IND vs BAN: વરસાદના કારણે બન્યો અજીબ સંયોગ, ટીમ ઈન્ડિયાને 9 વર્ષ પછી આ દિવસ જોવો પડ્યો

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસે વરસાદના કારણે બંને ટીમ વોર્મઅપ પણ કરી શકી ન હતી. બીજા દિવસની રમત એક પણ બોલ ફેંક્યા વિના પડતી મૂકવી પડી હતી. છેલ્લા 9 વર્ષમાં આ માત્ર બીજી વખત છે જ્યારે ભારતની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝનો બીજો દિવસ એકપણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવ્યો હોય.

| Updated on: Sep 28, 2024 | 9:43 PM
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. લંચ બાદ વરસાદ શરૂ થયો. જેથી પહેલા દિવસની રમત રદ કરવી પડી હતી. બીજા દિવસે સ્થિતિ વધુ ખરાબ હતી. વરસાદને કારણે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. લંચ બાદ વરસાદ શરૂ થયો. જેથી પહેલા દિવસની રમત રદ કરવી પડી હતી. બીજા દિવસે સ્થિતિ વધુ ખરાબ હતી. વરસાદને કારણે એક પણ બોલ ફેંકી શકાયો ન હતો.

1 / 5
વરસાદે ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝનો રંગ બગાડ્યો છે. કાનપુર ટેસ્ટના બીજા દિવસે બંને ટીમના ખેલાડીઓ વોર્મ-અપ માટે પણ મેદાનમાં આવી શક્યા ન હતા. બંને ટીમો પોતપોતાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળી હતી. વરસાદના કારણે ખેલાડીઓ બીજા દિવસે રમ્યા વિના મેદાનમાંથી પરત ફર્યા હતા. અગાઉ 2015માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગલુરુ ટેસ્ટમાં આવી ઘટના બની હતી.

વરસાદે ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝનો રંગ બગાડ્યો છે. કાનપુર ટેસ્ટના બીજા દિવસે બંને ટીમના ખેલાડીઓ વોર્મ-અપ માટે પણ મેદાનમાં આવી શક્યા ન હતા. બંને ટીમો પોતપોતાના ડ્રેસિંગ રૂમમાં જોવા મળી હતી. વરસાદના કારણે ખેલાડીઓ બીજા દિવસે રમ્યા વિના મેદાનમાંથી પરત ફર્યા હતા. અગાઉ 2015માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેંગલુરુ ટેસ્ટમાં આવી ઘટના બની હતી.

2 / 5
હવે આ ઘટનાના 9 વર્ષ બાદ એક વિચિત્ર સંયોગ બન્યો છે. હકીકતમાં, તે સમયે પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે કાનપુરમાં ગાઢ વાદળો જોઈને રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આનો અર્થ એ થયો કે છેલ્લા 9 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ ઘરેલું ટેસ્ટ મેચમાં માત્ર બે વખત ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. બંને વખત મેચના બીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો.

હવે આ ઘટનાના 9 વર્ષ બાદ એક વિચિત્ર સંયોગ બન્યો છે. હકીકતમાં, તે સમયે પણ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્યારે કાનપુરમાં ગાઢ વાદળો જોઈને રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આનો અર્થ એ થયો કે છેલ્લા 9 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ ઘરેલું ટેસ્ટ મેચમાં માત્ર બે વખત ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. બંને વખત મેચના બીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો.

3 / 5
પ્રથમ દિવસ બાદ બેંગલુરુમાં વરસાદના કારણે કોઈ પણ દિવસે રમત રમાઈ શકી ન હતી. હવે કાનપુરમાં પણ આવી જ સ્થિતિ બની છે. ત્રીજા દિવસે પણ વરસાદની સંભાવના છે. મેદાન પહેલેથી જ ભીનું છે, જો વધુ વરસાદ પડશે તો ત્રીજો દિવસ પણ રદ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેદાનને સૂકવવા માટેની સુવિધાઓ સારી નથી. આ સિવાય ભારતીય ટીમ અહીંની અન્ય સુવિધાઓથી પણ ખુશ નથી.

પ્રથમ દિવસ બાદ બેંગલુરુમાં વરસાદના કારણે કોઈ પણ દિવસે રમત રમાઈ શકી ન હતી. હવે કાનપુરમાં પણ આવી જ સ્થિતિ બની છે. ત્રીજા દિવસે પણ વરસાદની સંભાવના છે. મેદાન પહેલેથી જ ભીનું છે, જો વધુ વરસાદ પડશે તો ત્રીજો દિવસ પણ રદ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેદાનને સૂકવવા માટેની સુવિધાઓ સારી નથી. આ સિવાય ભારતીય ટીમ અહીંની અન્ય સુવિધાઓથી પણ ખુશ નથી.

4 / 5
મેચના પ્રથમ દિવસે કુલ 35 ઓવર નાખવામાં આવી હતી. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમે 3 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને ક્રિઝ પર હાજર રહ્યા હતા. બીજી તરફ, આકાશ દીપ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા અને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ પછી રવિચંદ્રન અશ્વિને ત્રીજી સફળતા અપાવી હતી. (All Photo Credit : ICC / BCCI)

મેચના પ્રથમ દિવસે કુલ 35 ઓવર નાખવામાં આવી હતી. આ દરમિયાન બાંગ્લાદેશની ટીમે 3 વિકેટના નુકસાન પર 107 રન બનાવ્યા હતા. મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને ક્રિઝ પર હાજર રહ્યા હતા. બીજી તરફ, આકાશ દીપ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 10 ઓવરમાં માત્ર 34 રન આપ્યા અને 2 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ પછી રવિચંદ્રન અશ્વિને ત્રીજી સફળતા અપાવી હતી. (All Photo Credit : ICC / BCCI)

5 / 5
Follow Us:
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
g clip-path="url(#clip0_868_265)">