AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple : એક સફરજન છે કામનું ! મળે છે આટલા ફાયદા, આ બિમારીઓથી થશે બચાવ

Apple Benefits : પોષણથી ભરપૂર ફળો તમારા એકંદરે સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. જ્યારે ફળોમાં સફરજનને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને દરરોજ આહારમાં એક સફરજનનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.

| Updated on: Jul 16, 2024 | 2:21 PM
Share
Apple Benefits : નાનપણથી તમે પણ આ કહેવત સાંભળી હશે કે, ‘રોજ એક સફરજન ખાઓ અને ડોક્ટર પાસે ન જશો. આ કહેવત ઘણી હદ સુધી સાચી છે. કારણ કે સફરજનમાં પોષણની કમી હોતી નથી અને તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. સફરજન વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, આ સિવાય સફરજનમાં બી-કોમ્પ્લેક્સ અને વિટામિન ઇ અને કે પણ હોય છે.

Apple Benefits : નાનપણથી તમે પણ આ કહેવત સાંભળી હશે કે, ‘રોજ એક સફરજન ખાઓ અને ડોક્ટર પાસે ન જશો. આ કહેવત ઘણી હદ સુધી સાચી છે. કારણ કે સફરજનમાં પોષણની કમી હોતી નથી અને તે તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. સફરજન વિટામિન સીનો ઉત્તમ સ્ત્રોત છે, આ સિવાય સફરજનમાં બી-કોમ્પ્લેક્સ અને વિટામિન ઇ અને કે પણ હોય છે.

1 / 7
જો તમે તમારી દિનચર્યામાં સફરજનને સામેલ કરવા માંગો છો, તો તેને ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તાના એક કલાક પછી છે અથવા દિવસ દરમિયાન તેનું સેવન કરવું જોઈએ. ખાલી પેટે સફરજન ખાવાથી કેટલીકવાર લોકોને તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. ચાલો જાણીએ કે રોજ સફરજન ખાવાથી શું ફાયદા થાય છે.

જો તમે તમારી દિનચર્યામાં સફરજનને સામેલ કરવા માંગો છો, તો તેને ખાવાનો શ્રેષ્ઠ સમય સવારના નાસ્તાના એક કલાક પછી છે અથવા દિવસ દરમિયાન તેનું સેવન કરવું જોઈએ. ખાલી પેટે સફરજન ખાવાથી કેટલીકવાર લોકોને તેને પચાવવામાં મુશ્કેલી પડે છે. ચાલો જાણીએ કે રોજ સફરજન ખાવાથી શું ફાયદા થાય છે.

2 / 7
દિલ : રોજ સફરજન ખાવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે. તેમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજનમાં ઘણા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે જે મુક્ત રેડિકલને રોકવામાં મદદ કરે છે.

દિલ : રોજ સફરજન ખાવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે. તેમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તેનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. સફરજનમાં ઘણા શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે જે મુક્ત રેડિકલને રોકવામાં મદદ કરે છે.

3 / 7
પાચન સારું થાય છે : જે લોકો કબજિયાતથી પીડાય છે તેમના માટે પણ રોજ સફરજન ખાવાથી તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેમાં ફાઈબર મળી આવે છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.

પાચન સારું થાય છે : જે લોકો કબજિયાતથી પીડાય છે તેમના માટે પણ રોજ સફરજન ખાવાથી તમારી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેમાં ફાઈબર મળી આવે છે જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે.

4 / 7
એપલ એનર્જી આપે છે : ઘણા પોષક તત્વો હોવા ઉપરાંત સફરજનમાં ફ્રુક્ટોઝ પણ હોય છે, જે ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. તેથી તમે ઓફિસમાં નાસ્તા તરીકે સફરજન લઈ શકો છો અથવા સવારે નાસ્તા પછી તેનું સેવન કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સફરજન હંમેશા તેની છાલ સાથે જ ખાવું જોઈએ.

એપલ એનર્જી આપે છે : ઘણા પોષક તત્વો હોવા ઉપરાંત સફરજનમાં ફ્રુક્ટોઝ પણ હોય છે, જે ઉર્જા પ્રદાન કરવામાં મદદ કરે છે. તેથી તમે ઓફિસમાં નાસ્તા તરીકે સફરજન લઈ શકો છો અથવા સવારે નાસ્તા પછી તેનું સેવન કરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સફરજન હંમેશા તેની છાલ સાથે જ ખાવું જોઈએ.

5 / 7
સ્કિન કેર : રોજ એક સફરજન ખાવાથી તમે થોડાં જ દિવસોમાં તેની અસર તમારા ચહેરા પર જોશો. નિયમિતપણે સફરજન ખાવાથી સ્કિન અંદરથી સ્વસ્થ બને છે અને ચહેરા પર કુદરતી ગુલાબી ચમક દેખાય છે.

સ્કિન કેર : રોજ એક સફરજન ખાવાથી તમે થોડાં જ દિવસોમાં તેની અસર તમારા ચહેરા પર જોશો. નિયમિતપણે સફરજન ખાવાથી સ્કિન અંદરથી સ્વસ્થ બને છે અને ચહેરા પર કુદરતી ગુલાબી ચમક દેખાય છે.

6 / 7
ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સફરજનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણી બધી મીઠાશ હોવા છતાં તેને ખાવાથી બ્લડ સુગર લેવલ પર બહુ ઓછી અસર થાય છે. કારણ કે તેમાં અન્ય પોષક તત્વો હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધિત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

ડાયાબિટીસમાં ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સફરજનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઘણી બધી મીઠાશ હોવા છતાં તેને ખાવાથી બ્લડ સુગર લેવલ પર બહુ ઓછી અસર થાય છે. કારણ કે તેમાં અન્ય પોષક તત્વો હોય છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ઓછો હોય છે. તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. (નોંધ :સ્વાસ્થ્ય સંબંધિત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

7 / 7
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">