AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.

2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.

Read More

Breaking News: 10 વર્ષ બાદ KKRનો કોઈ કેપ્ટન ગોલ્ડન ડક પર થયો આઉટ, ગૌતમ ગંભીરના નામે આ શરમજનક રેકોર્ડ

ગુજરાત ટાઈટન્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન અજિંક્ય રહાણે ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. 10 વર્ષ બાદ KKRનો કોઈ કેપ્ટન ગોલ્ડન ડક પર આઉટ થયો છે. આ પહેલા ગૌતમ ગંભીર પહેલા જ બોલ પર એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

Breaking News: 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓ 15 વર્ષ બાદ આજે ક્યાં છે?

15 વર્ષ પહેલા આજના જ દિવસે ભારતે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. 2011નો વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાના તે 15 ખેલાડીઓ બાદમાં દેશ માટે રમ્યા અને નિવૃત્તિ બાદ ત્રણ ખેલાડીઓ સાંસદ બન્યા, કેટલાક ક્રિકેટ કોચિંગમાં ગયા, જ્યારે કેટલાક કોમેન્ટ્રી દ્વારા ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજો સહિત તે ટીમના તમામ સભ્યો આજે ક્યાં છે અને તેઓ શું કરી રહ્યા છે? ચાલો જાણીએ.

IPL Records: શું કોઈ બૅટ્સમેન કોહલીના 973 રનનો રેકોર્ડ તોડી શકશે ? જુઓ IPLના એવા રેકોર્ડ્સ જેને તોડવા ‘Impossible’

IPLના ઇતિહાસમાં એવા ઘણા રેકોર્ડ્સ નોંધાયા છે જે આધુનિક યુગના ખેલાડીઓ માટે તોડવા લગભગ 'અશક્ય' ગણાય છે. જેમાં વિરાટ કોહલી અને ક્રિસ ગેલ ઉપર છે. MS ધોનીની વર્ષો સુધીની કેપ્ટનશીપ અને અમિત મિશ્રાની ૩ હેટ્રિક જેવી સિદ્ધિઓ પણ આ યાદીમાં સામેલ છે. T20ની આ ઝડપી રમત ગમે તેટલી બદલાય, પણ આ આંકડાકીય શિખરો હંમેશા અજેય રહે તેવું લાગે છે.

Breaking News: ગૌતમ ગંભીરે 2.5 કરોડ રૂપિયાના વળતરની કરી માંગ, આ મામલે પરેશાન થઈ દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કર્યો કેસ

ગૌતમ ગંભીર વિરુદ્ધ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર સતત નકલી વીડિયો અને નિવેદનો ફરતા થઈ રહ્યા છે. જેને લઈ ટીમ ઈન્ડિયાના હેડ કોચે દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને 2.5 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે.

‘જસપ્રીત બુમરાહ પછી શું…’ અશ્વિને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી, જાણો શું કહ્યું?

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગનું નેતૃત્વ કરે છે. તેઓ પોતાના દમ પર મેચનો પાયો ફેરવવાની સક્ષમ રાખે છે. ભૂતપૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને ચેતવણી આપી છે.

Breaking News : સૂર્યકુમાર યાદવે કર્યો મોટો ખુલાસો, આ ચાર દિગ્ગજોના કારણે મળી હતી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ

ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે તાજેતરમાં મોટો ખુલાસો કર્યો છે કે તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં કયા ચાર મહત્વપૂર્ણ વ્યક્તિઓની ભૂમિકા રહી હતી. તેના નિવેદન પછી ટીમ મેનેજમેન્ટ અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માની વ્યૂહાત્મક ભૂમિકા ફરી ચર્ચામાં આવી છે.

Breaking News : કોહલી, ધોની, રોહિત… IPL ઈતિહાસમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કોના નામે છે?

IPLની નવી સિઝન શરૂ થવાની છે અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. દરેક IPL સિઝનમાં ચેમ્પિયન બનેલી ટીમોમાં તેમના કેપ્ટનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને બેટથી તેમના ઉપયોગી રન ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયા હતા. IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવામાં પણ કેપ્ટનોનો દબદબો રહ્યો છે. તો ચાલી જાણીએ કે કેપ્ટન તરીકે સૌથી રન બનાવનાર ટોપ 5 ખેલાડીઓ કોણ છે.

Breaking News: IPL ઈતિહાસમાં સૌથી વધુ વાર રન આઉટ થવાનો શરમજનક રેકોર્ડ છે આ ભારતીય દિગ્ગજના નામે

IPLમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થાય છે, પરંતુ આ દરમિયાન ઘણીવાર સ્ટાર બેટ્સમેન રન લેવાના ચક્કરમાં રન આઉટ થઈ જાય છે. શું તમે જાણો છો કે IPLના ઈતિહાસમાં કયો ખેલાડી સૌથી વધુ રન આઉટ થયો છે?

Breaking News: વિરાટ અને રોહિત સાથેના સંબંધો પર ગૌતમ ગંભીરે તોડ્યું મૌન, ડ્રેસિંગ રૂમ વિશે કહી મહત્વની વાત

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે પહેલીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર ખુલ્લેઆમ વાત કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક સમયમાં તેનાથી કેટલીક ભૂલો થઈ હશે, પરંતુ તેના દરેક નિર્ણય પાછળ ટીમના હિતનો જ ઈરાદો રહ્યો છે.

Breaking News: T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા ગંભીર અને સૂર્યકુમાર, લીધા ગણેશજીના આશીર્વાદ

2026 ના T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી ભારતે વિશ્વ ક્રિકેટમાં ફરી એકવાર પોતાની તાકાત સાબિત કરી. આ વિજય બાદ ટીમ ઈન્ડિયાની ટ્રોફી સાથે ભક્તિ યાત્રા પણ શરૂ થઈ છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટ્રોફી સાથે મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા અને ભગવાન ગણેશના દર્શન કરી ટીમની સફળતા માટે પ્રાર્થના કરી.

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.

ગૌતમ ગંભીર કેમ હંમેશા ગંભીર રહે છે ? હેડ કોચે પોતે જ ખોલ્યું રહસ્ય- જાણો

ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપ જીત્યા બાદ હેડ કોચ ગૌતમ ગંભીરનું મોટું નિવેદન. ગંભીરે જણાવ્યું કે કેમ તે ડગઆઉટમાં ગંભીર ચહેરો રાખીને બેસે છે.

T20 World Cup 2026 Prize Money: ખેલાડીઓને 6-6 કરોડ રૂપિયા, કોચ ગંભીર સહિત સપોર્ટ સ્ટાફને આટલા કરોડ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખુશીઓની સાથે ઈનામોનો પણ વરસાદ થયો છે. BCCI દ્વારા ટીમ ઈન્ડિયા માટે કુલ ₹131 કરોડની ઈનામી રકમ જાહેર કરવામાં આવી છે. હવે આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ વચ્ચે કેવી રીતે વહેંચાશે તેની વિગતો સામે આવી છે, જેમાં દરેકને કરોડો રૂપિયા ઈનામમાં મળશે.

T20 WC Breaking : ‘તને જોઈને’… ગૌતમ ગંભીરે MS ધોનીને એવો જવાબ આપ્યો કે ચાહકોને વિશ્વાસ ના થયો

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન ધોનીએ ગૌતમ ગંભીર વિશે એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેના પછી ભારતીય મુખ્ય કોચે પ્રતિક્રિયા આપી હતી. ગૌતમ ગંભીરે પોતાના જવાબમાં શું લખ્યું તે જાણો.

T20 WC Breaking : ગૌતમ ગંભીરે રાહુલ દ્રવિડ અને VVS લક્ષ્મણને ટ્રોફી કેમ સમર્પિત કરી?

ભારતે ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ T20 વર્લ્ડ કપ 2026 નું ટાઇટલ જીત્યું. પરંતુ ચેમ્પિયન બન્યા પછી, ગંભીરે ટ્રોફી દ્રવિડ અને લક્ષ્મણને સમર્પિત કરી. પણ શા માટે?

8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
ગુજરાતમાં 4 દિવસથી હીટસ્ટ્રોકના કેસોમાં ધરખમ વધારો
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
આજથી આ 3 રાશિના જાતકોન કિસ્મત ખુલવાની ઘડી!માલામાલ કરશે મંગળ-બુધની યુતિ
g clip-path="url(#clip0_868_265)">