શેખ હસીના
શેખ હસીના બાંગ્લાદેશના રાજકારણી મહિલા છે.શેખ હસીનાના પિતા અવામી લીગના નેતા અને બાંગ્લાદેશના સ્થાપક હતા. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. શેખ હસીના વાજેદ જાન્યુઆરી 2009થી બાંગ્લાદેશના દસમા વડા પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. શેખ હસીના બાંગ્લાદેશમાં સૌથી લાંબા સમયથી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ બનાવી ચુક્યા છે. અવામી પાર્ટીના નેતા શેખ હસીનાએ 1996માં પહેલીવાર ચૂંટણી જીતી હતી.
ઝિયાએ કાર્યવાહક સરકારમાંથી રાજીનામું આપ્યું હતુ. જેના પગલે જૂન 1996ની ચૂંટણી બાદ હસીના વડા પ્રધાન બન્યા.જો કે શેખ હસીના 1996માં કેરટેકર સરકાર ન બનાવવા માટે ચૂંટણીમાંથી ખસી ગયા હતા. 2009માં શેખ હસીના સત્તામાં પરત આવ્યા હતા. શેખ હસીનાની સરકારે ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં સક્રિય એવા વંશીય વિદ્રોહી જૂથો સામે પગલાં લીધાં, જેઓ બાંગ્લાદેશમાં રહીને ભારતમાં હિંસા ફેલાવી રહ્યા હતા.તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન દેશમાં આર્થિક વૃદ્ધિ અને ગરીબી ઘટાડાની શરૂઆત થઈ. તે બાંગ્લાદેશના ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડા પ્રધાન છે, આઝાદી પછી કોઈપણ બાંગ્લાદેશી વડા પ્રધાન માટે કુલ 19 વર્ષથી વધુ સમય સેવા આપે છે.
જો કે ઘણી વાર તેમની સરકાર પર વ્યવસ્થિત અને ન્યાયિક રીતે સજા આપવાનો અને ઘણા રાજકારણીઓ અને પત્રકારોને ગાયબ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હસીનાનો 2018માં ટાઇમના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
શેખ હસીનાની સજા જાહેર થયા બાદ યુનુસે મોટું પગલું ભર્યું, ભારતને સત્તાવાર પત્ર મોકલીને પ્રત્યાર્પણની માંગણી કરી
બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને એક સત્તાવાર પત્ર મોકલીને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની વિનંતી કરી છે. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ (ICT) એ માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારી છે. હસીના હાલમાં ભારતમાં છે.
- Manish Gangani
- Updated on: Nov 23, 2025
- 10:05 pm
‘મોહમ્મદ યુનુસ મારી માતા ને ટચ પણ ન કરી શકે’- શેખ હસીના ના પુત્રએ કર્યો દાવો
બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમના પુત્રએ કહ્યુ,"કોઈપણ પ્રત્યાર્પણ કરતા પહેલા સંધિની સાથે કાયદો હોવો જોઈએ. સૌથી પહેલા તો એક લીગલ સરકાર હોવી જોઈએ. જે યુનુસની સરકાર છે નહીં. બીજુ એ કે, ડ્યુ પ્રોસેસ ફોલો થવી જોઈએ, જે ફોલો નથી કરવામાં આવી. પ્રોસેસ ખુદ લીગલ હોવી જોઈએ અને બાંગ્લાદેશમાં પ્રોસેસ સંપૂર્ણપણે ગેરકાયદે હતી.
- Mina Pandya
- Updated on: Nov 20, 2025
- 7:48 pm
મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો
"ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને સોંપી શકશે નહીં. જો ભારત આવું કરશે, તો બાંગ્લાદેશમાંથી આવામી લીગનો નાશ થશે. પછી ઇસ્લામિક દળો સત્તામાં હશે, અને ચીન અને પાકિસ્તાન સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવશે. ભલે બીએનપીને યુએસનું સમર્થન હોય, પણ યુએસ ક્યારેય બાંગ્લાદેશમાં મોટી શક્તિ બની શકશે નહીં. શેખ હસીનાને સોંપવું એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે."
- TV9 Gujarati
- Updated on: Nov 18, 2025
- 9:11 pm
Breaking News : શેખ હસીનાના કેસમાં નવો વળાંક ! શું બાંગ્લાદેશનું ‘બ્લડ મની’ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને બચાવશે ?
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને ગંભીર આરોપોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. જો કે, આ બધા વચ્ચે લોકોની નજર બાંગ્લાદેશના 'બ્લડ મની' પર છે. એવામાં ચાલો સમજીએ કે, આ 'બ્લડ મની' શું છે અને આનાથી શેખ હસીના બચશે કે નહીં?
- Ravi Prajapati
- Updated on: Nov 18, 2025
- 5:09 pm
લો બોલો, બાંગ્લાદેશની મહિલા જેલોમાં એક પણ ફાંસી ઘર તો છે નહીંને ત્યાંની સરકારને શેખ હસીનાને ફાંસીએ ચડાવવા છે!
બાંગ્લાદેશમાં મોતની સજા પાામેલી 94 મહિલાઓ હજુ પણ જેલમાં બંધ છે. આઝાદી બાદ 100 થી વધુ મહિલાઓને મોતની સજા સંભળાવવામાં આવી પરંતુ કોઈને પણ હજુ સુધી ફાંસી આપવામાં આવી નથી. બાંગ્લાદેશની મહિલા જેલમાં ફાંસી ઘર સુદ્ધા નથી. શેખ હસીનાને સજા-એ-મોતના એલાન બાદ ફરીથી આ ચર્ચાએ જોર પકડ્યુ છે.
- Mina Pandya
- Updated on: Nov 18, 2025
- 3:48 pm
ગોળીબાર…બોમ્બ ફેંકાયા..આગ લગાડાઇ… શેખ હસીનાને ફાંસીની સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ફરી ફાટી નીકળી હિંસા, 2ના મોત
શેખ હસીનાની ફાંસીની સજા બાદ બાંગ્લાદેશમાં અરાજકતા છે. સોમવારથી દેશભરમાં ગોળીબાર, આગચંપી અને બોમ્બ વિસ્ફોટો થઈ રહ્યા છે. દરમિયાન તોફાની ટોળાએ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવાનો પ્રયાસ કર્યો અને બુલડોઝર લઈને પહોંચ્યા. હિંસામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને 12 જેટલા લોકો ઘાયલ થયા છે.
- Tanvi Soni
- Updated on: Nov 18, 2025
- 9:08 am
Breaking News : ફાંસીની સજા ! શેખ હસીના વિરુદ્ધ આવ્યો નિર્ણય, શું ભારત બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાનને પરત મોકલશે ? જાણો નિયમ
બાંગ્લાદેશની કોર્ટમાં શેખ હસીના વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. એવામાં આજે એટલે કે 17 નવેમ્બર સોમવારના રોજ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા મળશે, તેવી જાહેરાત કરવામાં આવી.
- Ravi Prajapati
- Updated on: Nov 17, 2025
- 3:21 pm
Breaking News : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા
બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ કોર્ટેનો એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા સંભળાવી છે. બાંગ્લાદેશની યુનુસ સરકારના વકીલે શેખ હસીનાને ફાંસી આપવાની માંગ કરી હતી. સરકારી વકીલનું કહેવું છે કે, શેખ હસીના વિરુદ્ધ અંદાજે 1400 આરોપ છે.
- Nirupa Duva
- Updated on: Nov 17, 2025
- 2:48 pm
Breaking News : ઢાકામાં નાગરિકો પર ગોળી ચલાવવાના કેસમાં શેખ હસીના દોષિત જાહેર
બાંગ્લાદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ યુનુસે શેખ હસીના માટે ફાંસીની માંગણી કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, હસીના સામે આવા 1,400 આરોપો છે. જો તેને મૃત્યુની સજા ન આપવામાં આવી તો એ લોકો સામે અન્યાય છે. જે શેખ હસીનાના કારણે મૃત્યુ પામ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Nov 17, 2025
- 1:28 pm
શું શેખ હસીનાને મૃત્યુદંડની સજા થશે? કોર્ટના ચુકાદા પહેલા શેખ હસીનાના પુત્રએ ચેતવણી આપી
બાંગ્લાદેશમાં રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. શેખ હસીનાના પક્ષ, આવામી લીગે આજે દેશવ્યાપી "સંપૂર્ણ બંધ"નું આહ્વાન કર્યું છે, જે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) દ્વારા પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના વિરુદ્ધ ખૂબ જ અપેક્ષિત ચુકાદો આપે તેના એક દિવસ પહેલા જ છે. આવામી લીગ પર યુનુસ સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચુકાદા પહેલા બાંગ્લાદેશ હાઇ એલર્ટ પર છે.
- Tanvi Soni
- Updated on: Nov 17, 2025
- 9:09 am
Breaking News : બાંગ્લાદેશમાં ફરી તખ્તા પલટ ! યુનુસ નિરાશ, શેખ હસીનાની થશે વાપસી ? કેમ બાંગ્લાદેશમાં ફરી હંગામો, જાણો
બાંગ્લાદેશમાં હાલની વચગાળાની સરકારે હજુ સુધી ચૂંટણી માટે કોઈ તારીખ નક્કી કરી નથી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ તાજેતરમાં ઢાકામાં ચૂંટણીની તારીખો ઘોષિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- Sagar Solanki
- Updated on: May 26, 2025
- 10:11 pm
શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો
બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ.
- Mina Pandya
- Updated on: Feb 27, 2025
- 6:47 pm
બાંગ્લાદેશમાં ફરી સક્રિય થઈ અવામી લીગ, યુનુસના રાજીનામાની માંગ સાથે આંદોલનની જાહેરાત
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ ફરીથી બાંગ્લાદેશના રાજકારણમાં સક્રિય થવા લાગી છે. અવામી લીગે યુનુસુ સરકાર સામે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકાર ચાલી રહી છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 30, 2025
- 5:20 pm
શું શેખ હસીનાને પણ મળી શકે છે ભારતીય નાગરિકતા ? જાણો નેતાઓ માટે શું છે નિયમ
બાંગ્લાદેશમાં ગયા વર્ષે વિરોધના પગલે શાસક પક્ષના નેતા અને દેશના વડાપ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને ભારતમાં શરણ લીધી.ત્યારે હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું શેખ હસીનાને ભારતીય નાગરિકતા મળશે ? ત્યારે આ લેખમાં જાણીશું કે, દેશમાં શરણ લેનારા નેતાઓને નાગરિકતા કેવી રીતે મળે છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે.
- Dilip Chaudhary
- Updated on: Jan 23, 2025
- 5:56 pm
શું બાંગ્લાદેશ અને પાકિસ્તાન ફરી એક થશે ? મોહમ્મદ યુનુસ અને શાહબાઝ શરીફ વચ્ચે ગુપ્ત બેઠક
બાંગ્લાદેશમાં શેખ હસીના તખ્તાપલટ બાદ પાકિસ્તાનને ફાયદાનો રસ્તો દેખાઈ રહ્યો છે. કારણ કે, સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસમાં બાંગ્લાદેશનો ઝુકાવ પાકિસ્તાન તરફ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ઇજિપ્તમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.
- Dilip Chaudhary
- Updated on: Dec 22, 2024
- 4:30 pm