Breaking News : એક વ્યક્તિની લાલચે ભારત-પાકિસ્તાન વચ્ચે કરાવ્યું યુદ્ધ, જાણો કોણ છે આ વ્યક્તિ
પાકિસ્તાનના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પાકિસ્તાનના દેશવાસીઓને તેના સેના પ્રમુખ પર ભરોસો નથી. પાકિસ્તાનમાં કરોડો સોશિયલ મીડિયા યુઝર્સ સતત સેના પ્રમુખ અસીમ મુનીરની ભૂલથી તેનો દેશ સંકટમાં ફસાય ગયો છે.

મુનીર 2022માં પાકિસ્તાનના આર્મી ચીફ બન્યા. તેમની નિમણૂક સમયે પાકિસ્તાની શાસનમાં સૈન્યના પ્રભાવ અંગે ઘણી ચર્ચા થઈ હતી. પાકિસ્તાનમાં હંમેશા સેનાનું વર્ચસ્વ રહ્યું છે. લોકો માને છે કે સેના પાકિસ્તાની રાજકારણમાં ખૂબ જ દખલ કરે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા તણાવ રહ્યો છે. બંને દેશો વચ્ચે પહેલા યુદ્ધ થઈ ચૂક્યા છે.

એક નવેમ્બરના રોજ આસિમ મુનીરનો કાર્યકાળ પૂર્ણ થશે. પાકિસ્તાન સરકાર મુનીરનો કાર્યકાળ પૂર્ણ કરશે નહી. તો બીજી બાજુ ટ્રમ્પને પણ મુનીર જરાય પસંદ નથી.ટ્રમ્પના દબાવના કારણે મુનીરે આ શ્રડયંત્ર રચ્યું છે. અને ભારત પાકિસ્તાન વચ્ચે યુધ્ધ કરાવ્યું છે.

જો યુદદ્ધ થાય છે તો આર્મી ચીફ બદલતા નથી.સેના પ્રમુખને યુદ્ધ દરમિયાન સ્થિતિ અનુસાર મહત્વપૂર્ણ નિર્ણય લેવાના અને સેનાનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવામાં આવે છે.

પાકિસ્તાનમાં, આર્મી ચીફની નિમણૂક સામાન્ય રીતે 3 વર્ષ માટે થાય છે. મતલબ કે આ નિયમ મુજબ, આસીમ મુનીરનો કાર્યકાળ 29 નવેમ્બર 2025 સુધી હોવો જોઈએ, પરંતુ નવેમ્બર 2024 માં, પાકિસ્તાન સરકારે એક બિલ પસાર કરીને તેમનો કાર્યકાળ 3 વર્ષથી વધારીને 5 વર્ષ કર્યો. આ પછી, અસીમ મુનીરનો કાર્યકાળ હવે નવેમ્બર 2027 સુધીનો છે. આ રીતે, તેમની નોકરી લગભગ 2 વર્ષ અને 6 મહિના, એટલે કે નવેમ્બર 2027 સુધી બાકી છે.

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ થયું તે સમયે પરવેશ મુશરફે શ્રડયંત્ર રચ્યું હતુ. તે સમયે પીએમ નવાઝ શરીફ હતા, તેને કોઈ જાણ ન હતી. હેવ સત્તા પર તેનો ભાઈ શહબાજ શરીફ છે. આ વખતે પરવેશ ને બદલે આસિમ મુનીર પીએમ છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

































































