સોમનાથ મંદિર
સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.
ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.
સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !
ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલુ સોમનાથ મંદિર એ માત્ર 12 જ્યોતિર્લિંગોમાંનું જ પ્રથમ જ્યોતિર્લિંગ નથી પરંતુ તે પ્રાચન ભારતીય સ્થાપત્ય અને વિજ્ઞાનના અદ્દભૂત સંગનું પણ પ્રતિક છે. આજે આપણે જે ભવ્ય મંદિર જોઈએ છીએ તેનાથી સેંકડો સદીઓ પહેલા અહીં એક એવુ શિવલિંગ બિરાજમાન હતુ જે કોઈપણ આધાર વિના જમીનથી અધ્ધર હવામાં સ્થિર અને સ્થિત રહેતુ હતુ. શું આ કોઈ ચમત્કાર હતો કે સદીઓ પહેલા આપણા પ્રાચીન કારીગરોએ શોધેલુ વિજ્ઞાન. ચાલો આજે સોમનાથ મંદિરના એ જમીનથી અધ્ધર હવામાં તરતા જ્યોતિર્લિંગના રહસ્યના ઈતિહાસને સમજીએ.
- Mina Pandya
- Updated on: May 11, 2026
- 9:55 pm
Breaking News : સોમનાથમાં મોદીનો હુંકાર, કહ્યું-દુનિયાની કોઈ તાકાત ભારતને ઝૂકાવી શકશે નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિતે ગુજરાત પ્રવાસ પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવમાં જનસભાને સંબોધિત કરી હતી. જાણો શું કહ્યું
- Nirupa Duva
- Updated on: May 11, 2026
- 2:05 pm
Breaking News : કુંભાભિષેક શું છે, સોમનાથ મંદિરમાં પહેલી વાર કરવામાં આવી રહેલી આ વિધિ આટલી ખાસ કેમ છે? જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સોમનાથ મંદિરના પુનનિર્માણની 75મી વર્ષગાંઠ અમૃત પર્વમાં ભાગ લીધો હતો.જ્યાં તેમણે પૂજા અર્ચના કરી હતી. આ પહેલા તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો. તો ચાલો આજે આપણે જાણીએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં કરેલા કુંભાભિષેકની વિધિ શું છે.
- Nirupa Duva
- Updated on: May 11, 2026
- 1:22 pm
સોમનાથ આકાશગંગામાં ગર્જશે વાયુસેનાના ફાઈટર જેટ્સ : સૂર્યકિરણ ટીમનો દિલધડક એર શો અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા
સોમનાથ મંદિરના પુન: નિર્માણના 75 વર્ષની ઉજવણીમાં ભારતીય વાયુસેના શૌર્યનો રંગ પૂરશે. 11મી મેના રોજ સવારે 11 વાગ્યે 'સૂર્યકિરણ' એરોબેટિક ટીમ દ્વારા ઐતિહાસિક એર શો યોજાશે, જેમાં 13 પાઈલટો હવામાં જોખમી કરતબો રજૂ કરશે. રિહર્સલ જોઈને જ સ્થાનિકો દંગ રહી ગયા છે.
- Sachin Agrawal
- Updated on: May 10, 2026
- 3:57 pm
PM મોદી, આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જામનગરમાં રાત્રીરોકાણ, સોમનાથ-વડોદરામાં વિવિધ કાર્યક્રમોમાં વિશેષ ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે જામનગર આવ્યા બાદ, આવતીકાલે સોમવારે સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: May 10, 2026
- 3:28 pm
Breaking News: સોમનાથમાં ઐતિહાસિક ક્ષણોનું સર્જન ! PM મોદીની હાજરીમાં ગુંજશે ‘હર હર મહાદેવ’, યોજાશે ભવ્ય એર શો, જુઓ Video
સોમનાથમાં અમૃત મહોત્સવને લઈને ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન 11 મેના રોજ સોમનાથ પહોંચશે, જ્યાં તેઓ ખાસ પૂજા અર્ચના સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. PM મોદીના આગમન પહેલા સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Kinjal Mishra
- Updated on: May 10, 2026
- 2:28 pm
Breaking News : પીએમ મોદીએ સોમનાથ પર લખ્યો લેખ, “આ માત્ર મંદિર નહીં, ભારતની અવિનાશી સંસ્કૃતિનું પ્રતિક”! જુઓ Video
પુનર્નિર્મિત સોમનાથ મંદિરના લોકાર્પણની 75મી વર્ષગાંઠ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11મી મેના રોજ પ્રથમ જ્યોર્તિલિગ સોમનાથ આવી રહ્યાં છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની ઐતિહાસિક ઘટનાને વડાપ્રધાન મોદીએ શબ્દોરુપી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર અંગે લખેલા વિશેષ લેખમાં સોમનાથ મંદિરની મહત્વતા અંગે ઉલ્લેખ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: May 8, 2026
- 9:28 am
IRCTC Breaking News : હર હર મહાદેવ! એક જ ટ્રેનમાં 7 જ્યોતિર્લિંગના દર્શન કરો, IRCTC એ પેકેજ લોન્ચ કર્યું,
Bharat Gaurav Tourist Train Yatra: IRCTC ભારત ગૌરવ ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રાનું એક ખાસ પેકેજ શરૂ કર્યું છે, જેમાં 11 રાત અને 12 દિવસમાં મુખ્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં આવશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 3, 2026
- 9:13 am
Breaking News : PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે "સોમનાથ સ્વાભિમાન પર્વ" માં ભાગ લેવા માટે સોમનાથ પહોંચ્યા છે. સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને PM મોદીએ અહીં સભામાં સંબોધન કર્યુ. સાથે જ PM મોદીએ સોમનાથ આક્રમણના શહીદોને કર્યા યાદ, કહ્યુ- સોમનાથ પરાક્રમ અને વીરતાનું સાક્ષી રહ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 11, 2026
- 12:41 pm
શિવભક્તોની ભીડ, હાથમાં ડમરુ… શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર યોદ્ધાઓને સમર્પિત છે. શૌર્ય યાત્રામાં 108 ઘોડાઓની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ સોમનાથ મંદિરમાં પૂજા કરી છે.
- Meera Kansagara
- Updated on: Jan 11, 2026
- 12:30 pm
Somnath Drone Show : સોમનાથ મંદિર, શિવલિંગ અને આકાશમાં બ્રહ્માંડની તસવીરો, ડ્રોન શો શું છે? કેવી રીતે બને છે આકાશમાં ઈમેજ
Somnath Temple : ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. 10 જાન્યુઆરીની સાંજે, મંદિર સંકુલમાં એક ડ્રોન શો યોજાયો હતો, જેમાં 3,000 ડ્રોનનો ઉપયોગ થયો હતો. (Photo: X/@narendramodi)
- Meera Kansagara
- Updated on: Jan 11, 2026
- 12:26 pm
PM Modi Somnath Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું, 108 અશ્વસવાર સાથે શૌર્ય યાત્રા નીકળી, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી ગુજરાતના પ્રવાસ પર છે.PM મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું છે. આ દરમિયાન અનેક કલાકારોએ પરફોર્મન્સ કર્યું હતુ. પરંપરાગત સોનાના આભૂષણ પહેરીને આહિરજ્ઞાતિની મહિલાઓ ગીતો ગાય રાસડે રમી હતી.
- TV9 Gujarati
- Updated on: Jan 11, 2026
- 10:45 am
સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, 72 કલાકના અનુષ્ઠાન જાપમાં પણ જોડાયા, જુઓ Video
વડાપ્રધાન મોદી 10-12 જાન્યુઆરીએ ગુજરાતના 3-દિવસીય પ્રવાસે છે. તેમણે સોમનાથમાં ભવ્ય રોડ શો કર્યો, સ્વાભિમાન પર્વમાં ભાગ લીધો અને ડ્રોન શો નિહાળ્યો.
- Sagar Solanki
- Updated on: Jan 10, 2026
- 10:33 pm
Breaking News : PM નરેન્દ્ર મોદીનો સોમનાથ પ્રવાસ.. વિશેષ પૂજા અને કાર્યક્રમો સાથે ઉજવાયો “સોમનાથ સ્વાભિમાન પર્વ”, જુઓ Video
વડાપ્રધાન મોદીએ સોમનાથમાં જ્યોતિર્લિંગના દર્શન અને પૂજા કરી ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે શૌર્ય યાત્રામાં ભાગ લીધો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી.
- TV9 Gujarati
- Updated on: Jan 10, 2026
- 7:01 pm
આક્રમણકારોએ સોમનાથ મંદિરને 7-7 વાર તોડ્યુ પરંતુ કરોડો સનાતનીઓની આસ્થાને ન તોડી શક્યા- હુમલાના 1000 વર્ષ પૂર્ણ, વાંચો- દિવ્ય સોમનાથના જિર્ણોદ્ધારની કથા
ભાઈશ્રી રમેશ ભાઈ ઓઝાના શબ્દોમાં કહીએ તો "ભગવાન શિવ સ્વયં મૃત્યુંજય છે એને તો કોણ તોડી શકે? પરંતુ લોકોની આસ્થાને પણ કોઈ તોડી ન શકે. એ મજબૂત આસ્થાના પ્રતિક, ભવ્ય અને દિવ્ય સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ખૂબ ગૌરવ સાથે અને મજબૂત શ્રદ્ધા સાથે તેના ઉંચા શિખરો પર લહેરાતી ધજા સનાતનનો સંદેશો અને વિશ્વ બંધુત્વની વાત સમગ્ર વિશ્વને ગાઈ બજાવીને કહી રહી છે" ત્યારે આજે વાત કરીએ એજ ભવ્ય-દિવ્ય સોમનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર વિશે.
- Mina Pandya
- Updated on: Feb 3, 2026
- 7:19 pm