AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

Read More

Breaking News : PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે "સોમનાથ સ્વાભિમાન પર્વ" માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે. 

શિવભક્તોની ભીડ, હાથમાં ડમરુ… શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી, જુઓ Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને સમર્પિત છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી છે.

Somnath Drone Show : સોમનાથ મંદિર, શિવલિંગ અને આકાશમાં બ્રહ્માંડની તસવીરો, ડ્રોન શો શું છે? કેવી રીતે બને છે આકાશમાં ઈમેજ

Somnath Temple : ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. 10 જાન્યુઆરીની સાંજે, મંદિર સંકુલમાં એક ડ્રોન શો યોજાયો હતો, જેમાં 3,000 ડ્રોનનો ઉપયોગ થયો હતો. (Photo: X/@narendramodi)

PM Modi Somnath Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું, 108 અશ્વસવાર સાથે શૌર્ય યાત્રા નીકળી, જુઓ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસ પર છે.PM મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું છે. આ દરમિયાન અનેક કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતુ. પરંપરાગત સોનાના આભૂષણ પહેરીને આહિરજ્ઞાતિની મહિલાઓ ગીતો ગાય રાસડે રમી હતી.

સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, 72 કલાકના અનુષ્ઠાન જાપમાં પણ જોડાયા, જુઓ Video

વડાપ્રધાન મોદી 10-12 જાન્યુઆરીએ ગુજરાતના 3-દિવસીય પ્રવાસે છે. તેમણે સોમનાથમાં ભવ્ય રોડ શો કર્યો, સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો અને ડ્રોન શો નિહાળ્યો.

Breaking News : PM નરેન્દ્ર મોદીનો સોમનાથ પ્રવાસ.. વિશેષ પૂજા અને કાર્યક્રમો સાથે ઉજવાયો “સોમનાથ સ્વાભિમાન પર્વ”, જુઓ Video

વડાપ્રધાન મોદીએ સોમનાથમાં જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે શૌર્ય યાત્રામાં ભાગ લીધો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી.

આક્રમણકારોએ સોમનાથ મંદિરને 7-7 વાર તોડ્યુ પરંતુ કરોડો સનાતનીઓની આસ્થાને ન તોડી શક્યા- હુમલાના 1000 વર્ષ પૂર્ણ, વાંચો- દિવ્ય સોમનાથના જિર્ણોદ્ધારની કથા

ભાઈશ્રી રમેશ ભાઈ ઓઝાના શબ્દોમાં કહીએ તો "ભગવાન શિવ સ્વયં મૃત્યુંજય છે એને તો કોણ તોડી શકે?  પરંતુ લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે. એ મજબૂત આસ્થાના પ્રતિક, ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ખૂબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે તેના ઉંચા શિખરો પર લહેરાતી ધજા સનાતનનો સંદેશો અને વિશ્વ બંધુત્વની વાત સમગ્ર વિશ્વને ગાઈ બજાવીને કહી રહી છે"  ત્યારે આજે વાત કરીએ એજ ભવ્ય-દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર વિશે.

કરોડો હિન્દુઓના આસ્થાના કેન્દ્ર સોમનાથ મંદિર ખાતે ઉજવાશે સ્વાભિમાન પર્વ, PM મોદી સહીતના મહાનુભવ રહેશે ઉપસ્થિત

સોમનાથ મહાદેવ પર મુસ્લિમ આક્રમણખોર મહંમદ ગઝનીએ કરેલા હુમલા અને લૂટફાટને 1000 વર્ષ પૂરા થયા છે. જ્યારે આ હુમલાથી ક્ષીણ થયેલા પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર કરાયાને 75 વર્ષ પૂરા થતા હોવાથી, સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવનાર છે. કરોડો હિન્દુઓની આસ્થા સમાન સોમનાથ મંદિર આજે પણ વિધ્વંશ સામે આત્મ સન્માનને ગૌરવવંતુ રાખવામાં આવ્યું છે. આગામી 11 જાન્યુઆરએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સોમનાથમાં રોડ શો કરીને જાહેર સભાને સંબોધન કરશે.

Breaking News : સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન, શિવભક્તોના નાદથી ગૂંજ્યું સોમનાથ

ભારતીય સંસ્કૃતિના સ્વાભિમાન અને અડગ આસ્થાના પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે "સોમનાથ સ્વાભિમાન પર્વ"નો પ્રારંભ થયો છે. પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યુ છે. 

ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.

રામાયણ અને મહાભારત કાળના સાક્ષી, ભારતના આ પ્રાચીન મંદિરો બે યુગને જોડે છે!

ભારતના કેટલાક પ્રાચીન અને પવિત્ર મંદિરો, જે મહાભારત અને રામાયણ બંને યુગના છે, તે પવિત્ર સ્થળો છે જ્યાં ભગવાન રામ અને પાંડવોએ એક સમયે પૂજા કરી હતી, અને આટલી સદીઓ પછી પણ તે જ સ્થાને છે.

વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા, સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂરા થતા, PM મોદીએ બ્લોગમાં લખ્યો લેખ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર લખેલો એક લેખ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પીએમ મોદીએ સોમનાથ મંદિર પરના પહેલા હુમલાની 1000 વર્ષ પૂરા થવા પર આ લેખ લખ્યો છે. લેખમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે, વિદેશી આક્રમણકારોએ મંદિરનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોમનાથ અડગ રહ્યુ. આ જ્યોતિર્લિંગ ભારતના આત્માનું પ્રતીક છે.

Christmas Celebration Places : પરિવાર અને મિત્રો સાથે આ ક્રિસમસની ઉજવણી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ સ્થળો

તો, જો 31 ડિસેમ્બરની સાંજે, તમે અચાનક નવા વર્ષની ઉજવણી ઘરે નહીં, પણ બહાર ક્યાંક કરવાનું નક્કી કરો છો, તો ફક્ત તમારા બેગ પેક કરો અને બહાર નીકળી જાઓ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ન્યુયર પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

Travel Trip : ન્યુયર પર માતા-પિતા સાથે આ ધાર્મિક સ્થળોએ દર્શન કરવાનો પ્લાન બનાવો

ગુજરાતમાં અનેક આધ્યાત્મિક સ્થળો આવેલા છે. તમે પણ નવા વર્ષની શરુઆત આ ધાર્મિક સ્થળોના દર્શન કરી શરુ કરી શકો છો. તો ચાલો આપણે જોઈએ ગુજરાતમાં તમે ક્યા ક્યા ધાર્મિક સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો.

New Year 2026 નો જશ્ન મનાવવા માટે બેસ્ટ છે ગુજરાતના આ ડ્રીમ ડેસ્ટિનેશન, પરિવાર સાથે બનાવી લો પ્લાન

દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિ આ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. જો તમે નવા વર્ષ 2026 માટે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાતમાં આ સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકે છે.

વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
વડોદરામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી વધુ એક ઘટના સામે આવી..
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
પીએમ મોદીએ કહ્યું, એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
કેન્દ્રીય બજેટની 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
લખપતિ દીદી પછી હવે મહિલાઓ માટે નવી SHE Mart યોજના
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">