ભરશિયાળે ઠંડીથી બચવા તાપણું કરતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ નુકસાન
આપણે બધા જ ઠંડીથી બચવા માટે અવનવા ઉપાયો કરતા હોઈએ છીએ. જેમાં ગરમ કપડાં પહેરવાથી લઈને ગરમ તાસીરનો ખોરાકનું સેવન પણ કરીએ છીએ. તેમજ ઘણા લોકો તાપણું કરતા હોય છે. તેનાથી ઠંડીથી બચી શકાય છે. પરંતુ તેના લીધા શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે.

તાપણું કરવાથી તે માત્ર પર્યાવરણને જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તાપણું કરવાથી તેમાંથી નિકળતો ધુમાડો આપણી આંખો, નાક અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. જેના પગલે ગળામાં દુખાવો, નાક વહેવુ તેમજ આંખ લાલ થવાની સમસ્યા થાય છે.

લાકડામાંથી ઉત્સર્જિત સૂક્ષ્મ કણો અને પ્રદૂષકો શ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે. જેનાથી અસ્થમાં જેવી બીમારીઓ પણ થઈ શકે છે.

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક હોય છે. ત્યારે જો તાપણું કરવામાં આવે તો ત્વચામાં પર બળતરા તેમજ ખરજવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

લાંબા સમય સુધી આગ સળગાવવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધે છે. જેના કારણે ફેફસાને અસર થાય છે. જેના પગલે લોહીનું પ્રમાણ ઘટી શકે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)















