Ahmedabad : એસજી હાઇવે પર અદાણી શાંતિગ્રામ દ્વારા ‘અમદાવાદના ગરબા’નું આયોજન
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા અદાણી શાંતિગ્રામમાં 'અમદાવાદના ગરબા'નામથી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ગરબામાં અનોખી રીતે રોશનીની સજાવટ જોવા મળી હતી. ઓરેન્જ કલરના છત્ર જેવી ડિઝાઇન અને તેની પાસે દીવાની અનોખી સજાવટ ગરબામાં આવનારા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. નવરાત્રીના ચોથા નોરતે મોટી સંખ્યામાં યુથ અહીં ટ્રેડિશનલ વસ્ત્રો સાથે ગરબા રમવા જોડાયુ હતુ.

અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા અદાણી શાંતિગ્રામમાં 'અમદાવાદના ગરબા'નામથી નવરાત્રીના ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. પ્રવેશ સ્થળ પર જ અમદાવાદના જાણીતા સ્થળો જેવા કે સીદ્દી સૈયદની જાળી, ત્રણ દરવાજા, પોળમાં આવેલા ચબુતરા, અમદાવાદનો જાણીતો પતંગોત્સવની થીમ જોવા મળી હતી.

આ ગરબામાં અનોખી રીતે રોશનીની સજાવટ જોવા મળી હતી. ઓરેન્જ કલરના છત્ર જેવી ડિઝાઇન અને તેની પાસે દીવાની અનોખી સજાવટ ગરબામાં આવનારા ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

નવરાત્રીના ચોથા નોરતે મોટી સંખ્યામાં યુથ અહીં ટ્રેડિશનલ વસ્ત્રો સાથે ગરબા રમવા જોડાયુ હતુ. ખેલૈયાઓમાં ગરબા રમવાનો અનોખો ઉત્સાહ અહીં જોવા મળ્યો હતો.

ઘણા લોકો પરિવાર સાથે ગરબા રમવા અહીં આવ્યા હતા. ગરબા રમવા માટે પુરતી જગ્યા હોવાથી અહીં ગરબા રસિકોમાં ગરબા રમવાનો વધુ આનંદ જોવા મળી રહ્યો હતો.

ગરબા સ્થળ પર અલગ અલગ સજાવટ જોવા મળી રહી હતી. ગરબાના ખૂબ જ સુંદર એવા સંગીતના પગલે ખેલૈયાઓમાં ગરબા રમવાનું અનેરુ જોમ જોવા મળી રહ્યુ હતું.