Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Workout Time: સવારે કે સાંજે… કયા સમયે વર્કઆઉટ કરવાથી સારું રિઝલ્ટ મળશે, અહીં જાણો

Best Workout Time: કસરત એ ઘણા લોકોની દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે કસરત કરે છે તો કેટલાક સ્નાયુઓ બનાવવા માટે. ઘણી વખત સવાર અને સાંજ કયા સમયે કસરત કરવી જોઈએ તે અંગે મૂંઝવણ રહે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે કયા સમયે વર્કઆઉટ કરવું વધુ અસરકારક છે.

| Updated on: Apr 12, 2025 | 6:48 AM
આજના સમયમાં મોટાભાગના લોકો ફિટ રહેવા માંગે છે. પછી ભલે તે વજન ઘટાડવાની વાત હોય, બોડી શેપની વાત હોય કે તણાવમાંથી રાહત મેળવવાની વાત હોય. ઘણા લોકો હવે સ્વસ્થ લાઈફસ્ટાઈલ તરફ આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કસરત અથવા વર્કઆઉટ એ દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરંતુ જ્યારે પણ કોઈ ફિટનેસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવે છે કે વર્કઆઉટ માટે શ્રેષ્ઠ સમય કયો છે, સવારનો કે સાંજનો?

આજના સમયમાં મોટાભાગના લોકો ફિટ રહેવા માંગે છે. પછી ભલે તે વજન ઘટાડવાની વાત હોય, બોડી શેપની વાત હોય કે તણાવમાંથી રાહત મેળવવાની વાત હોય. ઘણા લોકો હવે સ્વસ્થ લાઈફસ્ટાઈલ તરફ આગળ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કસરત અથવા વર્કઆઉટ એ દિનચર્યાનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરંતુ જ્યારે પણ કોઈ ફિટનેસ શરૂ કરે છે, ત્યારે તેના મનમાં એક પ્રશ્ન ચોક્કસ આવે છે કે વર્કઆઉટ માટે શ્રેષ્ઠ સમય કયો છે, સવારનો કે સાંજનો?

1 / 5
કેટલાક લોકો માને છે કે સવારે વહેલા કસરત કરવાથી દિવસની શરૂઆત ઉર્જાથી થાય છે અને વજન ઝડપથી ઘટે છે, જ્યારે કેટલાક લોકો સાંજે કસરત કરવાનું પસંદ કરે છે. કારણ કે પછી શરીર વધુ એક્ટિવ રહે છે અને થાક પણ દૂર થઈ જાય છે. જો તમે પણ આ અંગે મૂંઝવણમાં છો તો ચાલો તમને જણાવીએ કે કયા સમયે વર્કઆઉટ કરવાથી વધુ સારું પરિણામ મળી શકે છે.

કેટલાક લોકો માને છે કે સવારે વહેલા કસરત કરવાથી દિવસની શરૂઆત ઉર્જાથી થાય છે અને વજન ઝડપથી ઘટે છે, જ્યારે કેટલાક લોકો સાંજે કસરત કરવાનું પસંદ કરે છે. કારણ કે પછી શરીર વધુ એક્ટિવ રહે છે અને થાક પણ દૂર થઈ જાય છે. જો તમે પણ આ અંગે મૂંઝવણમાં છો તો ચાલો તમને જણાવીએ કે કયા સમયે વર્કઆઉટ કરવાથી વધુ સારું પરિણામ મળી શકે છે.

2 / 5
સવારના વર્કઆઉટ્સથી શું થાય છે?: જો તમે સવારે કસરત કરો છો તો તે આખા દિવસ દરમિયાન શરીરને ઉર્જાથી ભરપૂર રાખે છે. સવારની તાજી હવા અને શાંતિમાં કસરત કરવાથી શરીર અને મન બંને તાજગી અનુભવે છે. વજન ઘટાડવા માટે પણ આ સારો સમય છે. કારણ કે ખાલી પેટે હળવો કાર્ડિયો ચરબી બર્ન કરવા માટે સારો માનવામાં આવે છે. સવારની કસરત શરીરની ઘડિયાળને સેટ કરે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. સવારનો સમય સામાન્ય રીતે ઓછો વ્યસ્ત હોય છે, તેથી વર્કઆઉટ રૂટિન બનાવવું સરળ બને છે.

સવારના વર્કઆઉટ્સથી શું થાય છે?: જો તમે સવારે કસરત કરો છો તો તે આખા દિવસ દરમિયાન શરીરને ઉર્જાથી ભરપૂર રાખે છે. સવારની તાજી હવા અને શાંતિમાં કસરત કરવાથી શરીર અને મન બંને તાજગી અનુભવે છે. વજન ઘટાડવા માટે પણ આ સારો સમય છે. કારણ કે ખાલી પેટે હળવો કાર્ડિયો ચરબી બર્ન કરવા માટે સારો માનવામાં આવે છે. સવારની કસરત શરીરની ઘડિયાળને સેટ કરે છે અને ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. સવારનો સમય સામાન્ય રીતે ઓછો વ્યસ્ત હોય છે, તેથી વર્કઆઉટ રૂટિન બનાવવું સરળ બને છે.

3 / 5
જો તમે સાંજે કસરત કરો તો શું થશે?: સાંજે કસરત કરવાથી શરીર વધુ એક્ટિવ અને ફ્લેક્સિબલ બને છે. દિવસભરની પ્રવૃત્તિઓ પછી શરીર સ્ટ્રેચિંગ અને વેઇટ ટ્રેનિંગ માટે વધુ તૈયાર હોય છે. તેવી જ રીતે સાંજે સ્નાયુઓની શક્તિ અને કાર્યક્ષમતા ચરમસીમાએ હોય છે. જો કે ક્યારેક આખા દિવસના થાકને કારણે કસરત કરવામાં મુશ્કેલી પડી શકે છે. સાંજે વર્કઆઉટ પછી લોકો સ્વસ્થ ખોરાકના વિકલ્પો પસંદ કરે છે. જે તેમના આહારને નિયંત્રણમાં રાખે છે. સાંજે વધુ લોકો કસરત કરે છે, જે ગૃપ એક્ટિવિટી અને મોટિવેશન પૂરી પાડે છે.

જો તમે સાંજે કસરત કરો તો શું થશે?: સાંજે કસરત કરવાથી શરીર વધુ એક્ટિવ અને ફ્લેક્સિબલ બને છે. દિવસભરની પ્રવૃત્તિઓ પછી શરીર સ્ટ્રેચિંગ અને વેઇટ ટ્રેનિંગ માટે વધુ તૈયાર હોય છે. તેવી જ રીતે સાંજે સ્નાયુઓની શક્તિ અને કાર્યક્ષમતા ચરમસીમાએ હોય છે. જો કે ક્યારેક આખા દિવસના થાકને કારણે કસરત કરવામાં મુશ્કેલી પડી શકે છે. સાંજે વર્કઆઉટ પછી લોકો સ્વસ્થ ખોરાકના વિકલ્પો પસંદ કરે છે. જે તેમના આહારને નિયંત્રણમાં રાખે છે. સાંજે વધુ લોકો કસરત કરે છે, જે ગૃપ એક્ટિવિટી અને મોટિવેશન પૂરી પાડે છે.

4 / 5
કયો સમય સારો છે?: કસરત કરવાનો સમય તમારી જરૂરિયાત પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો સવારે કસરત કરવાથી ઝડપી પરિણામો મળે છે. જો તમે દિવસભર એનર્જેટિક રહેવા માંગતા હોવ તો સવારની કસરત ફાયદાકારક છે. જો તમે તણાવ મુક્ત રહેવા માંગતા હો તો સાંજે કસરત કરો. સાંજની કસરત સ્નાયુઓના નિર્માણ માટે પણ વધુ અસરકારક છે.

કયો સમય સારો છે?: કસરત કરવાનો સમય તમારી જરૂરિયાત પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો સવારે કસરત કરવાથી ઝડપી પરિણામો મળે છે. જો તમે દિવસભર એનર્જેટિક રહેવા માંગતા હોવ તો સવારની કસરત ફાયદાકારક છે. જો તમે તણાવ મુક્ત રહેવા માંગતા હો તો સાંજે કસરત કરો. સાંજની કસરત સ્નાયુઓના નિર્માણ માટે પણ વધુ અસરકારક છે.

5 / 5

કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

 

Follow Us:
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">