આજે આપણે અત્યારસુધી બનેલા કોચનું આખું લિસ્ટ જોઈએ.

Nirupa Duva
| Edited By: | Updated on: Jul 11, 2024 | 8:19 PM
ભારતીય ટીમની સાથે પહેલા કોચ નહિ પરંતુ મેનેજર હતા. 1983માં જ્યારે કપિલ દેવની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે વર્લ્ડકપ જીત્યો તો પીઆર માન સિંહ ટીમ ઈન્ડિયાના મેનજર હતા. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાએ 2007માં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો તે દરમિયાન લાલચંદ રાજપૂત ભારતીય ટીમનો કોચ હતો.

ભારતીય ટીમની સાથે પહેલા કોચ નહિ પરંતુ મેનેજર હતા. 1983માં જ્યારે કપિલ દેવની કેપ્ટનશીપવાળી ભારતીય ટીમે વર્લ્ડકપ જીત્યો તો પીઆર માન સિંહ ટીમ ઈન્ડિયાના મેનજર હતા. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વાળી ટીમ ઈન્ડિયાએ 2007માં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો તે દરમિયાન લાલચંદ રાજપૂત ભારતીય ટીમનો કોચ હતો.

1 / 17
ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને નવો હેડ કોચ મળી ચૂક્યો છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ હશે. તેનો કાર્યકાળ 3 વર્ષ સુધીનો હશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા અનેક મોટી ઈવેન્ટમાં રમતી જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમને તેનો પહેલો કોચ 90ના દશકમાં મળ્યો હતો. આ પહેલા કોચ નહિ પરંતુ મેનેજર હતા. તો આજે આપણે 1990થી લઈ અત્યારસુધીના તમામ હેડ કોચ વિશે વાત કરીએ.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને નવો હેડ કોચ મળી ચૂક્યો છે. ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ હશે. તેનો કાર્યકાળ 3 વર્ષ સુધીનો હશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા અનેક મોટી ઈવેન્ટમાં રમતી જોવા મળશે. ભારતીય ક્રિકેટ ટીમને તેનો પહેલો કોચ 90ના દશકમાં મળ્યો હતો. આ પહેલા કોચ નહિ પરંતુ મેનેજર હતા. તો આજે આપણે 1990થી લઈ અત્યારસુધીના તમામ હેડ કોચ વિશે વાત કરીએ.

2 / 17
1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સ્પિનર બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કોચ હતા. આ પહેલા કોઈ પણ વ્યક્તિને ફુલટાઈમ કોચની જવાબદારી મળી ન હતી.બેદીના કાર્યકાળમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતુ.

1983 વર્લ્ડકપ વિજેતા ટીમના સ્પિનર બિશન સિંહ બેદી ભારતીય ક્રિકેટ ટીમના પહેલા કોચ હતા. આ પહેલા કોઈ પણ વ્યક્તિને ફુલટાઈમ કોચની જવાબદારી મળી ન હતી.બેદીના કાર્યકાળમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળ્યું હતુ.

3 / 17
બિશન સિંહ બેદી બાદ અબ્બાસ અલી બેગને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. અબ્બાસ અલી બેગના કાર્યકાળમાં ભારતને પાંચમાંથી 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે 1992 વર્લ્ડકપના સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકી ન હતી. (photo : gettyimages)

બિશન સિંહ બેદી બાદ અબ્બાસ અલી બેગને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. અબ્બાસ અલી બેગના કાર્યકાળમાં ભારતને પાંચમાંથી 4 ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમે 1992 વર્લ્ડકપના સેમીફાઈનલમાં સ્થાન મેળવી શકી ન હતી. (photo : gettyimages)

4 / 17
અબ્બાસ અલી બેગ બાદ ભારતીય ટીમની કોચિંગ અજીત વાડેકરને સોંપવામાં આવી છે. ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા વાડેકર 1992 થી 1996 સુધી હેડ કોચ રહી પોતાના કાર્યકાળમાં સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીનને કેપ્ટન બનાવ્યા હતા.

અબ્બાસ અલી બેગ બાદ ભારતીય ટીમની કોચિંગ અજીત વાડેકરને સોંપવામાં આવી છે. ભારતીય ટીમના કેપ્ટન રહી ચૂકેલા વાડેકર 1992 થી 1996 સુધી હેડ કોચ રહી પોતાના કાર્યકાળમાં સચિન તેંડુલકર અને મોહમ્મદ અઝહરુદ્દીનને કેપ્ટન બનાવ્યા હતા.

5 / 17
1996 વર્લ્ડકપમાં સંદીપ અજીત વાડેકરના આસિસ્ટન્ટ મેનેજર હતા. ઈંગ્લેન્ડમાં અઝહરુદ્દીન અને નવજૌત સિંહ સિદ્ધુ વચ્ચે થયેલા ઝગડા દરમિયાન તેમને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. ટોરન્ટોમાં સહારા કપમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ સંદીપ પાટિલને કોચિંગમાંથી દુર કરવામાં આવ્યા હતા.

1996 વર્લ્ડકપમાં સંદીપ અજીત વાડેકરના આસિસ્ટન્ટ મેનેજર હતા. ઈંગ્લેન્ડમાં અઝહરુદ્દીન અને નવજૌત સિંહ સિદ્ધુ વચ્ચે થયેલા ઝગડા દરમિયાન તેમને ટીમ ઈન્ડિયાનો કોચ બનાવવામાં આવ્યો હતો. ટોરન્ટોમાં સહારા કપમાં પાકિસ્તાન સામે હાર્યા બાદ સંદીપ પાટિલને કોચિંગમાંથી દુર કરવામાં આવ્યા હતા.

6 / 17
1983માં વર્લ્ડકપ વિજેતા ટીમના વધુ એક સભ્ય એક સમયે ફાસ્ટ બોલર રહી ચૂકેલા મદન લાલ પણ એક વર્ષ માટે ભારતીય ટીમના કોચ રહ્યા હતા.

1983માં વર્લ્ડકપ વિજેતા ટીમના વધુ એક સભ્ય એક સમયે ફાસ્ટ બોલર રહી ચૂકેલા મદન લાલ પણ એક વર્ષ માટે ભારતીય ટીમના કોચ રહ્યા હતા.

7 / 17
મદનલાલ બાદ અંશુમન ગાયકવાડ 1997 થી 1999 સુદી ભારતીય ટીમના હેડ કોચ રહ્યા હતા.ત્યારબાદ ફરી એક વખત 2000માં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. અનિલ કુંબલે ગાયકવાડના કાર્યકાળમાં પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટ લીધી હતી.

મદનલાલ બાદ અંશુમન ગાયકવાડ 1997 થી 1999 સુદી ભારતીય ટીમના હેડ કોચ રહ્યા હતા.ત્યારબાદ ફરી એક વખત 2000માં ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. અનિલ કુંબલે ગાયકવાડના કાર્યકાળમાં પાકિસ્તાન વિરુદ્ધ 10 વિકેટ લીધી હતી.

8 / 17
1983 વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ 1999 થી 2000 સુધી ભારતીય ટીમના કોચ રહ્યા હતા. તેંડુલકરની કેપ્ટનશીપમાં કપિલ ભારતીય ટીમના હેડ કોચ બન્યા હતા. કપિલ દેવના કાર્યકાળમાં ભારતને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સચિને રાજીનામું આપવું પડ્યું  હતુ.મનોજ પ્રભાકરે એક સ્ટિંગ ઓપરેશનમાં મેચ ફિક્સિંગમાં કપિલ દેવનું નામ લીધું હતુ, ત્યારબાદ કપિલ દેવે રાજીનામું આપવું પડ્યું હતુ.

1983 વર્લ્ડકપ વિજેતા ટીમના કેપ્ટન કપિલ દેવ 1999 થી 2000 સુધી ભારતીય ટીમના કોચ રહ્યા હતા. તેંડુલકરની કેપ્ટનશીપમાં કપિલ ભારતીય ટીમના હેડ કોચ બન્યા હતા. કપિલ દેવના કાર્યકાળમાં ભારતને સતત હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ સચિને રાજીનામું આપવું પડ્યું હતુ.મનોજ પ્રભાકરે એક સ્ટિંગ ઓપરેશનમાં મેચ ફિક્સિંગમાં કપિલ દેવનું નામ લીધું હતુ, ત્યારબાદ કપિલ દેવે રાજીનામું આપવું પડ્યું હતુ.

9 / 17
ભારતીય ક્રિકેટ ટીમના પહેલા વિદેશી કોચ જૉન રાઈટ હતા. તેમણે 2000 થી 2005 સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કામ કર્યું હતુ. જોન રાઈટના કાર્યકાળમાં ભારતે 2001માં ઓસ્ટ્રેલિયાની મજબુત ટીમને ટેસ્ટ સીરિઝમાં 2-1થી હાર આપી હતી. ભારતીય ટીમ 2003ના ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. આ પદ પર સૌથી વધુ સમય 5 વર્ષ સુધી રહેનાર પહેલો કોચ પણ હતો.

ભારતીય ક્રિકેટ ટીમના પહેલા વિદેશી કોચ જૉન રાઈટ હતા. તેમણે 2000 થી 2005 સુધી ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કામ કર્યું હતુ. જોન રાઈટના કાર્યકાળમાં ભારતે 2001માં ઓસ્ટ્રેલિયાની મજબુત ટીમને ટેસ્ટ સીરિઝમાં 2-1થી હાર આપી હતી. ભારતીય ટીમ 2003ના ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. આ પદ પર સૌથી વધુ સમય 5 વર્ષ સુધી રહેનાર પહેલો કોચ પણ હતો.

10 / 17
જોન રાઈટની કોચિંગ બાદ ગ્રેગ ચેપલે ટીમની કમાન સંભાળી હતી. ચેપલના કાર્યકાળમાં કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે સંબંધ વિવાદીત રહ્યો હતો. સૌરવ ગાંગુલીના સ્થાને રાહુલ દ્રવિડને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ચેપલનો ભારતીય સીનિયર ખેલાડી સાથે સંબંધ ખરાબ રહ્યો છે.

જોન રાઈટની કોચિંગ બાદ ગ્રેગ ચેપલે ટીમની કમાન સંભાળી હતી. ચેપલના કાર્યકાળમાં કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે સંબંધ વિવાદીત રહ્યો હતો. સૌરવ ગાંગુલીના સ્થાને રાહુલ દ્રવિડને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ચેપલનો ભારતીય સીનિયર ખેલાડી સાથે સંબંધ ખરાબ રહ્યો છે.

11 / 17
ભારતે 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો તો ત્યારે આ ટીમના હેડ કોચ ગેરી કસ્ટર્ન હતા. સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગેરીએ 2008થી 2011 સુધી ભારતીય ટીમની કમાન સંભાળી હતી. કસ્ટર્નના કાર્યકાળ દરમિયાન ધોની વનડે અને ટી-20નો કેપ્ટન હતો. તો અનિલ કુંબલે પાસે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ હતી.

ભારતે 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીત્યો તો ત્યારે આ ટીમના હેડ કોચ ગેરી કસ્ટર્ન હતા. સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર ગેરીએ 2008થી 2011 સુધી ભારતીય ટીમની કમાન સંભાળી હતી. કસ્ટર્નના કાર્યકાળ દરમિયાન ધોની વનડે અને ટી-20નો કેપ્ટન હતો. તો અનિલ કુંબલે પાસે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ હતી.

12 / 17
 ગેરી કર્સ્ટન બાદ ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ડંકન ફ્લેચર ભારતના હેડ કોચ બન્યા હતા. ફ્લેચરના કાર્યકાળમાં 2011 થી 2015 વચ્ચે ભારતની સફળ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયા 2015 વર્લ્ડકપની સેમિફાઈનલ સુધી પહોંચી હતી પરંતુ ફ્લેચરના કાર્યકાળમાં ટેસ્ટ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ.

ગેરી કર્સ્ટન બાદ ઝિમ્બાબ્વેના પૂર્વ ક્રિકેટર ડંકન ફ્લેચર ભારતના હેડ કોચ બન્યા હતા. ફ્લેચરના કાર્યકાળમાં 2011 થી 2015 વચ્ચે ભારતની સફળ શાનદાર રહી હતી. ટીમ ઈન્ડિયા 2015 વર્લ્ડકપની સેમિફાઈનલ સુધી પહોંચી હતી પરંતુ ફ્લેચરના કાર્યકાળમાં ટેસ્ટ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ.

13 / 17
 ડંકન ફ્લેચરના ખરાબ કાર્યકાળ બાદ બીસીસીઆઈએ રવિ શાસ્ત્રીને ટીમના ડાયરેકટર બનાવવામાં આવ્યા હતા. તે 2014 થી 2016 સુધી ટીમ ડાયરેક્ટર અને કોચના રુપમાં કામ કરતા હતા.

ડંકન ફ્લેચરના ખરાબ કાર્યકાળ બાદ બીસીસીઆઈએ રવિ શાસ્ત્રીને ટીમના ડાયરેકટર બનાવવામાં આવ્યા હતા. તે 2014 થી 2016 સુધી ટીમ ડાયરેક્ટર અને કોચના રુપમાં કામ કરતા હતા.

14 / 17
 24 જૂન 2016 થી 20 જૂન 2017 સુધી અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ હતો. કુંબલેના કાર્યકાળમાં ભારતે 13માંથી માત્ર એક જ ટેસ્ટ મેચ હારી હતી. શાનદાર રિઝલ્ટ બાદ વિરાટ કોહલી સાથે ટક્કર જોવા મળતી હતી. તેનો કાર્યકાળ માત્ર એક જ વર્ષમાં પૂર્ણ થયો હતો.

24 જૂન 2016 થી 20 જૂન 2017 સુધી અનિલ કુંબલે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ હતો. કુંબલેના કાર્યકાળમાં ભારતે 13માંથી માત્ર એક જ ટેસ્ટ મેચ હારી હતી. શાનદાર રિઝલ્ટ બાદ વિરાટ કોહલી સાથે ટક્કર જોવા મળતી હતી. તેનો કાર્યકાળ માત્ર એક જ વર્ષમાં પૂર્ણ થયો હતો.

15 / 17
અનિલ કુંબલે બાદ રવિશાસ્ત્રીને ભારતના ફુલ ટાઈમ કોચ બનાવવામાં આવ્યા હતા. તેના કોચિંગ સમયમમાં ટીમ ઈન્ડિયા  વર્લ્ડની સેમીફાઈનલમાં પહોંચી પરંતુ આગળ વધી શકી હતી. તેમજ કોહલી અને શાસ્ત્રીની જોડી એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.

અનિલ કુંબલે બાદ રવિશાસ્ત્રીને ભારતના ફુલ ટાઈમ કોચ બનાવવામાં આવ્યા હતા. તેના કોચિંગ સમયમમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડની સેમીફાઈનલમાં પહોંચી પરંતુ આગળ વધી શકી હતી. તેમજ કોહલી અને શાસ્ત્રીની જોડી એક પણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી.

16 / 17
 વર્લ્ડકપ જીતનાર પહેલા ભારતીય કોચનું ગૌરવ હંમેશા રાહુલ દ્રવિડ પાસે રહેશે. તેમનો કાર્યકાળ સમાપ્ત થયા પછી, દ્રવિડ કેપ્ટન રોહિત શર્માની વિનંતી પર કોચ તરીકે રહ્યા અને હવે તેમને વિશ્વ વિજેતા કોચ કહેવામાં આવે છે.

વર્લ્ડકપ જીતનાર પહેલા ભારતીય કોચનું ગૌરવ હંમેશા રાહુલ દ્રવિડ પાસે રહેશે. તેમનો કાર્યકાળ સમાપ્ત થયા પછી, દ્રવિડ કેપ્ટન રોહિત શર્માની વિનંતી પર કોચ તરીકે રહ્યા અને હવે તેમને વિશ્વ વિજેતા કોચ કહેવામાં આવે છે.

17 / 17
Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">