AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેખ હસીના

શેખ હસીના

શેખ હસીના બાંગ્લાદેશના રાજકારણી મહિલા છે.શેખ હસીનાના પિતા અવામી લીગના નેતા અને બાંગ્લાદેશના સ્થાપક હતા. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. શેખ હસીના વાજેદ જાન્યુઆરી 2009થી બાંગ્લાદેશના દસમા વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમયથી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. અવામી પાર્ટીના નેતા શેખ હસીનાએ 1996માં પહેલીવાર ચૂંટણી જીતી હતી.

ઝિયાએ કાર્યવાહક સરકારમાંથી રાજીનામું આપ્યું હતુ. જેના પગલે જૂન 1996ની ચૂંટણી બાદ હસીના વડા પ્રધાન બન્યા.જો કે શેખ હસીના 1996માં કેરટેકર સરકાર ન બનાવવા માટે ચૂંટણીમાંથી ખસી ગયા હતા. 2009માં શેખ હસીના સત્તામાં પરત આવ્યા હતા. શેખ હસીનાની સરકારે ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સક્રિય એવા વંશીય વિદ્રોહી જૂથો સામે પગલાં લીધાં, જેઓ બાંગ્લાદેશમાં રહીને ભારતમાં હિંસા ફેલાવી રહ્યા હતા.તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશમાં આર્થિક વૃદ્ધિ અને ગરીબી ઘટાડાની શરૂઆત થઈ. તે બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે, આઝાદી પછી કોઈપણ બાંગ્લાદેશી વડા પ્રધાન માટે કુલ 19 વર્ષથી વધુ સમય સેવા આપે છે.

જો કે ઘણી વાર તેમની સરકાર પર વ્યવસ્થિત અને ન્યાયિક રીતે સજા આપવાનો અને ઘણા રાજકારણીઓ અને પત્રકારોને ગાયબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હસીનાનો 2018માં ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

Read More

Bangladesh Election Breaking: CM વગર દેશ કેવી રીતે ચાલે છે? ચૂંટણી ભારત-પાકિસ્તાનથી કેટલી અલગ? જાણો

પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ સંસદીય ચૂંટણી યોજાઈ રહી છે. 350 સભ્યોની સંસદ, જેમાંથી 50 બેઠકો મહિલાઓ માટે અનામત છે, અને રાજ્ય કે મુખ્યમંત્રી વગરની એકાત્મક પ્રણાલી બાંગ્લાદેશને ભારત અને પાકિસ્તાનથી અલગ બનાવે છે.

  • Nishat
  • Updated on: Feb 12, 2026
  • 9:34 am

Bangladesh Election Breaking: બાંગ્લાદેશની ચૂંટણીમાં આજે કોણ મારશે બાજી? BNP અને જમાત વચ્ચે કાંટાની ટક્કર

બાંગ્લાદેશમાં આજે સંસદીય ચૂંટણી અને જુલાઈ ચાર્ટર રેફરેન્ડમ માટે મતદાન થઈ રહ્યું છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની આવામી લીગ પર પ્રતિબંધ બાદ મુખ્ય મુકાબલો BNP અને જમાત વચ્ચે છે. મતદારો સરકાર સાથે બંધારણીય સુધારાઓ પર પણ મત આપશે. પરિણામ શુક્રવારે જાહેર થશે.

  • Nishat
  • Updated on: Feb 12, 2026
  • 8:14 am

Bangladesh Election : બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણી, 59 પક્ષો, 2028 ઉમેદવારોની રાજકીય કસોટી

બાંગ્લાદેશમાં પૂર્વ PM શેખ હસીનાના પતન બાદ મહંમદ યુનુસની અંતરિમ સરકાર હેઠળ પ્રથમ સંસદીય ચૂંટણી યોજાઈ રહી છે. BNP અને જમાત-એ-ઇસ્લામી સહિત 59 પક્ષોના 2028 ઉમેદવારો મેદાનમાં છે.

Breaking News : રાજકારણમાંથી સન્યાસ લેશે શેખ હસીના! ભારત-બાંગ્લાદેશ સંબંધો પર શું અસર પડશે? જાણો

શેખ હસીના રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે, જેની પુષ્ટિ તેમના પુત્ર સજીબ વાઝેદ જોયે કરી. વધતી ઉંમર અને લાંબા રાજકીય જીવનને કારણે આ નિર્ણય લેવાયો છે.

Khaleda Zia Death : બાંગ્લાદેશના પહેલા મહિલા વડાપ્રધાન ખાલિદા શેખ ઝિયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

 બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમની હાલત ગંભીર હતી. બેગમ ખાલિદા ઝિયા એક અગ્રણી રાજકારણી અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા. તેઓ પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓમાંના એક ગણાતા હતા. 

શેખ હસીના નહીં, આ ચાર મહિલાઓ બાંગ્લાદેશમાં કટ્ટરપંથી રાજકારણનો લાવશે અંત, જાણો કોણ છે ?

શેખ હસીનાની ગેરહાજરીમાં બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના પુનરાગમનની આશંકા હતી. પરંતુ હવે ચાર શક્તિશાળી મહિલા નેતાઓએ ખુલ્લેઆમ કટ્ટરવાદ સામે મોરચો માંડ્યો છે.

17 વર્ષ સુધી ગુમનામીની જિંદગી અને અચાનક સૌથી મોટી સોગંદ તોડીને બાંગ્લાદેશની રાજનીતિમાં એન્ટ્રી કરનારા તારીક રહેમાન કોણ છે?- વાંચો

BNP કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન તેમની પત્ની ડૉ. ઝુબૈદા રહેમાન અને પુત્રી બેરિસ્ટર ઝૈમા સાથે  ઢાકા પહોંચ્યા પછી, તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, "6,314 દિવસ પછી બાંગ્લાદેશ. હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ અને BNP માટે આ એક નિર્ણાયક ક્ષણ છે." તેમની આ વાપસી ફેબ્રુઆરીમાં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા થઈ છે, આ ચૂંટણીઓ ભારતની બોર્ડર સિક્યોરિટી માટે પણ મહત્વપૂર્ણ છે. તારીક રહેમાનની વાપસી ભારત માટે ખાસ મહત્વ ધરાવે છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત તરફી અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ખાલિદા ઝિયા હોસ્પિટલમાં દાખલ છે.

બાંગ્લાદેશમાં સ્થિતિ થઇ આઉટ ઓફ કંટ્રોલ, ભારત વિરોધી પ્રદર્શન, આવામી લીગના કાર્યાલયો પર હુમલા

પડોશી દેશ બાંગ્લાદેશ ફરી એકવાર ગંભીર રાજકીય અને સામાજિક ઉથલપાથલની ઝપેટમાં આવી ગયો છે. ભારત વિરોધી કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનોએ માત્ર કાયદો અને વ્યવસ્થાને પડકાર્યો નથી, પરંતુ ભારત-બાંગ્લાદેશ સંબંધોને પણ તણાવના નવા સ્તરે પહોંચાડ્યા છે.

શેખ હસીનાની સજા જાહેર થયા બાદ યુનુસે મોટું પગલું ભર્યું, ભારતને સત્તાવાર પત્ર મોકલીને પ્રત્યાર્પણની માંગણી કરી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને એક સત્તાવાર પત્ર મોકલીને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરી છે. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) એ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં ભારતમાં છે.

‘મોહમ્મદ યુનુસ મારી માતા ને ટચ પણ ન કરી શકે’- શેખ હસીના ના પુત્રએ કર્યો દાવો

બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમના પુત્રએ કહ્યુ,"કોઈપણ પ્રત્યાર્પણ કરતા પહેલા સંધિની સાથે કાયદો હોવો જોઈએ. સૌથી પહેલા તો એક લીગલ સરકાર હોવી જોઈએ. જે યુનુસની સરકાર છે નહીં. બીજુ એ કે, ડ્યુ પ્રોસેસ ફોલો થવી જોઈએ, જે ફોલો નથી કરવામાં આવી. પ્રોસેસ ખુદ લીગલ હોવી જોઈએ અને બાંગ્લાદેશમાં પ્રોસેસ સંપૂર્ણપણે ગેરકાયદે હતી.

મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો

"ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને સોંપી શકશે નહીં. જો ભારત આવું કરશે, તો બાંગ્લાદેશમાંથી આવામી લીગનો નાશ થશે. પછી ઇસ્લામિક દળો સત્તામાં હશે, અને ચીન અને પાકિસ્તાન સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવશે. ભલે બીએનપીને યુએસનું સમર્થન હોય, પણ યુએસ ક્યારેય બાંગ્લાદેશમાં મોટી શક્તિ બની શકશે નહીં. શેખ હસીનાને સોંપવું એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે."

Breaking News : શેખ હસીનાના કેસમાં નવો વળાંક ! શું બાંગ્લાદેશનું ‘બ્લડ મની’ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને બચાવશે ?

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને ગંભીર આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. જો કે, આ બધા વચ્ચે લોકોની નજર બાંગ્લાદેશના 'બ્લડ મની' પર છે. એવામાં ચાલો સમજીએ કે, આ 'બ્લડ મની' શું છે અને આનાથી શેખ હસીના બચશે કે નહીં?

લો બોલો, બાંગ્લાદેશની મહિલા જેલોમાં એક પણ ફાંસી ઘર તો છે નહીંને ત્યાંની સરકારને શેખ હસીનાને ફાંસીએ ચડાવવા છે!

બાંગ્લાદેશમાં મોતની સજા પાામેલી 94 મહિલાઓ હજુ પણ જેલમાં બંધ છે. આઝાદી બાદ 100 થી વધુ મહિલાઓને મોતની સજા સંભળાવવામાં આવી પરંતુ કોઈને પણ હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી. બાંગ્લાદેશની મહિલા જેલમાં ફાંસી ઘર સુદ્ધા નથી. શેખ હસીનાને સજા-એ-મોતના એલાન બાદ ફરીથી આ ચર્ચાએ જોર પકડ્યુ છે.

ગોળીબાર…બોમ્બ ફેંકાયા..આગ લગાડાઇ… શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ફરી ફાટી નીકળી હિંસા, 2ના મોત

શેખ હસીનાની ફાંસીની સજા બાદ બાંગ્લાદેશમાં અરાજકતા છે. સોમવારથી દેશભરમાં ગોળીબાર, આગચંપી અને બોમ્બ વિસ્ફોટો થઈ રહ્યા છે. દરમિયાન તોફાની ટોળાએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો અને બુલડોઝર લઈને પહોંચ્યા. હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે.

Breaking News : ફાંસીની સજા ! શેખ હસીના વિરુદ્ધ આવ્યો નિર્ણય, શું ભારત બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને પરત મોકલશે ? જાણો નિયમ

બાંગ્લાદેશની કોર્ટમાં શેખ હસીના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. એવામાં આજે એટલે કે 17 નવેમ્બર સોમવારના રોજ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા મળશે, તેવી જાહેરાત કરવામાં આવી.

કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી' LPG ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">