AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર

સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.

આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.

Read More

History of city name : પ્રભાસ-પાટણના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

પ્રભાસ પાટણ, જેને સંક્ષિપ્તમાં પ્રભાસ પણ કહેવામાં આવે છે, તેના નામનું મૂળ "પ્રભાસ" શબ્દ છે, જે સંસ્કૃતમાં "પ્રકાશ" અથવા "પ્રભા" માટે વપરાય છે. અહીં "પાટણ"નો અર્થ છે નગર અથવા વસાહત. આ શહેરનું નામ કદાચ તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને કારણે પડ્યું હશે.

Video : PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

વડાપ્રધાન મોદીએ દાહોદમાં 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું. આમાં ભારતનું પ્રથમ 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેન અને નવા રેલ્વે ઉત્પાદન એકમનો સમાવેશ થાય છે.

Travel Tips : IRCTCના આ ટેમ્પલ ટુર પેકેજમાં માતા-પિતાને પ્રવાસ કરાવો

IRCTC ટૂર પેકેજોમાં, મુસાફરીનું આયોજન અગાઉથી કરવામાં આવે છે. તેથી, તમને અગાઉથી ખબર પડી જાય છે કે તમને કયા મંદિરોની મુલાકાત લેવાની તક મળશે. ટૂર પેકેજો પરિવાર સાથે મુસાફરી યાદગાર બનશે. કારણ કે તેમાં મુસાફરી, ભોજન અને રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.

Travel Tips : ગોવાને પણ ટકકર આપે છે ગુજરાતનો આ બીચ, મે મહિનામાં ફરવા માટે બેસ્ટ છે, જુઓ ફોટો

મે મહિનામાં ગુજરાતમાં ખૂબ ગરમી પડે છે, તેથી મુસાફરી કરતી વખતે સ્વાસ્થનું જરુર ધ્યાન રાખવું. ગરમીથી રાહત મેળવવા માટે તમે દરિયાકિનારા અથવા હિલ સ્ટેશન પર જઈ શકો છો.મે મહિનામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો વિશે વાત કરીએ.

પ્રવાસીઓ માટે ગુડ ન્યુઝ, એસટીના સસ્તા ટુર પેકેજમાં AC વોલ્વો બસમાં બેસી પરિવાર સાથે બનાવી લો ફરવાનો પ્લાન

ગુજરાત એસટી નિગમની મહાકુંભની સફળતા બાદ ગુજરાતના પ્રવાસન વિભાગે એક ટૂર પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ 2 દિવસ અને 1 રાત્રિનું રહેશે.ટૂર પેકેજ AC વોલ્વો બસમાં મુસાફરી કરવાની રહેશે.

માધવપુરનો માંડવો, આવે જાદવકૂળની જાન… પરણે રાણી રુક્ષમણી… વર વાંછિત શ્રીભગવાન- માધવરાયના લગ્નમાં ભાગ લેવા પહોંચ્યા કલાકારો- Photos

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના પાવન સાનિધ્યમાં હાલ પૂર્વોત્તરથી પશ્ચિમનો અલૌકિક સંગમ જોવા મળી રહ્યો છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાંથી માધવપુરમાં આયોજિત થતા ભવ્ય મેળાની પ્રિઈવેન્ટ માટે 400 થી વધુ કલાકારો આવી પહોંચ્યા છે. આ અગાઉ તેમણે સોમનાથમાં ધ્વજાપૂજા કરી હતી.

History of city name : ગુજરાતમાં આવેલા જ્યોતિર્લિંગનું નામ ‘સોમનાથ’ કેવી રીતે પડ્યું? જાણો તેની સાથે સંકળાયેલી રસપ્રદ કહાની

ગીર સોમનાથનો ઈતિહાસ ધર્મ, આક્રમણો અને પુનઃનિર્માણની ગાથાઓથી ભરેલો છે. એક તરફ અહીં સોમનાથ મંદિરના પવિત્ર દર્શન છે, તો બીજી તરફ ગીર જંગલનું કુદરતી સૌંદર્ય અને વન્યજીવન છે. આજે, ગીર સોમનાથ ગુજરાતનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને પર્યટન સ્થળ છે, જ્યાં વિશ્વભરના ભક્તો અને પ્રવાસીઓ દર વર્ષે આવે છે.

IND vs NZ, Champions Trophy 2025 : ભારતે ન્યુઝીલેન્ડને 44 રનથી હરાવ્યું, વરુણ ચક્રવર્તીની પાંચ વિકેટ

આજ 02 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

સાત વખત તોડાયુ, લૂંટાયુ અને ફરી બંધાયુ… 50 હજારથી વધુ હિંદુની કત્લેઆમ, સ્રીઓના શિયળ લૂંટાયા, આવી છે સોમનાથના જિર્ણોદ્ધારની કહાની- વાંચો

ભારતમાં સૌથી વધુવાર જો કોઈ મંદિરને લૂંટવામા આવ્યુ હોય તો તે ગુજરાતનું સોમનાથ મંદિર છે. આ મંદિરને અનેકવાર લૂંટવામાં આવ્યુ અને તોડી નાખવામાં આવ્યુ પરંતુ ભક્તોએ વારંવાર તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક એવા સોમનાથ મંદિરનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આજે આપને સોમનાથ મંદિરના મંદિરને કેટલીવાર તોડવામાં આવ્યુ, કોણે કોણે આ મંદિરને ફરી બનાવ્યુ, કોણે આ મંદિરને તોડવાની અને લૂંટવાની કોશિશ કરી એ તમામ બાબતો અંગે જણાવશુ.

Somnath : મહાશિવરાત્રીના પર્વ પર હર્ષ સંઘવી અને પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સોમનાથમાં કર્યા દર્શન, જુઓ Video

આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હોવાથી તમામ શિવાલયોમાં ભક્તોની ભારે ભીજ જામી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં છે.

મહાશિવરાત્રીના પર્વ પર ઘરે બેઠા કરો સોમનાથ મહાદેવના વિશેષ શ્રૃંગારના દર્શન, મંદિરમાં આજે શિવ મહારુદ્ર યજ્ઞ, જુઓ Video

સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રીનો પ્રારંભ થયો છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે વહેલી સવારથી ભાવિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સોમનાથમાં હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર સતત ગુંજી રહ્યુ છે. મહાશિવરાત્રીના પર્વે સોમેશ્વર મહાદેવને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. શિવરાત્રી નિમિત્તે સોમનાથ ધામમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ છે. 

Mahashivratri 2025 : 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો બનાવી રહ્યા છો પ્લાન, તો જાણો નજીકનું રેલવે સ્ટેશન કયું છે?

શિવ પુરાણમાં ભગવાન શિવ અને તેમના 12 જ્યોતિર્લિંગોના વિવિધ અવતારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે આપણે 12 જ્યોર્તિર્લિંગના દર્શન કેવી રીતે કરશો તેના વિશે જણાવીશું.

સોમનાથ મંદિરને તોડનારા, લૂંટનારા અને લાખો હિંદુઓની કતલેઆમ કરનારા આ મુસ્લિમ આક્રાંતાની પાકિસ્તાન કેમ કરે છે પૂજા?

મહાશિવરાત્રીના પર્વે વાત કરવી છે સોમનાથ મંદિરને લૂંટનારા, 25 વર્ષમાં 17-17 વાર ભારત પર આક્રમણ કરનારા, લાખો હિંદુઓને મોતને ઘાટ ઉતારનારા મહમુદ ગઝની વિશે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં બેફામ લૂંટફાટ મચાવનારા, અનેક નિર્દોષો ને તલવારના જોરે મોતને ઘાટ ઉતારનારા આ મુસ્લિમ આક્રાંતાને આપણો પડોશી દેશ પાકિસ્તાન ઈશ્વરની જેમ પૂજે છે અને તેને ઈસ્લામનો મસીહા અને સૌથી મોટો જેહાદ્દી પણ ગણાવે છે.

Travel With Tv9 : મહાશિવરાત્રી પર કરો સોમનાથ મહાદેવના દર્શન, આ રહ્યો તમારો ટ્રાવેલ પ્લાન

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા મહાદેવના ક્યાં મંદિરે તમે શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિરે જવાનો ટ્રાવેલ પ્લાન જોઈશું.

g clip-path="url(#clip0_868_265)">