કાનુની સવાલ : લિવિંગ વિલ શું છે ? જાણો શું કહે છે કાનુન
લિવિંગ વીલ એ એક ડોક્યુમેન્ટ છે. જે દર્શાવે છે કે ભવિષ્યમાં જ્યારે તમે તમારા પોતાના નિર્ણયો લેવામાં અસમર્થ થશો ત્યારે તમારી આરોગ્ય સંભાળનું સંચાલન કેવી રીતે કરવામાં આવશે.

ઇચ્છામૃત્યુના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દેશમાં પહેલીવાર કોર્ટે ઇચ્છામૃત્યુની પરવાનગી આપી છે.તો આજે આપણે લિવિંગ વીલ શું છે અને કાયદો તેમના વિશે શું કહે છે તે જાણીશું.

લિવિંગ વિલ શું છે. ટુંકમાં આ કાનુની ડોક્યુમેન્ટ છે. જે 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિને તે નક્કી કરવાનો અધિકાર આપે છે કે જો તેમને કોઈ એવી સ્થિતિ અથવા બીમારી થાય જે સારવારની બહાર હોય, જેના કારણે તેઓ વાતચીત કરી શકતા નથી અથવા નિર્ણય લઈ શકતા નથી, તો તેમની સારવાર કેવી રીતે કરવી જોઈએ.

આ વીલ વ્યક્તિને એ પણ સ્પષ્ટ કરવાની મંજૂરી આપે છે કે આ સમય દરમિયાન તેમને વેન્ટિલેટર જેવા લાઇફ સપોર્ટ પર રાખવા જોઈએ કે નહીં.

લિવિંગ વીલ એક એવું ડોક્યુમેન્ટ છે.જો કોઈ વ્યક્તિને એ બતાવવાનો અધિકાર આપે છે કે, લાંબા ગાળાની બીમારી દરમિયાન કોઈ મેડિકલ ટ્રીટમેન્ટનો ઉપયોગ ન કરવો જોઈએ તે સ્પષ્ટ કરવાનો અધિકાર આપે છે. ટુંકમાં તે વ્યક્તિને પરવાનગી સાથે મૃત્યુ પામવાનો અધિકાર આપે છે.

ભારતમાં, માનસિક રીતે સ્વસ્થ અને 18 વર્ષથી વધુ ઉંમરનો કોઈપણ પુખ્ત વ્યક્તિ લિવિંગ વીલ બનાવી શકે છે. સુપ્રીમ કોર્ટે 9 માર્ચ, 2018 ના રોજ કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં લિવિંગ વિલ અને પેસિવ યુથેનેશિયાને માન્યતા આપી હતી.

પાંચ ન્યાયાધીશોની બેન્ચે ઠરાવ્યું હતું કે, ગૌરવ સાથે મૃત્યુ પામવાનો અધિકાર જીવનના અધિકારનો એક ભાગ છે (કલમ 21). 2011 ના અરુણા શાનબાગ કેસમાં અગાઉ મર્યાદિત ધોરણે પેસિવ યુથેનેશિયાને મંજૂરી આપવામાં આવી હતી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
