Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.

2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.

Read More

‘દુનિયામાં બસ…’, ગૌતમ ગંભીરે આ ગુજરાતી ક્રિકેટરને ODI ક્રિકેટનો ‘સૌથી મહાન’ ખેલાડી ગણાવ્યો

ગૌતમ ગંભીરે ODI ટીમનો સૌથી મૂલ્યવાન ખેલાડી પસંદ કર્યો, ગંભીર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 દરમિયાન બે મહિના માટે કોચિંગમાંથી વિરામ લેશે.

Ravindra Jadeja Retirement : રવિન્દ્ર જાડેજાની વિક્ટરી ફોર બાદ આવો હતો સ્ટેડિયમમાં નજારો, બાપુની નિવૃત્તિની થવા લાગી ચર્ચા

IND vs NZ: ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. ટાઇટલ જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓનો ઉજવણી કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

ગૌતમ ગંભીરના 4 મોટા નિર્ણયો, જેના માટે તેની ટીકા થઈ, હવે તે જ નિર્ણયો જીતનું કારણ બન્યા

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે અને એકપણ મેચ હાર્યા વિના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મુખ્ય કોચ ગૌતમ ગંભીર દ્વારા લેવામાં આવેલા ચાર મોટા નિર્ણયોએ ભારતના મજબૂત પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, આ નિર્ણયોને કારણે તેની અગાઉ ટીકા થઈ રહી હતી.

Video : ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગાળો બોલવા લાગ્યો, અચાનક કોચ સાથે શું થયું?

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છવાઈ રહ્યો છે, જેમાં ગૌતમ ગંભીર ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં બેસીને ગાળો બોલતા જોવા મળે છે. ગંભીરને અચાનક એવું શું થયું કે તેણે પોતાનો કાબુ ગુમાવી દીધો?

IND vs ENG : ગૌતમ ગંભીર-સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમીને તક નથી આપી રહ્યા? કોચે આપ્યો જવાબ

મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં રમ્યો નહોતો. બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે તેના પર એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે શમી સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે મોહમ્મદ શમી ફિટ છે તો પછી તેને શા માટે પ્લેઈંગ-11 માં રમાડાવામાં નથી આવી રહ્યો?

IND vs ENG : ટીમ ઈન્ડિયામાંથી 4 ખેલાડીઓ થશે બહાર, કોલકાતામાં લેવાશે મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સામે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 માટે શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન પસંદ કરવાનો પડકાર હશે. ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ પ્લેઈંગ-11 માંથી થશે બહાર થશે એ નિશ્ચિત છે, પરંતુ તે કોણ હશે અને ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે, તેના પર એક નજર કરીએ.

ભારતીય ખેલાડીઓને નહીં મળે અલગ ગાડી, પ્રથમ T20માં જોવા મળશે BCCIની નવી પોલિસી

PTIના રિપોર્ટ મુજબ બીસીસીઆઈ પોતાની 10 પોઈન્ટવાળી પોલિસી તમામ રાજ્ય સંઘોને મોકલી છે.જ્યાં ભારત-ઇંગ્લેન્ડ ટી20 સીરિઝની મેચો રમાનારી છે. પહેલી મેચ કોલકાતામાં છે. આવી સ્થિતિમાં, CAB એ પણ તે નીતિઓનો અમલ શરૂ કરી દીધો છે.

ફક્ત સરફરાઝ ખાન જ નહીં, કોચે પણ સમાચાર લીક કર્યા ! ગંભીરના પાર્ટનર પર લાગ્યો ગંભીર આરોપ

મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ડ્રેસિંગ રૂમમાં સ્થિતિ તણાવપૂર્ણ હતી, ત્યારથી સમાચાર લીક થવાનો મુદ્દો યથાવત છે અને આ મુદ્દો BCCIની સમીક્ષા બેઠકમાં પણ આવ્યો હતો જ્યાં એક ખેલાડી અને સપોર્ટ સ્ટાફના એક સભ્યનું નામ હતું.

ટીમ ઈન્ડિયાને મળી શકે છે નવો કોચ, BCCIને ગૌતમ ગંભીર પર નથી રહ્યો વિશ્વાસ?

ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની બેટિંગ ઘણી નબળી રહી હતી. હવે BCCIએ આ અંગે સમીક્ષા બેઠક યોજી છે, જેમાં ગૌતમ ગંભીરને સપોર્ટ સ્ટાફની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે BCCI બેટિંગ સુધારવા માટે નવો કોચ લાવવા માંગે છે.

ગૌતમ ગંભીરને લાગી શકે છે મોટો ઝટકો, ટીમ ઈન્ડિયામાંથી તેના 2 ખાસ વ્યક્તિઓની થશે હકાલપટ્ટી !

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ ગૌતમ ગંભીરનું કદ થોડું ઓછું થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો BCCI ગૌતમ ગંભીરના બે ખાસ લોકોને ટીમ ઈન્ડિયામાંથી બહારનો રસ્તો બતાવી શકે છે. જાણો કોણ છે ગંભીરના આ બે ખાસ લોકો જેમની ટીમ ઈન્ડિયામાંથી હકાલપટ્ટી થઈ શકે છે.

ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમના વિવાદ પર મૌન તોડ્યું, કોચ-ખેલાડીઓની ચર્ચા બહાર ન જવી જોઈએ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે BGTની પાંચમી અને છેલ્લી મેચ શુક્રવારથી સિડનીમાં રમાશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-2થી પાછળ છે. સિડનીમાં રમાનાર મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં વિવાદના રિપોર્ટ સામે આવ્યા છે.

IND vs AUS : ટીમ ઈન્ડિયાનું ‘ડ્રેસિંગ રૂમ રહસ્ય’ લીક થતા આ ભારતીય દિગ્ગજને આવ્યો ગુસ્સો

મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ડ્રેસિંગ રૂમમાં પોતાના ખેલાડીઓ પર ગુસ્સે થયા હતા. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગરબડના સમાચારને લઈ ગુસ્સે છે. ટીમ ઈન્ડિયા વિશેની વાતો બહાર આવતા તેણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

રોહિત-ગંભીરની જોડી સુપરફ્લોપ, ટીમ ઈન્ડિયાની આટલી ખરાબ હાલત અગાઉ ક્યારેય નહોતી થઈ

મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024નો અંત આણ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની જોડી ફરી એકવાર નિશાના પર છે. જો કે આ વર્ષે બંને દિગ્ગજોની જોડીમાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે. ચાલો આ રેકોર્ડ્સ પર એક નજર કરીએ.

શું ગૌતમ ગંભીર અને આર અશ્વિન વચ્ચે થઈ હતી લડાઈ? આ તસવીર નિવૃત્તિ પાછળનું સત્ય કહી રહી છે !

આર અશ્વિન નિવૃત્તિ બાદથી જ ચર્ચાનો વિષય બન્યો છે. તેમની નિવૃત્તિને લઈને અનેક પ્રકારના વિવાદો સામે આવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિસબેન ટેસ્ટ દરમિયાન અશ્વિન અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

AUS vs IND : ગૌતમ ગંભીરને લઈ મોટું અપડેટ, જાણો ક્યારે ટીમ ઈન્ડિયા સાથે જોડાશે મુખ્ય કોચ

ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર્થ ટેસ્ટમાં જીત બાદ ભારત પરત ફર્યા છે. અંગત કારણોસર તેને ટીમ છોડવી પડી હતી. તેની ગેરહાજરીમાં સહાયક કોચ અભિષેક નાયર, રેયાન ટેન ડેસ્ચેટ અને બોલિંગ કોચ મોર્ને મોર્કેલ ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે ગંભીરને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.

g clip-path="url(#clip0_868_265)">