પાકિસ્તાનની જીત બાદ ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જાણો સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસ હવે વધુ રસપ્રદ બની ગઈ છે. પાકિસ્તાનની જીત બાદ પોઈન્ટ ટેબલમાં ફેરફાર થયો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે હજુ પણ ફાઈનલના દરવાજા ખુલ્લા છે. જોકે, હવે શુભમન ગિલની ટીમ પાસે ભૂલ કરવાની બહુ ઓછી તક છે. જાણો ભારત કયા સમીકરણથી ટોપ-2માં પહોંચી શકે છે.

પાકિસ્તાને પોર્ટ ઓફ સ્પેન ટેસ્ટમાં જીત નોંધાવી WTC પોઈન્ટ ટેબલમાં આઠમું સ્થાન મેળવ્યું છે. જોકે, પાકિસ્તાન પહેલેથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. હવે તમામ નજર ભારતના સમીકરણ પર છે.

ભારતીય ટીમ હાલમાં 48.15 ટકા પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને છે. ટીમ ઈન્ડિયાને શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ નવ ટેસ્ટ મેચ રમવાની બાકી છે.

જો ભારત બાકીની તમામ નવ અથવા આઠ મેચ જીતી લે છે તો ફાઈનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. આ સ્થિતિમાં ટીમનો PCT આશરે 74 ટકા સુધી પહોંચી શકે છે.

ભારત સાત જીત, એક ડ્રો અને એક હાર સાથે પણ ટોપ-2માં પહોંચી શકે છે. જ્યારે છ જીત, બે ડ્રો અને એક હારનું સમીકરણ પણ ફાઈનલની આશા જીવંત રાખશે.

જો ભારત બે કે તેથી વધુ ટેસ્ટ મેચ હારે છે તો WTC ફાઈનલમાં પહોંચવાનો રસ્તો અત્યંત મુશ્કેલ બની જશે. તેથી આગામી દરેક ટેસ્ટ શુભમન ગિલની ટીમ માટે 'કરો અથવા મરો' જેવી રહેશે. (PC:PTI/GETTY IMAGES)
