શું તમે પણ અસમંજસમાં છો કે, ‘AC’ને કેટલા તાપમાને રાખવું? જાણી લો નહીં તો…
ઉનાળાની સિઝનમાં તાપમાન ખૂબ જ વધી જાય છે અને આવી પરિસ્થિતિમાં એર કન્ડીશનર (AC) હવે લોકોની જરૂરિયાત બની ગઈ છે. જો કે, ACના ઉપયોગથી વીજળીનું બિલ પણ વધારે આવે છે. તો એવામાં ચાલો જાણીએ કે, ACને કેટલા તાપમાને રાખવું જોઈએ.

Bureau of Energy Efficiency (BEE) સલાહ આપે છે કે ACને એક નિશ્ચિત તાપમાન પર જ રાખવું જોઈએ. તો ચાલો જાણીએ કે, ACને કેટલા તાપમાને રાખવું જોઈએ.

'BEE'ના મત મુજબ ACનું તાપમાન ઓછામાં ઓછું 24°C પર રાખવું જોઈએ. ACને 24°C પર રાખવાથી વીજળીની બચત થાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ વાત એમ છે કે, જ્યારે ACનું 24°C કરતા ઓછું હોય તો દરેક ડિગ્રી પર ઊર્જા વપરાશ 6-8% વધે છે.

જો તમે ACને 24°Cની જગ્યાએ 18°C પર રાખો તો વીજળીનો ખર્ચ લગભગ 40% વધી જાય છે. આનાથી માત્ર બિલ જ નથી વધતું પણ બિનજરૂરી ઊર્જા વેડફાઈ જાય છે.

24°C એવું તાપમાન છે કે જે સામાન્ય રીતે ઘર માટે આરામદાયક બને છે. ખૂબ ઓછા તાપમાને AC રાખવાથી શ્વાસ, માથાનો દુઃખાવો કે ડિહાઈડ્રેશન જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

24°C પર AC રાખવાથી ભારતના પર્યાવરણને પણ ટેકો મળે છે. ઓછી ઊર્જા વપરાશથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે અને પ્રકૃતિ ઉપરની નકારાત્મક અસરોમાં ઘટાડો થાય છે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો
