
ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.
2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.
IND vs ENG : લીડ્સ ટેસ્ટમાં ભારત પહેલા કરશે બેટિંગ, જાણો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ લીડ્સમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ સાઈ સુદર્શનને ડેબ્યૂ કરવાની તક આપી છે. નીતિશ રેડ્ડીની જગ્યાએ શાર્દુલ ઠાકુરને પ્રાથમિકતા આપવામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Jun 20, 2025
- 3:47 pm
IND vs ENG : ગંભીરની કોચિંગમાં ગિલ અપનાવશે કોહલીની ફોર્મ્યુલા, ઈંગ્લેન્ડને હરાવવા રમશે મોટો ‘જુગાર’
રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, ભારતીય ટેસ્ટ ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. કેપ્ટન તરીકે ગિલનો પહેલો પડકાર ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી છે, જ્યાં જીત મેળવવી એટલી સરળ નથી. પરંતુ ગિલ આ માટે ભૂતપૂર્વ કેપ્ટન કોહલીની ફોર્મ્યુલા અપનાવવા તૈયાર છે.
- Smit Chauhan
- Updated on: Jun 19, 2025
- 10:50 pm
IND vs ENG : ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ શરૂ થવાના ત્રણ દિવસ પહેલા ટીમ ઈન્ડિયામાં દિગ્ગજ ખેલાડીની થઈ એન્ટ્રી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ખેલાડી ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. આ ખેલાડી ટીમ ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં પણ જોવા મળ્યો હતો, અને તેણે ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ સાથે ટીમ ઈન્ડિયાની રણનીતિ અંગે ચર્ચા પણ કરી હતી. આ દિગ્ગજના ટીમ સાથે જોડાવાથી ખેલાડીઓને ખૂબ ફાયદો થશે.
- Smit Chauhan
- Updated on: Jun 18, 2025
- 7:02 pm
IND vs ENG : માતા ICUમાં, છતાં ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ પાછા ફરવાનો નિર્ણય લીધો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણી પ્રથમ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીર ઈંગ્લેન્ડ પરત ફરશે. ગંભીરની માતાને 11 જૂને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ ગંભીર ઈંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પાછો ફર્યો હતો. હવે તે ફરીથી ઈંગ્લેન્ડ પાછો ફરી રહ્યો છે અને પહેલઈ ટેસ્ટ પહેલા ટીમ સાથે જોડાશે.
- Smit Chauhan
- Updated on: Jun 16, 2025
- 4:35 pm
Breaking News : ગૌતમ ગંભીરની માતાને આવ્યો હાર્ટ એટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત પરત ફર્યા
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાને અધવચ્ચે છોડીને ભારત પરત ફરી રહ્યા છે. આ પાછળનું કારણ તેમની માતાની ખરાબ તબિયત છે.ગૌતમ ગંભીરની માતાને હાર્ટ એટેક આવ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 13, 2025
- 3:15 pm
IND vs ENG : ગૌતમ ગંભીરે રિષભ પંતને બેટિંગ કરતા રોક્યો, ઈંગ્લેન્ડથી આવ્યા મોટા સમાચાર
રિષભ પંત ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન તરીકે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો છે. તે આ પ્રવાસમાં ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે. તેમ છતાં કોચ ગૌતમ ગંભીરે તેણે બેટિંગ પ્રેક્ટિસ કરતા અટકાવ્યો હતો. પ્રશ્ન એ છે કે મુખ્ય કોચે આવું કેમ કર્યું? સામાન્ય રીતે ગૌતમ ગંભીર આવું નથી કરતો, પણ પછી એવું શું થયું કે પંતને વચ્ચે જ રોકી દેવામાં આવ્યો?
- Smit Chauhan
- Updated on: Jun 9, 2025
- 6:29 pm
IND vs ENG : ગૌતમ ગંભીરના જૂના સાથીએ ઈંગ્લેન્ડમાં જીતવાનો આપ્યો મંત્ર, આ બોલરને ટ્રમ્પ કાર્ડ ગણાવ્યો
ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ વખતે શુભમન ગિલના નેતૃત્વમાં યુવા ભારતીય ટીમ ઈતિહાસ રચવા માટે મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડમાં જીત મેળવવા માટે બોલરોએ મહત્વપૂર્ણ યોગદાન આપવું પડશે.
- Smit Chauhan
- Updated on: Jun 7, 2025
- 7:26 pm
ગૌતમ ગંભીરે RCB પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ઉજવણી કરતા જીવન વધુ મહત્વનું, રોડ શો બંધ કરો’
બેંગલુરુમાં થયેલી ભાગદોડના મામલામાં ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે કોઈપણ ટીમની ઉજવણી કરતા લોકોના જીવન વધુ મહત્વપૂર્ણ છે. ગૌતમ ગંભીરે રોડ શો બંધ કરવાની પણ હિમાયત કરી હતી.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2025
- 9:56 pm
IND vs ENG : વિરાટ કોહલી-રોહિત શર્મા વિના પણ જીતવાનો છે ‘દમ’, કેપ્ટન શુભમન ગિલે ભર્યો હુંકાર
ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયા બાદ શુભમન ગિલ પહેલીવાર મીડિયા સામે દેખાયો, જ્યાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર પણ તેની સાથે હતો. આ દરમિયાન, ગિલે પોતાની કેપ્ટનશીપ અને ટીમની તૈયારીઓ વિશે વાત કરી, તો ગંભીરે પરિસ્થિતિ અને બેંગલુરુ ઘટના વિશે પણ જવાબ આપ્યો.
- Smit Chauhan
- Updated on: Jun 5, 2025
- 8:56 pm
IND vs ENG : ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીરે મા કામાખ્યા મંદિરમાં પ્રાર્થના કરી
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સોમવાર 26 મેના રોજ ગુવાહાટીમાં મા કામાખ્યા મંદિર પહોંચ્યો હતો. તેણે આ મુશ્કેલ પ્રવાસની સફળતા માટે પ્રાર્થના કરી હતી. 8 મહિનામાં આ બીજી વાર છે જ્યારે તે મા કામાખ્યાના દર્શન કરવા પહોંચ્યો હતો.
- Smit Chauhan
- Updated on: May 26, 2025
- 10:40 pm
આ દિવસે થશે ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનનું નામ જાહેર, જાણો કોણ અને ક્યારે કરશે જાહેરાત
હવે બધાને જવાબ મળશે કે ટીમ ઈન્ડિયાનો નવો ટેસ્ટ કેપ્ટન કોણ હશે. BCCI તરફથી કેપ્ટનના નામની જાહેરાત ક્યારે થશે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનો કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજિત અગરકર ટીમ ઈન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત કરશે.
- Smit Chauhan
- Updated on: May 21, 2025
- 5:21 pm
IND vs ENG : ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ ! જાણો શું છે આખો મામલો
ટીમ ઈન્ડિયા આવતા મહિને 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આ માટે ભારતીય પસંદગીકારો આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી શકે છે. આ પહેલા, BCCIએ IPLને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે.
- Smit Chauhan
- Updated on: May 16, 2025
- 4:17 pm
Breaking News : ગૌતમ ગંભીરને ISISએ જાનથી મારી નાખવાની ધમકી આપી, ટીમ ઈન્ડિયાના કોચે FIR નોંધાવી
ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે.પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલાના એક દિવસ પછી જ ગંભીરે દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે અને આ મામલે સુરક્ષાની માંગણી કરી છે.
- Nirupa Duva
- Updated on: Apr 24, 2025
- 10:03 am
BCCI એ ટીમ ઈન્ડિયામાંથી કર્યો બહાર, 24 કલાકમાં જ IPLમાં મળી ગઈ નવી નોકરી
અભિષેક નાયરને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસો પહેલા BCCIએ તેનો કરાર અધવચ્ચે જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક કે BCCIએ આ અંગે સત્તાવાર રીતે કંઈ કહ્યું ન હતું, પરંતુ IPLમાં તેની વાપસી સાથે હવે બધું સ્પષ્ટ થઈ ગયું છે.
- Smit Chauhan
- Updated on: Apr 26, 2025
- 8:20 pm
‘દુનિયામાં બસ…’, ગૌતમ ગંભીરે આ ગુજરાતી ક્રિકેટરને ODI ક્રિકેટનો ‘સૌથી મહાન’ ખેલાડી ગણાવ્યો
ગૌતમ ગંભીરે ODI ટીમનો સૌથી મૂલ્યવાન ખેલાડી પસંદ કર્યો, ગંભીર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 દરમિયાન બે મહિના માટે કોચિંગમાંથી વિરામ લેશે.
- Sagar Solanki
- Updated on: Mar 13, 2025
- 4:56 pm