ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીર ભારતના પૂર્વ ક્રિકેટર છે. ગૌતમ ગંભીર બે ક્રિકેટ વિશ્વ કપ (2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ) જીતનાર ખેલાડી છે. જુલાઈ 2024થી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચની જવાબદારી નિભાવી રહ્યા છે. ગૌતમ ગંભીર ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભારતના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનમાં એક છે. ગૌતમ ગંભીરે વર્ષ 2009 માટે ‘ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ જીત્યો હતો અને ‘વર્લ્ડ ટેસ્ટ XI’ ટીમમાં સ્થાન પણ મેળવ્યું હતું.
2007 T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે સૌથી વધુ 75 રન અને 2011 ODI વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે સૌથી વધુ 97 રન બનાવી ગૌતમ ગંભીરે ભારતની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વર્ષ 2019માં ગૌતમ ગંભીરને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘પદ્મશ્રી’ મળ્યો હતો. ગૌતમ ગંભીર, દિલ્હીથી ભાજપના સાંસદ પણ રહી ચૂક્યા છે.
Read MoreIND vs SL: ટીકાકારોને ગૌતમ ગંભીરનો જડબાતોડ જવાબ, કહ્યું- ‘મારા અને બીજા વચ્ચે આ જ ફરક છે’
ટીકા અને સવાલો વચ્ચે ગૌતમ ગંભીરનું વલણ સ્પષ્ટ છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં ગંભીરને જ્યારે ટીકાઓ અંગે સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેણે પોતાના અંદાજમાં જ જવાબ આપ્યો. ગંભીરનું કહેવું છે કે તેને વ્યૂઝ કે લાઈક્સની ચિંતા નથી, તેનું એકમાત્ર લક્ષ્ય ટીમ ઈન્ડિયા માટે ટ્રોફી જીતવાનું છે.
- Smit Chauhan
- Updated on: Aug 22, 2026
- 7:58 pm
IND vs SL: શુભમન ગિલ-ગૌતમ ગંભીરે શ્રીલંકામાં ફરકાવ્યો ત્રિરંગો, ટીમ ઈન્ડિયાએ સ્વતંત્રતા દિવસની કરી ઉજવણી, જુઓ VIDEO
ભારત-શ્રીલંકા ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમે ગાલેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે ગાલેમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. જેનો વીડિયો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Aug 15, 2026
- 6:17 pm
VVS લક્ષ્મણ ગંભીર-અગરકરનો બોસ બનશે! ભારતીય ક્રિકેટમાં પહેલીવાર આ પદ સંભાળશે
અત્યાર સુધી, ભારતીય ક્રિકેટમાં કોચ અને પસંદગીકારોની નિમણૂકથી લઈને ટીમ યોજનાઓ સુધીના નિર્ણયો માટે BCCI અધિકારીઓ જવાબદાર રહ્યા છે. પરંતુ આ ટૂંક સમયમાં બદલાઈ શકે છે, અને આ હેતુ માટે એક નવી સ્થિતિ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. જેમાં વીવીએસ લક્ષ્મણને ટૂંક સમયમાં મોટી જવાબદારી મળવાની છે. જે બાદ તે ગંભીર-અગરકરનો બોસ બની જશે.
- Smit Chauhan
- Updated on: Aug 14, 2026
- 6:31 pm
ગૌતમ ગંભીર સારો માણસ છે, પણ… હરભજન સિંહે ટીમ ઈન્ડિયાના હેડ કોચ વિશે આ શું કહ્યું?
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન સતત ચર્ચામાં રહ્યું છે ત્યારે તેના જ જૂના સાથી હરભજન સિંહે ગંભીર વિષે મોટું નિવેદન આપ્યું છે. હરભજને ડ્રેસિંગ રૂમના એવા કયા રહસ્યો ખોલ્યા જેનાથી ગંભીરનો અસલી ચહેરો સામે આવ્યો છે? જાણો ભજ્જીએ ગંભીર વિશે શું કહ્યું.
- Smit Chauhan
- Updated on: Aug 13, 2026
- 7:20 pm
રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બોલરની એક્ટિંગ કરતા ગૌતમ ગંભીર હસવા લાગ્યો, જુઓ Video
કોલંબોમાં પ્રેક્ટિસ મેચના બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ ડગઆઉટમાં બેસેલા ગૌતમ ગંભીર પાસે જઈ બોલરની એવી નકલ ઉતારી કે, ગૌતમ ગંભીર જોર જોરથી હસવા લાગ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Aug 9, 2026
- 10:07 am
IND vs SL: 15 ઓગસ્ટની સવારે… શ્રીલંકા સામે ટેસ્ટ સિરીઝ પહેલા કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને આપ્યો પડકાર
શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે ખેલાડીઓને ખાસ સંદેશ આપ્યો છે. ઘરઆંગણે સતત ટેસ્ટ શ્રેણી હાર બાદ ગંભીર હવે નવી શરૂઆત કરવા માંગે છે. તેણે ખેલાડીઓને પડકારોનો સામનો કરવા અને પોતાની મર્યાદાઓને આગળ વધારવા માટે તૈયાર રહેવા કહ્યું છે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2026
- 5:33 pm
લોર્ડ્સમાં મેચ પહેલાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીરનો આ VIDEO કેમ થયો વાયરલ ?
લોર્ડ્સ ખાતે ફાઇનલ મેચના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલે 18 જુલાઈએ, ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત શર્મા અને ગૌતમ ગંભીર સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
- Dhruval Shah
- Updated on: Jul 19, 2026
- 8:19 am
Breaking News: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ? ટીમ ઈન્ડિયાના કોચે તોડ્યું મૌન
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ વાતચીત સંપૂર્ણપણે બંધ કરી દીધી હોવાના દાવાઓ વચ્ચે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે. શું ખરેખર વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ છે? ચાલો જણીએ.
- Smit Chauhan
- Updated on: Jul 17, 2026
- 5:15 pm
કેપ્ટન Shreyas Iyer કે પછી કોચ Gautam Gambhir? કોના લીધે વર્લ્ડ ચેમ્પિયન ભારત સતત 6 મેચ હાર્યું?
દુનિયાની નંબર-1 અને સતત બે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ England પ્રવાસ પર એક પણ મેચ જીતી શકી નથી અને સતત 6 મેચ હારી ગઈ છે. આ શરમજનક પ્રદર્શન માટે માત્ર મેદાન પરના 11 ખેલાડીઓ જ નહીં પણ કેપ્ટન શ્રેયસ અય્યરની નબળી રણનીતિ અને કોચ ગૌતમ ગંભીરના કેટલાક ખોટા નિર્ણયો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે.
- Ravi Prajapati
- Updated on: Jul 12, 2026
- 5:44 pm
Breaking News: ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો કર્યો વ્હાઈટવોશ, T20 શ્રેણીમાં 5-0 થી કારમી હાર
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 5-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી મેચમાં પણ ભારતીય ટીમ બોલિંગ અને ફિલ્ડીંગમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. બેટ્સમેનનોએ જીત મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ અંતે ટીમની હાર થઈ. આ હાર સાથે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ અને ટીમના પ્રદર્શન પર ગંભીર સવાલો ઉભા થયા છે, જ્યારે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાનો વ્હાઈટવોશ કરી સંપૂર્ણ દબદબો જમાવ્યો છે.
- Smit Chauhan
- Updated on: Jul 11, 2026
- 11:12 pm
Breaking News: ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ BCCI એક્શનમાં, ગંભીર-અય્યર પાસે માંગશે જવાબ
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સતત નિષ્ફળતા બાદ BCCI એક્શનમાં આવ્યું છે. શ્રેણી પૂર્ણ થયા પછી હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર સાથે બેઠક યોજાશે. બોર્ડ ટીમના ખરાબ પ્રદર્શન પાછળના કારણોની સમીક્ષા કરશે અને ભવિષ્યમાં સુધારા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરશે.
- Smit Chauhan
- Updated on: Jul 10, 2026
- 4:33 pm
IND vs ENG: નોટિંગહામમાં શરમજનક હાર બાદ ગૌતમ ગંભીર સામે લાગ્યા આ ખેલાડીના નામના નારા, જુઓ Video
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T20માં ભારતને 125 રનની કારમી હાર બાદ નોટિંગહામમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. સ્ટેડિયમની બહાર ભારતીય ચાહકોએ હેડ કોચ ગૌતમ ગંભીરની હાજરીમાં એક ખેલાડીના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ટીમની સતત નિષ્ફળતા બાદ હવે પ્લેઈંગ ઈલેવનને લઈને ચર્ચા વધુ તેજ બની છે.
- Smit Chauhan
- Updated on: Jul 8, 2026
- 8:09 pm
Gautam Gambhir : ભારતીય બેટ્સમેન જ નહીં, કોચ ગૌતમ ગંભીરના આ નિર્ણયો પણ બન્યા હારનું કારણ
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જોકે તેના કેટલાક નિર્ણયો સંપૂર્ણપણે સમજી ન શકાય તેવા રહ્યા છે. નોટિંગહામમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં બેટિંગ ઓર્ડર અંગેના આવા બે નિર્ણયોએ ટીમને નુકસાન પહોંચાડ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 8, 2026
- 3:27 pm
IND vs ENG : વર્લ્ડ કપનો હીરો વિદેશમાં ઝીરો! શું સંજુ સેમસનનું ખરાબ ફોર્મ વૈભવ સૂર્યવંશી માટે ખોલશે ડેબ્યૂના દ્વાર ? જાણો
સંજુ સેમસને T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાને વિશ્વ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ IPL 2026માં પણ તેનું પ્રદર્શન સારૂં રહ્યું હતું. પરંતુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન અત્યાર સુધી તેનું બેટ શાંત રહ્યું છે.
- Dhruval Shah
- Updated on: Jul 2, 2026
- 8:20 am
Breaking News : સીરિઝ હાર્યા બાદ આયરલેન્ડ ક્રિકેટે ગૌતમ ગંભીરની મજાક ઉડાવી, પોસ્ટ વાયરલ થઈ
Iceland Cricket Trolls Gautam Gambhir : આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં મળેલી હાર બાદ હેડ કોચ ગૌતમ ગંભીર પર ફરી એક વખત સવાલો થઈ રહ્યા છે. આ વખતે આયરલેન્ડ ક્રિકેટે તેમને ટ્રોલ કર્યા છે.
- Nirupa Duva
- Updated on: Jun 29, 2026
- 10:49 am