Lok Sabha Election 2024 : દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ, સુરેન્દ્રનગરમાં બોલ્યા PM મોદી-VIDEO

વડાપ્રધાને સુરેન્દ્રનગમાં ભાષણ દરમિયાન કહ્યુ કે, જ્યારે દિલ્હી ગયો ત્યારે 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જે પછી આખી પરિસ્થિતિ મે બદલી. 10 વર્ષમાં એક પણ ગોટાળાની ખબર નથી આવી.

| Updated on: May 02, 2024 | 3:10 PM

લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર-પ્રસારની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદીએ આણંદમાં જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિશાળ જનસભાને સંબોધન કર્યુ. તેમણે કહ્યુ કે મારી શાસકીય કારકિર્દીની શરુઆત સૌરાષ્ટ્રથી શરુ થઇ હતી. પહેલી વાર ધારાસભ્ય રાજકોટમાંથી જ બન્યો હતો. આ ગુજરાતે મારુ એવુ પાકુ ઘડતર કર્યુ કે, ક્યાંક કાચો નથી પડતો. જો કે તેનું કારણ તમારા આશીર્વાદ છે.

વડાપ્રધાને આ દરમિયાન કહ્યુ કે, જ્યારે દિલ્હી ગયો ત્યારે 2G કૌભાંડ, કોમનવેલ્થ, કોલસા કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ જેવા અનેક કૌભાંડ હતા. જે પછી આખી પરિસ્થિતિ મે બદલી. 10 વર્ષમાં એક પણ ગોટાળાની ખબર નથી આવી. કોરોના સમયે જ્યારે મોટા મોટા દેશની અર્થ વ્યવસ્થા હલી ગઇ. ભારત જ એક એકલો એવો દેશ હતો કે મજબૂતી પર હતો.

વડાપ્રધાને કહ્યુ કે- હારની હતાશાથી કોંગ્રેસે દેશ અને સમાજના ભાગલાનું અભિયાન તેજ કર્યુ છે. દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ. કોંગ્રેસવાળાઓએ વોટ બેંક માટે અયોધ્યા રામ મંદિરનું કામ અટકાવી રાખ્યુ. જો કે હવે અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિરનું કામ પૂર્ણ થયુ છે.

 

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">