પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને કરાયા મુક્ત, વાઘા બોર્ડરથી ટ્રેન દ્વારા વડોદરા લવાયા, જુઓ તસવીર
80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો. તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા. મત્સ્ય વિભાગ દ્વારા માછીમારોને વડોદરાથી બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા.

ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર અજાણ્યે પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.

કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા. મત્સ્ય વિભાગના મદદનીશ નિયામક જીગ્નેશકુમાર, સહિતના અધિકારીઓએ તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.

આ તમામ માછીમારોને વર્ષ 2020માં પાકિસ્તાનમાં પકડવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે હજુ 200 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.

માછીમારોના ચહેરા પર પોતાના વતનમાં આવવાની ખુશી જોવા મળી હતી. 80 ભારતીય માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા રાજ્યના મત્સ્ય વિભાગના અધિકારીઓએ દસમી નવેમ્બરે રાત્રે વાઘા બોર્ડર ખાતેથી તમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.

તમામ માછીમારોને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલ માછીમારોમાં દેવભૂમિ દ્વારકાના 15, ગીર સોમનાથના 59, જામનગરના 2, અને અમરેલીના એક મળી ગુજરાતના 77 અને દિવના 3 મળી કુલ 80 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાતા ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘ બોર્ડેર ખાતેથી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા રવિવારે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા.