AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પતંજલિનું આધ્યાત્મિક નેતૃત્વ વ્યવસાય સિવાયના જીવનને કેવી રીતે બદલી રહ્યું છે ? આવો જાણીએ

Patanjali આજે પતંજલિ યોગપીઠને કોઈપણ પ્રકારે ઓળખની જરૂર નથી. બાબા રામદેવ દ્વારા સ્થાપિત આ સંસ્થા આજે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપી રહી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર આયુર્વેદિક ઉત્પાદનો વેચવાનો જ નથી, પરંતુ એક સર્વગ્રાહી અને સંતુલિત સમાજનું નિર્માણ કરવાનો પણ છે.

પતંજલિનું આધ્યાત્મિક નેતૃત્વ વ્યવસાય સિવાયના જીવનને કેવી રીતે બદલી રહ્યું છે ? આવો જાણીએ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2025 | 7:51 PM
Share

Patanjali News આજના સૌથી વ્યસ્ત જીવનમાં લોકોની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ રહી છે. આ બધાની વચ્ચે, પતંજલિ એક એવી સંસ્થા છે જ્યાં વ્યવસાય અને આધ્યાત્મિકતાનું અનોખું મિશ્રણ જોવા મળે છે. પતંજલિ તેના આયુર્વેદિક ઉત્પાદનો માટે જાણીતી છે. આ ઉપરાંત, તે તેના આધ્યાત્મિક નેતૃત્વ માટે પણ લોકોમાં લોકપ્રિય છે. આજના સમયમાં પતંજલિ અનેક રીતે લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ચાલો પતંજલિના આધ્યાત્મિક મિશન અંગે વિગતવાર જાણીએ.

લાખો લોકોને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કર્યા

આજે પતંજલિએ યોગને જનજન એટલે કે લોકો સુધી પહોંચાડ્યો છે અને યોગનું મહત્વ સમજાવ્યું છે. આ તેનું સૌથી મોટું યોગદાન છે. પતંજલિએ લોકોને કહ્યું છે કે, યોગ એ માત્ર શારીરિક કસરત જ નથી. આ એક આધ્યાત્મિક સાધના પણ છે. તે જીવનના દરેક પાસામાં સંતુલન લાવે છે. બાબા રામદેવના મફત યોગ શિબિરો અને તેમના ટેલિવિઝન કાર્યક્રમો એ લાખો લોકોને યોગની શક્તિ સાથે જોડ્યા છે. તેનાથી તેમને સ્વસ્થ જીવન જીવવાની પ્રેરણા પણ મળી છે.

પતંજલિ ભારતીય પરંપરાઓને પુનર્જીવિત કરે છે

આજની આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં દવાઓ આપીને રોગો મટાડવામાં આવે છે, પરંતુ બીજી તરફ પતંજલિ યોગપીઠનો હેતુ અને આશય આયુર્વેદ દ્વારા શરીર અને મનની સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થા પર છે. પતંજલિની આ આરોગ્ય પ્રણાલી નેચરોપેથી, જડીબુટ્ટીઓ અને સંતુલિત જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આયુર્વેદ અને નેચરોપેથી પદ્ધતિ ભારતની જૂની પરંપરા છે. તે માત્ર શારીરિક રોગો જ મટાડે છે, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિનો માર્ગ પણ ખોલે છે. પતંજલિ આયુર્વેદ દ્વારા આ પરંપરાને પુનર્જીવિત કરી રહી છે.

પતંજલિના શિક્ષણ કેન્દ્રોમાં મોટો ફેરફાર

આજે બાબા રામદેવની પતંજલિએ, દેશમાં અનેક ગુરુકુલ, શાળાઓ અને યુનિવર્સિટીઓ ખોલી છે. અહીં વિદ્યાર્થીઓને વૈદિક શિક્ષણ, યોગ અને આયુર્વેદ વિશે શીખવવામાં આવે છે. આ દ્વારા પતંજલિ આધુનિક શિક્ષણ પ્રણાલીની સાથે વૈદિક પરંપરાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ભારતીય મૂલ્યોને પ્રોત્સાહન

પતંજલિએ ભારતીય સંસ્કૃતિ, ખોરાક અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપ્યું છે. આમ કરીને પતંજલિએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પુનર્જાગરણની શરૂઆત કરી છે. પતંજલિ લોકોને આત્મનિર્ભર બનવા અને તેમના મૂલ્યો સાથે જોડાવા માટે પ્રેરણા આપી રહી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર ઉત્પાદનો વેચવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતીય મૂલ્યોને વધારવા, લોકોમાં આત્મનિર્ભરતા અને આત્મસંતોષની ભાવના વિકસાવવાનો પણ છે.

વ્યાપારથી આગળ જીવન બદલવાની સફર

આજે પતંજલિ સમાજ સેવામાં અગ્રણી ભૂમિકા ભજવતી જોવા મળે છે. આપત્તિ દરમિયાન રાહત પ્રયાસોથી લઈને ગૌશાળા અને પર્યાવરણ સુરક્ષા અભિયાનો સુધી, પતંજલિનો ઉદ્દેશ સર્વગ્રાહી અને સંતુલિત સમાજ બનાવવાનો છે. પતંજલિ યોગપીઠ માત્ર એક વ્યાવસાયિક સંસ્થા નથી. આજના સમયમાં, પતંજલિ આયુર્વેદ અને ભારતીય જીવનશૈલીને પુનર્જીવિત કરવાના માર્ગ પર છે. આનાથી સમાજ સ્વાવલંબી અને આત્મનિર્ભર બની રહ્યો છે.

બાબા રામદેવ અંગેના અન્ય સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">