Kargil vijay Divas Photo: 26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી ચોકીઓ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી. ચાલો જાણીએ તેની 8 ખાસ વાતો
લગભગ 18 હજાર ફૂટની ઊંચાઈએ કારગિલમાં લડાઈ ત્યારે શરૂ થઈ, જ્યારે એક માલધારીએ 3 મે 1999 ના રોજ પાકિસ્તાનીઓ દ્વારા ઘૂસણખોરી અંગે ભારતીય સેનાને માહિતી આપી.
પાકિસ્તાનના લગભગ 5000 સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી અને કારગિલની ઊંચી ટેકરીઓ પર કબજો કર્યો હતો.
કારગિલ યુદ્ધમાં 527 થી વધુ ભારતીય જવાનો શહીદ થયા હતા અને 1300 થી વધુ ઘાયલ થયા હતા.
કારગિલ યુદ્ધ દરમિયાન લગભગ 2 લાખ 50 હજાર ગોળાઓ ફાયર થયા હતા. તે જ સમયે, 5000 જેટલા બોમ્બ ફેંકવા માટે 300 થી વધુ મોર્ટાર, તોપો અને રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછીનું આ પહેલું યુદ્ધ હતું જેમાં દુશ્મન દેશની સૈન્ય પર આટલી મોટી સંખ્યામાં શેલ છોડવામાં આવ્યા હતા.
ભારતીય વાયુસેનાને 26 મે 1999 ના રોજ પાકિસ્તાની સૈન્યની છેલ્લી પોસ્ટને નષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
કારગિલ યુદ્ધ દરમિયાન અટલ બિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન હતા જ્યારે પાકિસ્તાનની સત્તા જનરલ પેરેવાઝ મુશર્રફના હાથમાં હતી.
કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવા ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' નામનું અભિયાન શરૂ કર્યું હતું. 11 કલાકના યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ 26 મે 1999 ના રોજ કારગિલ વિસ્તારને પાકિસ્તાનથી મુક્ત કર્યો.