PM Modi Interview: પક્ષપલટા વાળા નેતાઓ અંગેના સવાલ પર PM મોદીએ આપ્યો આ જવાબ, જુઓ Video
આ દિવસોમાં ઘણા યુવા નેતાઓ કોંગ્રેસ છોડી ગયા છે અને કોંગ્રેસ પાર્ટી માઓવાદીઓ દ્વારા ખરાબ રીતે કબજે થઈ ગઈ છે. TV9 ગુજરાતીના એડિટર કલ્પક કેકરેએ PM મોદીને સવાલ કર્યો કે શું પક્ષપલટા વાળા નેતાઓને બદલવા પડકાર ખરો ત્યારે વડાપ્રધાને આ બાબતનો ખૂબ સહજતાથી જવાબ આપ્યો હતો.
PM નરેન્દ્ર મોદી સૌથી ખાસ ઈન્ટરવ્યૂ TV9 પર પ્રસારિત થયું છે. દેશનું સૌથી મોટું ન્યૂઝ નેટવર્ક 5 એડિટર્સની સાથે આ રાઉંડ ટેબલ ઇન્ટરવ્યૂમાં પીએમ નરેન્દ્ર મોદીને સૌથી ચૂંટણી, રામ મંદિર, બંગાળ દેશ મોદીની અંતિમ કોને પણ ખુલ્લી વાત છે. PM મોદી 2014 થી 2024 સુધી પસંદગીની સલામતી પર પણ વાત કરી છે. તેમણે કહ્યું કે મને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવી છે. આ સાથે તેમણે પક્ષપાલટો કરી આવતા લોકો માટે પણ મહત્વની વાત કરી છે.
પ્રધાનમંત્રીએ પક્ષપલટાને લઈ વાત કરતાં જણાવ્યું કે, પારિવારિક અને લોકશાહી પાર્ટીઓમાં ફરક હોય છે. ભાજપમાં જોડાવા અંગે PM એ જણાવ્યું કે, વિચારધારા સાથે જોડાય તો સ્વીકાર આવશ્યક છે. કારણ કે, પાર્ટીમાં નવા વિચાર ખુબ જરૂરી. તેમણે કહ્યું ભાજપમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. ખાસ કરીને મહત્વની વાત તેમના દ્વારા કરવામાં આવી તેમણે જણાવ્યું, કે લોકોના બેકગ્રાઉન્ડ જોઈને તેના આધારે લોકોને અમે પાર્ટીમાં જોડીએ છીએ. પાર્ટીમાં તેને આ પ્રકારે કામ મળી રહે છે. મોદીએ કહ્યું કે માંરે તો મારી પાર્ટીનો વિસ્તાર કરવાનો છે. મારો જે સેન્ટ્રલ આઇડિયા છે. મારો જે સેન્ટર કોટ એક્ટિવિટી છે. તેનાથી કોઈ જોડાય છે તો પાર્ટીએ વિકાસ કરવો જ જોઈએ.
PM મોદીએ કહ્યું કે અમારી પાર્ટીમાં જે લેકો છે. જો અમે નવો વિચાર નવા પ્રભાવને આવવા નથી દેતા તો અમારા મનમાં પણ ગંધ ફેલાય જશે. હું તો દર વખતે પડકારનો સામનો કરું છું. જે કોઈ પાર્ટીના લોકોને લાગે છે કે તેઓ દેશનું ભલું ઈચ્છે છે તો દરેકણું સ્વાગત છે. નરેન્દ્ર મોદીએ કહ્યું આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પરંતુ દરેક નાના લોકો પાસે કઈક ને કઈક આપવા માટે હોય છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું કહું છું કે મારે કરવું છે તો હું કરું છું. 2014માં મેં કહ્યું હતું કે હું ગરીબો માટે ઘર બનાવવા માંગુ છું. કેટલાક લોકોએ કહ્યું હતું કે આટલા પૈસા ક્યાંથી આવશે. જ્યારે મારી પાસે નક્કર રોડ મેપ હોય ત્યારે જ હું ગેરંટી પર વિશ્વાસ કરી શકું છું.