AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર

ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.

2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.

Read More

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો કોચ નહીં પણ મેનેજર છે, કપિલ દેવે આવું કેમ કહ્યું?

કપિલ દેવે ગૌતમ ગંભીર અંગે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ગંભીર એક મેનેજર છે, કોચ નહીં. જોકે, તેમણે સ્વીકાર્યું કે મેનેજર બનવું વધુ મહત્વનું છે.ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ છે. જોકે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ આ વાતથી અસંમત છે. તેમણે કહ્યું કે ગંભીર કોચ નથી પણ મેનેજર છે.

ટીમ ઈન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા-ગૌતમ ગંભીર ઝઘડ્યા ? વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ !

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુલ્લાનપુર T20 મેચમાં હાર બાદ ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

શું ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયાની હાલત બગાડી? T20 વર્લ્ડ કપ પહેલા જ ખતરાની ઘંટડી વાગી ગઈ

દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટિંગ ક્રમમાં ભારે ઉથલપાથલ જોવા મળી. ઘણા ખેલાડીઓ તેમના રેગ્યુલર રોલમાં જોવા ન મળ્યા અને પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા, જેના પરિણામે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો.

Gautam Gambhir : ગૌતમ ગંભીરે અર્શદીપ સિંહને ગાળો આપી? ચોંકાવનારો આરોપ લાગ્યો

ગૌતમ ગંભીર ઘણીવાર મેચ દરમિયાન આક્રમક મૂડમાં જોવા મળે છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I માં આ આક્રમકતા સ્પષ્ટ દેખાઈ હતી. મુખ્ય કોચ પોતાના જ બોલર અર્શદીપ સિંહ પર ગુસ્સે થયો હતો. ગંભીરે અર્શદીપ સિંહને ગાળો આપી હોવાનો ફેન્સે આરોપ લગાવ્યો હતો.

Yuvraj Singh: યુવરાજ સિંહે મેદાનની વચ્ચે ગૌતમ ગંભીરને દબોચી લીધો, હજારો ચાહકોની સામે બંને દિગ્ગજોની મસ્તી

ન્યુ ચંદીગઢ સ્ટેડિયમમાં ભારત-દક્ષિણ આફ્રિકા મેચ દરમિયાન ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહની મિત્રતા સ્પષ્ટ દેખાઈ હતી. યુવરાજ સિંહે મજાકમાં તેને પકડી પણ લીધો હતો અને બંનેએ સાથે ઘણી વાતચીત પણ કરી હતી. બંનેને સાથે જોઈ ફેન્સને જૂના દિવસો યાદ આવી ગયા હતા.

IND vs SA: ગૌતમ ગંભીર સાથે ફક્ત 4 ખેલાડીઓ, વિરાટ કોહલી-રોહિત શર્મા પ્રેક્ટિસમાં હાજર ન રહ્યા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ જીતનાર ટીમ શ્રેણી પણ જીતશે. રસપ્રદ વાત એ છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ આ મેચ પહેલા પ્રેક્ટિસ કરી ન હતી.

વિરાટ કોહલીની સદી પછી ગૌતમ ગંભીરે શું કર્યું? હેડ કોચની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર દિલ જીતી લીધા. રાયપુરમાં પોતાની સદી પર મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

વિરાટ-રોહિત અને ગંભીર વચ્ચે બોલચાલ બંધ ? ટીમ ઈન્ડિયામાં વિચિત્ર વાતાવરણ સર્જાયું

ટીમ ઈન્ડિયાએ રાંચી વનડે જીતી લીધી, પરંતુ ટીમમાં જે ચાલી રહ્યું છે તે સારા સમાચાર નથી. અહેવાલો સૂચવે છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ગૌતમ ગંભીર વચ્ચે બોલચાલ બંધ છે. આ સમગ્ર ઝઘડો કેવી રીતે શરૂ થયો તે અહીં જાણો.

રોહિત શર્માને આ વસ્તુથી બચવાની સલાહ, જલ્દી ગૌતમ ગંભીર સાથે થશે BCCI ની બેઠક

ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે BCCI દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ નિર્ણય લેશે.

Gautam Gambhir: બીજી વખત ક્લીન સ્વીપ, શું ગૌતમ ગંભીર હવે રાજીનામું આપશે? ભારતીય કોચે આપ્યો જવાબ

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા એક વર્ષમાં બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી ગઈ. માત્ર હારી નહીં પણ ટીમનો વ્હાઇટવોશ થયો. આવી ખરાબ હાર બાદ કોચ ગંભીરને રાજીનામા અંગે પૂછવામાં આવતા, જાણો તેણે શું જવાબ આપ્યો.

Video: ફેન્સે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનું કર્યું અપમાન, ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ ગુસ્સે ભરાયા

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે, જેના કારણે તેનો વિરોધ થયો છે. ગુવાહાટી સ્ટેડિયમમાં "ગૌતમ ગંભીર હાય-હાય" ના નારા લાગ્યા હતા. ગુવાહાટીમાં હાર બાદ ચાહકોએ કોચ ગૌતમ ગંભીરનું અપમાન કર્યું હતું.

ગૌતમ ગંભીર સામેનો કેસ 4 વર્ષ પછી રદ થયો, હાઈકોર્ટમાં જીત બાદ પોસ્ટ કરી માન્યો આભાર

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે ગૌતમ ગંભીર વિરુદ્ધ કોવિડ-19 મહામારી દરમિયાન ગેરકાયદેસર રીતે દવાઓનો સંગ્રહ અને વિતરણ કરવાના આરોપમાં દાખલ કરાયેલા ફોજદારી કેસને ફગાવી દીધો હતો. આ કેસ 2021નો છે, જ્યારે દિલ્હી સરકારના ડ્રગ કંટ્રોલ વિભાગે ગંભીર સામે ગંભીર આરોપો લગાવ્યા હતા.

IND vs SA: ટીમ ઈન્ડિયા બંને બાજુ અટવાઈ, ગૌતમ ગંભીર ગુવાહાટી ટેસ્ટ પહેલા મોટી મૂંઝવણમાં મુકાયો

ગુવાહાટી પોતાની પહેલી ટેસ્ટ મેચનું આયોજન કરી રહ્યું છે, અને સ્થાનિક ચાહકો તેના માટે ઉત્સાહિત છે. ટીમ ઈન્ડિયા પણ આ સ્થળે પોતાની પહેલી મેચમાં જીત સાથે શરૂઆત કરવા માંગશે, પરંતુ કેપ્ટન ગિલની ઈજાને કારણે બહાર થવાથી હાલમાં તે તેમના માટે સરળ લાગતું નથી. એવામાં હવે બેસ્ટ પ્લેઈંગ ઈલેવનની પસંદગી પણ મોટી મૂંઝવણ બની ગઈ છે. જાણો કેમ.

IND vs SA: પહેલા ન્યૂઝીલેન્ડ પછી ઓસ્ટ્રેલિયા અને હવે આફ્રિકા…. કોલકાતા સામેની હાર બાદ ફેન્સે ગૌતમ ગંભીરને આડેહાથ લીધો

કોલકાતા ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને હરાવ્યું. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ગૌતમ ગંભીરની આકરી ટીકા કરી રહ્યા છે.

મોહમ્મદ અઝહરુદ્દીન પહેલા આ ચાર ક્રિકેટરો પણ મંત્રી બન્યા હતા, રાજકીય પીચ પર રમી જોરદાર ઈનિંગ

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન તેલંગાણા સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ 31 ઓક્ટોબર, શુક્રવારના રોજ હૈદરાબાદના રાજભવન ખાતે તેમને પદના શપથ લેવડાવ્યા. અઝહરુદ્દીન મંત્રી તરીકે શપથ લેનારા પહેલા ક્રિકેટર નથી. આ પહેલા ઘણા ક્રિકેટરો મંત્રી બની ચૂક્યા છે.

ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
g clip-path="url(#clip0_868_265)">