સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

Read More

IPL 2024: સતત હારનો સામનો કરી રહેલા હાર્દિક પંડ્યાને આવી ભગવાનની યાદ, સોમનાથ મહાદેવના શરણે જઈ નમાવ્યુ શિષ- જુઓ Photos

IPL 2024: છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પંડ્યા IPL માં સારુ પ્રદર્શન નથી કરી રહ્યા અને તેમની ટીમ પણ મુંબઈ ઈન્ડિયન્સ પણ ત્રણ મેચ હારી ચુકી છે. ત્યારે સતત હારનો સામનો કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને હવે ભગવાન યાદ આવ્યા છે. હાર્દિક પંડ્યાએ આજે સોમનાથ જઈ મહાદેવના ચરણોમાં શિષ નમાવ્યુ હતુ.

સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ પર કરાયુ વૈદિક હોલિકા દહન, ગાયનુ છાણ, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપુર સહિતની ઔષધિનો કરાયો ઉપયોગ- જુઓ તસવીરો

સોમનાથમાં આજે હોળી પર્વ નિમીત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કરવામાં આવ્યુ. આ હોલિકા દહનમાં ગાયનું છાણ, ગીર ગાયનું ઘી, સમીધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ, કપૂર અને ઔષધિઓનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

સૌરાષ્ટ્રના 5 જિલ્લાની સફર કરો માત્ર એક જ ટ્રેનમાં, બાળકો સાથે ફરી લો અનેક સ્થળો

વાત જ્યારે બાળકોના વેકેશન અને ફરવાની આવે ત્યારે ચોક્કસ ગુજરાતનું સૌરાષ્ટ્ર તો યાદ આવે જ. આજે અમે તમને એવી ટ્રેન વિશે જણાવશું કે તે ન માત્ર એક કે બે પરંતુ સૌરાષ્ટ્રના એકસાથે 5 જિલ્લાઓને કવર કરે છે.

અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી સોમનાથ મહાદેવના દર્શનાર્થે, જુઓ ફોટા

અંબાણી પરિવારના મોભી કોકીલાબેન અંબાણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોચ્યા હતા. જ્યાં તેમણે સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, સોમેશ્વર મહાપૂજન, ધ્વજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોકીલાબેન અંબાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પાર્થેશ્વર મંદિરમાં મહાપૂજા સાથે વિશેષ શિવલિંગનું પૂજન, જુઓ વીડિયો

મહાશિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરાવવામાં આવી છે. તો મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે 1 હજાર પરિવારો દ્વારા પાર્થેશ્વર મહાપુજા કરવામાં આવી હતી.

Mahashivratri 2024: પ્રથમ જ્યોર્તિર્લીંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video

આજે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે ભાવિકોના ઘોડાપૂરને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે 4:00 વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે.

મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર 42 કલાક રહેશે ખુલ્લુ, ભાવિકો માટે કરાયા વિવિધ ભક્તિમય આયોજનો- Photos

મહાશિવરાત્રીને ધ્યાને રાખી સોમનાથ મંદિર સતત 42 કલાક ખુલ્લુ રહેશે. આ દિવસે દરિયા કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલીંગ મહાપૂજા, તેમજ સોમનાથ મંદિરમાં ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજા, અને પાઘ પૂજાનો લાભ મળશે. આ ઉપરાંત મહાશિવરાત્રીના દિવસે સાંજે 6.30 કલાકે ઐતિહાસિક ગાથાને ઉજાગર કરતી 'જયતુ સોમનાથ' સંગીત નાટિકા યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વે શ્રદ્ધાળુઓને કરાવાશે પાર્થીવેશ્વર શિવલિંગની પૂજા, આ પૂજાના કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણવા જુઓ તસવીરો

મહાશિવરાત્રીના પર્વે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ શ્રદ્ધાળુઓને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીની મહાપૂજા કરાવવાનું ખાસ આયોજન કરવામાં આવ્યુ છે. આ પૂજા માટે ટ્રસ્ટ દ્વારા માત્ર 251- ₹ માં પાર્થેશ્વર પુજન આયોજન કરાયુ છે. 8 માર્ચે સોમનાથ મંદિર પરિસર નજીક પ્રમોનેડ વોક-વે પર મારુતિ બીચ ખાતે આ પૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે.

ગીર સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા વિમલ ચુડાસમાએ કરી રજૂઆત, પોરબંદર-છાયા અને નડિયાદને અપાયો મનપાનો દરજ્જો- વીડિયો

ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ગઈકાલે પોરબંદર-છાયા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ હતી. જે બાદ ગીર સોમનાથને પણ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની ધારાસભ્ય વિમલ ચુડાસમાએ રજૂઆત કરી છે.

સોમનાથમાં મંદિર પરિસરની આસપાસનો રસ્તો અચાનક બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ, વેપારીઓએ સજ્જડ બંધ પાળી કર્યો વિરોધ

ગીર સોમનાથમાં સોમનાથ મંદિર પરિસરની આસપાસ આવેલા રસ્તાઓ પર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અચાનક બંધ કરી દિવાલો બનાવી દેતા સ્થાનિકો રોષે ભરાયા છે, આ નિર્ણયના વિરોધમાં સ્થાનિકો અને વેપારીઓએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે સોમનાથ મહાદેવના કર્યા દર્શન, પ્રથમ જ્યોતિર્લિંગને અભિષેક કરી અનુભવી ધન્યતા- જુઓ Photos

રાજ્યના ડીજીપી વિકાસ સહાય વેરાવળમાંથી 300 કરોડનું ડ્રગ્સ જપ્ત કરનારા પોલીસકર્મીઓનું સન્માન કરવા માટે ગીરસોમનાથ પહોંચ્યા હતા. આ કામગીરી બદલ રાજ્ય સરકારે 10 લાખનું પ્રોત્સાહિત ઈનામ પણ જાહેર કર્યુ છે. ત્યારે ડીજીપી ખુદ આ પોલીસકર્મીઓના સન્માન માટે પહોંચ્યા હતા. એ પહેલા તેમણે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સોમનાથ દાદાના કરો દર્શન… સુરત-અમદાવાદથી નીકળે છે આ ટ્રેન, રાજકોટ સહિત 15થી વધારે સ્ટેશનો પર થાય છે સ્ટોપ

જે લોકોએ ગીરમાં ફરવા જવું છે તેમના માટે મુંબઈથી આવતી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન બેસ્ટ છે. આ ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ હોય છે. તો આ ટ્રેનમાં જવા માટે તમારે વહેલી તકે બુકિંગ કરાવવું પડે છે.

રેલવે દ્વારા સસ્તામાં ફરો ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ સહિત આ સ્થળો કરશે કવર, જુઓ શેડ્યૂલ

IRCTC, ભારતીય રેલવે દ્વારા, એક સસ્તું ટૂર પેકેજ લોન્ચ કર્યું છે, જેમાં તમે ગુજરાતમાં ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. મહત્વનું છે કે ગુજરાતના ફરવાલાયક અને ખાસ કરીને ધાર્મિક સ્થળોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. જેનું લિસ્ટ અહી છે. 

બરડા ડુંગર સર્કિટમાં બનશે જંગલ સફારી, જાબુંવનની ગુફા અને મોકરસાગર જળાશયનો થશે વિકાસ, ગૃહમાં પ્રવાસન મંત્રીએ આપી માહિતી

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુ છે, જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવાસન સ્થળોના વિકાસ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.જેના જવાબમાં પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ ગુજરાતમાં યાત્રાધામો સાથે પ્રવાસન સ્થળોનો પણ વિકાસ કરવા અંગેની માહિતી આપી હતી.

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">