વિરાટ કોહલી જેવો બનવો જોઈએ મારો પુત્ર, બ્રાયન લારાએ કેમ આવું કહ્યું, જાણો
વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાએ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી અને તેને પ્રતિબદ્ધતા અને સમર્પણનું ઉદાહરણ ગણાવ્યું. કોલકાતામાં ટાઈગર પટૌડી મેમોરિયલ લેક્ચરમાં બોલતા, લારાએ ખુલાસો કર્યો કે જો તેનો પુત્ર કોઈપણ રમતમાં ઓળખાણ બનાવવા માંગે છે, તો તે તેને પ્રેરણા આપવા માટે કોહલીનું ઉદાહરણ આપશે.

ભારતમાં તાજેતરમાં યોજાયેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન કોહલીના શાનદાર પ્રદર્શને લારાનું ધ્યાન ખેંચ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં કોહલીની બેટિંગ ક્ષમતાએ અમિટ છાપ છોડી.

લારાએ કોહલીની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરતા કહ્યું, “મારો એક પુત્ર છે અને હું તેને કહી શકું છું કે જો મારા પુત્રને કોઈ રમતચ રમવાની હોય તો હું તેને માત્ર તેની તાકાત વધારવામાં જ નહીં, પરંતુ નંબર વન ખેલાડી બનવા માટે કોહલીની પ્રતિબદ્ધતા અને સમર્પણનો ઉપયોગ કરવાનું કહીશ."

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડીએ કહ્યું કે કેટલાક લોકો કોહલીના યોગદાનને ઓછો આંકી શકે છે કારણ કે ભારત વર્લ્ડ કપ અથવા કોઈપણ આઈસીસી ટ્રોફી જીતી શક્યું નથી, પરંતુ વ્યક્તિગત સફળતા એ ટીમ રમતનું એક મહત્વપૂર્ણ પાસું છે.

તેમને કહ્યું કે “સૌ પ્રથમ, વિરાટ કોહલી માટે, હું જાણું છું કે ઘણા લોકો કહેશે અથવા પહેલેથી જ કહી ચુક્યા છે કે કોહલીના પ્રદર્શનથી કોઈ ફરક પડતો નથી કારણ કે ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નથી. તે જીતવા માટે એક ટીમ ગેમ છે અને વ્યક્તિગત ખેલાડી તરીકે તમે જીત્યા છો. આને તમારો નંબર 1 ધ્યેય બનાવો. પરંતુ ટીમની સફળતા માટે ગૌણ સફળતા વ્યક્તિગત સફળતા છે અને તે જ કોહલીએ સમગ્ર વિશ્વ કપ દરમિયાન ભારતને દરેક મેચ પછી સફળતા અપાવી છે.

લારાએ ક્રિકેટ પર કોહલીના પ્રભાવને સ્વીકાર કર્યો અને તેને ક્રિકેટમાં તૈયારી અને અનુશાસન પ્રત્યેના દ્રષ્ટિકોણને કેવી રીતે બદલ્યો છે. તેમને કહ્યું કે “કોહલી વિશે જે મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે તેનો વાસ્તવિક વારસો છે, કારણ કે તેને ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો છે અને તમે રમત માટે કેવી રીતે તૈયારી કરો છો. તે પણ બદલી નાખ્યું છે, જે તેની શિસ્ત છે, તે હંમેશા સામે આવે છે.”
