કોંગ્રેસના મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે જવાબદાર, સાંભળો PM મોદીનો જવાબ- Video

કોંગ્રેસના અનેક મોટા ગજાના નેતાઓ ચૂંટણી આવતા સુધીમાં કોંગ્રેસને અલવિદા કરી ચુક્યા છે. કોંગ્રેસમાં મોટાપાયે ધોવાણ થયુ છે. ત્યારે મોટા ગજાના અને જુના જોગીઓ જે વર્ષોથી પાર્ટીમાં રહ્યા હોય એવા નેતાઓ પણ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. તેની પાછળ પીએમ મોદીએ ગણાવ્યા આ કારણો.

| Updated on: May 02, 2024 | 11:56 PM

tv9 ગુજરાતીના એડિટર કલ્પક કેકરેએ tv9 ભારત વર્ષના રાઉન્ડ ટેબલ ઈન્ટરવ્યુમાં પીએમ મોદીને સવાલ કર્યો કે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ આજે કોંગ્રેસને અલવિદા કહી ચુક્યા છે તો તેમના કોંગ્રેસ છોડવા પાછળ એવા તો શું કારણો જવાબદાર હોય છે જે વર્ષોથી સમર્પિત મોટા નેતાઓ પણ પાર્ટી છોડવા તૈયાર થઈ જાય છે.

આ સવાલના જવાબ પર પીએમ મોદીએ જણાવ્યુ કે હું જ્યારે ગુજરાતનો સીએમ હતો એ સમયે હું જોતો હતો કે વિધાનસભા ગૃહમાં વિપક્ષમાં ઘણો જૂથવાદ હતો. દળ ઘણુ નાનું હતુ પરંતુ વિપક્ષ અનેક જૂથોમાં વિભાજીત થયેલો હતો. ક્યારેક મારી તેમની સાથે આ મુદ્દે વાત પણ થતી અને હું કહેતો પણ હતો કે હું ઈચ્છુ કે એક સારા વિપક્ષની ભૂમિકામાં તમે લોકો પર્ફોર્મ કરો.

એ હાઉસમાં જો કોઈ સવાલ પૂછતા હતા તો હું મારી સરકારને પણ કહેતો હતો કે હાઉસમાં જે જવાબ આપવાનો હોય તે તો આડવાત છે. પરંતુ બે મહિનામાં તમારે મને એમના સવાલ પર કામગીરી બતાવવી પડશે. જો કોઈ વિપક્ષી નેતાએ રોડનો સવાલ કર્યો હોય તો મારે ત્યાં રોડ બનેલો જોઈએ, જો તેમણે રસ્તા પરના ખાડાઓની વાત કરી હોય તો ખાડાઓ ભરાઈ જવા જોઈએ. તો સ્થિતિ એવી આવી ગઈ હતી કે વિપક્ષ પાસે કોઈ કામ જ નહોંતુ બચ્યુ.

બીજુ એવુ હતુ કે વિપક્ષના લોકો મોજી થઈ ગયા હતા. દિલ્હીવાળાઓને ખુશ રાખવાની કામગીરીમાં જ લાગેલા રહેતા. દિલ્હીથી તેમને કોઈ સૂચના આવશે તો કામ કરશે એ આદત બની ગઈ હતી.

આ પણ વાંચો: શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ- Video
દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">