ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.

2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.

Read More

જય શાહ ICCના બોસ બનતા જ ખુશ થયો વિરાટ કોહલી, બુમરાહ-પંડયાએ કહી મોટી વાત

ICCના નવા અધ્યક્ષ તરીકે જય શાહ બિનહરીફ ચૂંટાયા છે. તે ICCનો ચાર્જ સંભાળનાર સૌથી યુવા અધ્યક્ષ હશે. તેમના અધ્યક્ષ બન્યા બાદ ભારતીય ક્રિકેટમાં ખુશીની લહેર છે. અને આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ એક મોટી વાત કહી છે.

ગૌતમ ગંભીરની 16 વાર થશે પરીક્ષા, જો નિષ્ફળ ગયા તો ખેલ ખતમ! BCCIએ કરી મોટી જાહેરાત

ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર માટે આવનારું 1 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ સમયગાળા દરમિયાન તેમની કુલ 16 વાર પરીક્ષાઓ થશે. જેની શરૂઆત બાંગ્લાદેશ સામે રમાનારી ટેસ્ટ શ્રેણીથી થશે.

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે, BCCIએ સંપૂર્ણ શેડ્યૂલ કર્યું જાહેર

ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે જશે જ્યાં તે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. BCCIએ કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. મોટા સમાચાર એ છે કે આવતા વર્ષે મહિલા ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર પાંચ T20 અને ત્રણ ODI મેચ પણ રમશે.

વિરાટ કોહલી દ્વારા ટીમ ઈન્ડિયામાંથી બહાર કરાયેલા આ ખેલાડીને ગંભીર આપશે ટીમ ઈન્ડિયામાં તક !

શું તે 8 વર્ષ બાદ ફરી ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી કરશે? શું તેના હાલના શાનદાર ફોર્મથી તેફાયદો થશે? જે વ્યક્તિને વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવામાં આવ્યો તેને ગૌતમ ગંભીરના કોચિંગમાં ટીમ ઈન્ડિયામાં કમબેકની તક મળશે?

રોહિત શર્મા પહેલા આ દિગ્ગજ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ છોડશે, ગૌતમ ગંભીરની જૂની IPL ટીમમાં જોડાશે!

IPL 2025 સિઝન પહેલા સૌથી વધુ ચર્ચા એ છે કે શું રોહિત શર્મા 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહેશે કે નહીં, પરંતુ એ પહેલા લાંબા સમયથી MI ફ્રેન્ચાઈઝીનો ભાગ રહી ચૂકેલા વધુ એક દિગ્ગજ જલદી ટીમ છોડી દેશે એવું લગભગ નક્કી લાગી રહ્યું છે.

ગૌતમ ગંભીરના ઈશારે આ બંને દિગ્ગજ ખેલાડીઓની છુટ્ટી ! ટીમ ઈન્ડિયામાં મળવાની હતી મોટી જવાબદારી

ગૌતમ ગંભીરનો મુખ્ય કોચ તરીકે કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરૂ થયો હતો. હવે ટીમને નવો બોલિંગ કોચ પણ મળ્યો છે. દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ક્રિકેટર મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ બન્યા છે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. ભારતના બે મહાન ખેલાડીઓને મ્હાત આપી મોર્કેલ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બન્યા છે. પારસ મ્હામ્બ્રેની જગ્યાએ મોર્ને મોર્કેલ આ જવાબદારી સંભાળશે.

ટીમ ઈન્ડિયા ક્યાં છે? આગામી શ્રેણી ક્યારે યોજાશે? કઈ ટીમો સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં 43 દિવસના બ્રેક પર છે. આ બ્રેક બાદ ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત થઈ જશે. ઘરેલુ શ્રેણીની સાથે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો પણ પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી સતત ક્રિકેટ રમવાનું છે.

IND vs SL: 45 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ જોયા આટલા ખરાબ દિવસ, રોહિત-ગંભીરે કલ્પના પણ નહીં કરી હોય

ટીમ ઈન્ડિયાને શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. 27 વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે શ્રેણી હારી છે. ખાસ વાત એ છે કે 45 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં એવો ખરાબ રેકોર્ડ બન્યો છે જેના વિશે રોહિત અને ગંભીરે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

IND vs SL: ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ શ્રીલંકા સામે ODI સિરીઝ હારી, ત્રીજી મેચમાં ભારતીય બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ રહી

શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને સનસનાટીપૂર્ણ હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની પ્રથમ મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયા સતત બે વનડે મેચ હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયા 27 વર્ષ બાદ શ્રીલંકા સામે વનડે સીરીઝ હારી છે.

IND vs SL: KL રાહુલ ટીમ ઈન્ડિયામાંથી બહાર, રોહિત શર્મા-ગૌતમ ગંભીરનો આશ્ચર્યજનક નિર્ણય

શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દીધો હતો. કેએલ રાહુલ છેલ્લી બે મેચમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો, ત્યારબાદ રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે અંતિમ વનડે મેચમાં આ મોટો નિર્ણય લીધો હતો.

IND vs SL : ગૌતમ ગંભીરના આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, રણનીતિ નહીં બદલી તો 27 વર્ષ બાદ શ્રીલંકામાં હારશે ભારત!

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચ બુધવારે કોલંબોમાં રમાશે. વનડે શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી. હવે શ્રેણી બચાવવા માટે ભારતીય ટીમ માટે કોઈપણ ભોગે જીતવું જરૂરી છે. જો કે આ માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે.

IND vs SL: રોહિત શર્મા-ગૌતમ ગંભીરનો પ્રયોગ નિષ્ફળ ગયો, આગામી મેચમાં આ ભૂલથી બચવું પડશે

ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડે જીતવા માટે માત્ર 231 રનની જરૂર હતી અને કેપ્ટન રોહિત શર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારીને જોરદાર શરૂઆત અપાવી હતી, પરંતુ તેના આઉટ થયા બાદ કોચ ગંભીરે એક નિર્ણય લીધો જેના કારણે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હતી.

IND vs SL: ગૌતમ ગંભીર-રોહિત શર્માએ રિષભ પંતને ટીમમાંથી કેમ કર્યો બહાર ? મળી ગયો જવાબ

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ વનડે કોલંબોમાં રમાઈ રહી છે અને આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ રિષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો નથી. તેની જગ્યાએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. આવું કરવા પાછળ એક મોટું કારણ જવાબદાર છે.

IND vs SL: વિરાટ કોહલી ગૌતમ ગંભીરને મળ્યો, કોચ બન્યા બાદ પહેલી મુલાકાતમાં શું ચર્ચા થઈ?

T20 સિરીઝ પૂરી થયા બાદ હવે ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝનો વારો છે, જેમાં 3 મેચ રમાશે. આ સિરીઝની સાથે વિરાટ કોહલી પણ વર્લ્ડકપ બાદ વાપસી કરી રહ્યો છે અને ઘણા વર્ષોમાં પહેલીવાર તે ગૌતમ ગંભીર સાથે એક જ ટીમમાં જોવા મળશે.

સંજુ સેમસનને હવે કોઈ બચાવી શકશે નહીં! શ્રીલંકામાં ગંભીરનો હીરો ‘ઝીરો’ નીકળ્યો

વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે શ્રીલંકા પ્રવાસ કોઈ દુઃસ્વપ્નથી ઓછો રહ્યો નથી. તે આ પ્રવાસમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે, જે ભવિષ્યમાં ટીમમાં તેની જગ્યા માટે ખતરો સાબિત થઈ શકે છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">