સોમનાથ મંદિર
સોમનાથ મંદિર એ ગુજરાત રાજ્ય સ્થિત એક ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક શિવ મંદિર છે. આ મંદિર ભારતીય ઈતિહાસ અને હિન્દુઓના પસંદગીના અને મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક માનવમાં આવે છે. કારણ કે, અહીં 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે આ સ્થાનને પૂજવામાં આવે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના વેરાવળ બંદરે આવેલા આ મંદિર વિશે એવું કહેવાય છે કે તે ચંદ્રદેવે પોતે આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ સ્પષ્ટ રીતે કરવામાં આવ્યો છે.
ખાસ કરીને આ સોમનાથ મંદિર હિંદુ ધર્મના ઉદય અને પતનના ઈતિહાસનું પ્રતિક માનવમાં આવે છે. આ મંદિરને ઇતિહાસમાં ઘણી વખત તોડીને ફરીથી બનાવવામાં આવ્યું હતું. વર્તમાન ઇમારતનું પુનઃનિર્માણ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ભારતની આઝાદી પછી શરૂ કરવામાં આવ્યું હતું અને 1 ડિસેમ્બર 1955ના રોજ ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
આ ઉપરાંત અહીં ત્રણ નદીઓ હિરણ, કપિલા અને સરસ્વતીનો પણ મોટો સંગમ છે. આ ત્રિવેણી સ્નાનનું વિશેષ મહત્વ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે.
New Year 2026 નો જશ્ન મનાવવા માટે બેસ્ટ છે ગુજરાતના આ ડ્રીમ ડેસ્ટિનેશન, પરિવાર સાથે બનાવી લો પ્લાન
દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાથી રાહ જુએ છે. દરેક વ્યક્તિ આ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. જો તમે નવા વર્ષ 2026 માટે તમારા પરિવાર સાથે ક્યાંય ફરવાનું આયોજન કરી રહ્યા છો, તો ગુજરાતમાં આ સ્થળોએ જવાનો પ્લાન બનાવી શકે છે.
- Nirupa Duva
- Updated on: Dec 2, 2025
- 4:21 pm
Travel Tips : શિયાળામાં ગુજરાતના આ સ્થળોની મુલાકાત લીધા પછી તમને ઘરે પાછા ફરવાનું મન નહીં થાય
શિયાળો,ઉનાળો કે પછી ચોમાસું જે ફરવાના શૌખીન છે ,તેમને કોઈ પણ ઋતુ અડચણમાં આવતી નથી. ત્યારે ગુલાબી ઠંડીમાં તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ગુજરાતના આ સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Nov 18, 2025
- 3:56 pm
Breaking News : ગીરસોમનાથમાંથી 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત, દિલ્લી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓના દેશભરમાં દરોડા
દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં દરોડા પાડ્યાં છે. ગુજરાતભરમાં પણ સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ત્યારે ગીર સોમનાથમાંથી પોલીસે 3 શંકાસ્પદ કાશ્મીરી લોકોની અટકાયત કરી છે.
- Harin Matravadia
- Updated on: Nov 13, 2025
- 12:22 pm
ગીર સોમનાથના કોડિનારમાં 10 ઈંચ તો સૂત્રાપાડામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ, ઠેર-ઠેરથી સામે આવ્યા તારાજીના દૃશ્યો- Video
ગીરસોમનાથના કોડીનારમાં ભારે વરસાદ બાદ હાલાકીના દૃશ્યો સર્જાયા છે. એક જ રાતમાં એકસામટો 10 ઈંચ વરસાદ તૂટી પડતા ચોમેર પાણી ભરાયા છે. જિલ્લામાં અનેક સ્થળોથી હાલાકી અને તારાજીના દૃશ્યો સામે આવી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 29, 2025
- 1:30 pm
ધુમ્મસને કારણે ફ્લાઈટ રદ ના થાય તે માટે કેશોદ એરપોર્ટ પર લગાવાશે એડવાન્સ્ડ નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ, કેશોદ એરપોર્ટ પર વહેલી સવારના ધુમ્મસ અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) સહિત અપૂરતા નેવિગેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે ફ્લાઇટ્સ વારંવાર રદ થવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Sep 18, 2025
- 8:21 pm
Gir Somnath : બારે મેઘ ખાંગા ! ધોધમાર વરસાદથી નદીઓ બની ગાંડીતૂર, તાલાલામાં આંબળાશ ગામ બેટમાં ફેરવાયું, જુઓ Video
હવામાન વિભાગની ભારેની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સૂત્રાપાડા, ઊના, કોડીનાર, વેરાવળ, ગીરગઢડા તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2025
- 11:28 am
Richest Temples in Gujarat : ગુજરાતના સૌથી અમીર મંદિરોમાં આવે છે કરોડો રૂપિયાનું દાન, જાણો ભક્તિ અને આસ્થાના ધામ વિશે
ગુજરાતના ઘણા પ્રખ્યાત મંદિરો ધાર્મિક આસ્થાના કેન્દ્રો હોવા ઉપરાંત, ધનિક પણ છે. અહીં ગુજરાતના આ મંદિરો વિશે તમે જાણશો જે અનેક રીતે પ્રખ્યાત અને ધનિક છે.
- Sagar Solanki
- Updated on: Jul 25, 2025
- 5:04 pm
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે ગુજરાતભરના શિવાલયોમાં ઉમટ્યાં ભાવિ ભક્તો, જુઓ Video
આજથી પાવન શ્રાવણ માસના પ્રારંભે શિવમંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં આવેલા ભવનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની હકડેઠાઠ ભીડ જામી હતી. મંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તો ધન્યતાની અનુભૂતિ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2025
- 3:01 pm
Travel Tips : શિવ ભક્તો માટે ગુજરાતમાં શ્રાવણ મહિનામાં ફરવા માટે બેસ્ટ શિવ મંદિરો, જુઓ ફોટો
શ્રાવણ મહિનો આવતા જ મંદિરો હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠે છે. ગુજરાતમાં માત્ર સોમનાથ મંદિર જ નહીં, ગુજરાતમાં બીજા અનેક શિવ મંદિરો આવેલા છે, જે ભક્તોને શાંતિનો અનુભવ કરાવે છે. તો ચાલો જોઈએ શ્રાવણ મહિનામાં ફરવા માટે બેસ્ટ ગુજરાતના શિવ મંદિરો વિશે.
- Nirupa Duva
- Updated on: Jul 13, 2025
- 12:29 pm
Travel Tips : પરિવાર સાથે ગુજરાતના આ 29 સ્થળોએ કારવાં ટુરિઝમની લગ્ઝરી મુસાફરી કરો
બસ,ટ્રેન, ફ્લાઈટ,સોલો કે પછી બાઈક રાઈડિંગ કરીને તો બધા ખુબ પ્રવાસ કરે છે. ત્યારે હવે તમે કારવા ટુરિઝમ દ્વારા એક લગ્ઝરી આનંદ લઈ શકશો.ગુજરાત ટુરિઝમ 29 સ્થળોએ કારવાં ટુરિઝમ શરૂ કરી રહ્યું છે, તો સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jun 17, 2025
- 4:29 pm
History of city name : પ્રભાસ-પાટણના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
પ્રભાસ પાટણ, જેને સંક્ષિપ્તમાં પ્રભાસ પણ કહેવામાં આવે છે, તેના નામનું મૂળ "પ્રભાસ" શબ્દ છે, જે સંસ્કૃતમાં "પ્રકાશ" અથવા "પ્રભા" માટે વપરાય છે. અહીં "પાટણ"નો અર્થ છે નગર અથવા વસાહત. આ શહેરનું નામ કદાચ તેના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વને કારણે પડ્યું હશે.
- Ashvin Patel
- Updated on: Jun 5, 2025
- 11:13 am
Video : PM મોદીએ ઇલેક્ટ્રિક એન્જિન ચાલુ કર્યું, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી
વડાપ્રધાન મોદીએ દાહોદમાં 24,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું. આમાં ભારતનું પ્રથમ 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટિવ, સોમનાથ-અમદાવાદ વંદે ભારત ટ્રેન અને નવા રેલ્વે ઉત્પાદન એકમનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: May 26, 2025
- 12:39 pm
Travel Tips : IRCTCના આ ટેમ્પલ ટુર પેકેજમાં માતા-પિતાને પ્રવાસ કરાવો
IRCTC ટૂર પેકેજોમાં, મુસાફરીનું આયોજન અગાઉથી કરવામાં આવે છે. તેથી, તમને અગાઉથી ખબર પડી જાય છે કે તમને કયા મંદિરોની મુલાકાત લેવાની તક મળશે. ટૂર પેકેજો પરિવાર સાથે મુસાફરી યાદગાર બનશે. કારણ કે તેમાં મુસાફરી, ભોજન અને રહેવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
- Nirupa Duva
- Updated on: May 18, 2025
- 4:42 pm
Pahalgam Terror Attack : પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, અંબાજી, દ્વારકા, સોમનાથમાં સુરક્ષા વધારી, જુઓ Video
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલા બાદ તંત્ર એલર્ટ પર છે. જેના પગલે કાશ્મીર સહિત દેશભરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને ભારતમાં આવેલા પર્યટન સ્થળો પર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં આવેલા તીર્થ સ્થાનોની સુરક્ષા વધારવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 24, 2025
- 1:36 pm
Travel Tips : ગોવાને પણ ટકકર આપે છે ગુજરાતનો આ બીચ, મે મહિનામાં ફરવા માટે બેસ્ટ છે, જુઓ ફોટો
મે મહિનામાં ગુજરાતમાં ખૂબ ગરમી પડે છે, તેથી મુસાફરી કરતી વખતે સ્વાસ્થનું જરુર ધ્યાન રાખવું. ગરમીથી રાહત મેળવવા માટે તમે દરિયાકિનારા અથવા હિલ સ્ટેશન પર જઈ શકો છો.મે મહિનામાં ગુજરાતમાં ફરવા લાયક સ્થળો વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Apr 23, 2025
- 9:26 am