AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો

"ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને સોંપી શકશે નહીં. જો ભારત આવું કરશે, તો બાંગ્લાદેશમાંથી આવામી લીગનો નાશ થશે. પછી ઇસ્લામિક દળો સત્તામાં હશે, અને ચીન અને પાકિસ્તાન સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવશે. ભલે બીએનપીને યુએસનું સમર્થન હોય, પણ યુએસ ક્યારેય બાંગ્લાદેશમાં મોટી શક્તિ બની શકશે નહીં. શેખ હસીનાને સોંપવું એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે."

મોહમ્મદ યુનુસ ગમે તેટલા ધમપછાડા કરે, આ મજબૂત દલીલોને આધારે ભારત શેખ હસીનાને ક્યારેય બાંગ્લાદેશને સોંપશે નહીં- વાંચો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2025 | 9:11 PM
Share

બહુ જ રસપ્રદ બાબત એ છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ 1971ના યુદ્ધ અપરાધો અને સરહદપાર સક્રિય ઉગ્રવાદીઓના પ્રત્યાર્પણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આથી જ સંધિ બનાવતી વખતે શેખ હસીનાએ ક્યારેય વિચાર્યુ નહીં હોય કે તેનો ઉપયોગ ક્યારેક તેની વિરુદ્ધ પણ કરવામાં આવશે.

બાંગ્લાદેશના ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ (ICT) એ સોમવારે પૂર્વ PM શેખ હસીનાને મૃત્યુ દંડની સજા સંભળાવી છે. ICT એ તેમને ગત વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં થયેલા વિરોધ પ્રદર્શનોને હિંસક રીતે કચડી દેવામાં 1400 જેટલા પ્રદર્શનકર્તાઓના મોત માટે જવાબદાર ગણાવ્યા છે. આ ચુકાદો આવતા જ બાંગ્લાદેશની વચગાળાની સરકાર, જેના એડવાઈઝર મોહમ્મદ યુનુસ છે, તેમણે ભારત સમક્ષ શેખ હસીનાને સોંપવાની માગ રાખી છે. આના માટે બાંગ્લાદેશ એવો દલીલ આપી રહ્યુ છે કે આ કોર્ટનો નિર્ણય છે અને શેખ હસીનાને ‘માનવતાની વિરુદ્ધ અપરાધ’ માટે દોષી ઠેરવવામાં આવ્યા છે

‘માનવતાની વિરુદ્ધ અપરાધ’ આ શબ્દોને મોહમ્મદ યુનુસે શેખ હસીના અને ભારત વિરુદ્ધ હથિયાર બનાવ્યા છે. જોકે ભારત-બંગ્લાદેશ વચ્ચે કેદીઓને લઈને પ્રત્યાર્પણને લઈને વર્ષ 2013માં સમજૂતિ થઈ હતી, આથી જ આ સમજૂતિનો હવાલો આપવામાં આવી રહ્યો છે. પરંતુ શુ ભારત પર, શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવા માટે દબાણ લાવી શકાય ? આખરે મોહમ્મદ યુનુસનુ શું ઈચ્છે છે? દિલ્હી પાસે મોહમ્મદ યુનુસને કાઉન્ટર કરવા માટેનો શું દાંવપેચ છે, તેને સમજવુ ઘણુ જરૂરી બની જાય છે.

શું બાંગ્લાદેશના પ્રત્યાર્પણ વિનંતિને કાયદેસર માની શકાય?

બાંગ્લાદેશે 2013 ની ભારત-બાંગ્લાદેશ પ્રત્યાર્પણ સંધિનો ઉલ્લેખ કરીને સત્તાવાર અનુરોધ કર્યો છે, પરંતુ કાયદાકીય જોગવાઈઓ, રાજકીય અપવાદો અને ભારતના સ્થાનિક કાયદાઓને ધ્યાનમાં રાખીને આ મામલો એટલો સીધો નથી. આ સંધિની કલમ 1 અને 2ને તપાસતા જાણવા મળે છે કે પ્રત્યાર્પણ ફક્ત ત્યારે જ શક્ય છે જો કોઈ વ્યક્તિ પર પ્રત્યાર્પણ કરી શકાય તેવા ગુનાનો આરોપ, આરોપી અથવા દોષિત ઠેરવવામાં આવ્યો હોય. શેખ હસીનાના કિસ્સામાં, આઈસીટીએ આવું વોરંટ જારી કર્યું છે, તેથી ઢાકાની વિનંતી પ્રક્રિયાગત રીતે માન્ય છે. પરંતુ વાસ્તવિક જટિલતા ડ્યુઅલ ક્રિમીનાલિટીની શર્ત છે. એટલે કે અપરાધ બંને દેશોના કાયદામાં દંડનિય હોવો જોઈએ.

બાંગ્લાદેશમાં “ક્રાઈમ્સ અગેઈન્સ્ટ હ્યુમેનિટી” દેશના યુદ્ધ ગુના કાયદા હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પરંતુ ભારત સામાન્ય રીતે આવા ગુનાઓને આંતરરાષ્ટ્રીય અદાલતોના સંદર્ભમાં જુએ છે, સ્થાનિક રાજકીય ઘટનાઓના સંદર્ભમાં નહીં. આ ભારત માટે પોતાની દલીલો રજૂ કરવા માટે એક બારી ખોલે છે. ભારત દલીલ કરી શકે છે કે ભારતમાં આવો કોઈ કાયદો નથી, અને તેથી શેખ હસીનાનો કેસ પ્રત્યાર્પણ યોગ્ય નથી. રસપ્રદ વાત એ છે કે, આ સંધિ 1971 ના યુદ્ધ ગુનાઓ અને સરહદ પારના આતંકવાદીઓના પ્રત્યાર્પણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી. કદાચ, આ જ કારણે સંધિનો મુસદ્દો તૈયાર કરતી વખતે, શેખ હસીનાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તેનો ઉપયોગ તેમની વિરુદ્ધ થઈ શકે છે.

આ મામલાને ઊંડાણપૂર્વક સમજવા માટે NBTએ વરિષ્ઠ ભારતીય ડિપ્લોમેટ એસડી મુની સાથે ફોન પર વાત કરી. તેમણે જણાવ્યુ , “ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી શકે નહીં.” તેમણે કહ્યું, “ભારતની પાસે એ તર્ક છે કે આ ચુકાદો આપનાર ઈન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબન્યુનલ પોતે કાયદેસર નથી. વધુમાં, શેખ હસીના પર હિંસા ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, તો એ કેવી રીતે સાબિત થઈ શકે? તેમણે કોઈ પુરાવા આપ્યા નથી. વધુમાં, ગ્રાઉન્ડ પર જે પોલીસવાળાઓ પર લોકોને ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, એ પોલીસવાળા જ છે એ કેવી રીતે સાબિત થશે? એ તો કોઈપણ હોઈ શકે? આ ઉપરાંત એ સમયે સૈન્ય પણ સામેલ હતુ, તો જ્યારે સેના આવા કેસમાં સામેલ થઈ જાય તો પછી એક વડાપ્રધાન શું કરી શકે છે?

શું ભારત પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકે છે?

ઘણા નિષ્ણાતો કલમ 6(1) અને 8(3)નો હવાલ આપી રહ્યા છે અને અહીં મુદ્દો ખરેખર થોડો સંવેદનશીલ બની જાય છે. કલમ 6(1) જણાવે છે કે જો ગુનો “રાજનીતિક પ્રકૃતિનો” હોય તો પ્રત્યાર્પણનો ઇનકાર કરી શકાય છે. શેખ હસીનાને સત્તા પરથી હટાવવા અને તેમની વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનો રાજકીય પ્રદર્શનો હતા જે પાછળથી તેમને હટાવવાની માંગમાં પરિણમ્યા, જેના કારણે હિંસા થઈ, તેથી શેખ હસીનાને સત્તા પરથી હટાવવું એ એક રાજકીય આંદોલન છે. દરમિયાન, વર્તમાન વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસને શેખ હસીનાના રાજકીય વિરોધી માનવામાં આવે છે, તેથી ભારત સરળતાથી દલીલ કરી શકે છે કે આખો મામલો રાજકીય રીતે પ્રેરિત છે. અમેરિકન થિંક ટેન્ક, ધ વિલ્સન સેન્ટરના દક્ષિણ એશિયા વિશ્લેષક માઈકલ કુલેગમેન પણ આ જ તર્ક આપી રહ્યા છે.

આ ઉપરાંત આ સંધિની કલમ 8(3) ભારતને દાવપેચ ચલાવવાની નોંધપાત્ર તક પૂરી પાડે છે. તે જણાવે છે કે જો તે ન્યાયના હિતમાં નહીં પણ સારી શ્રદ્ધાથી કરવામાં આવે તો પ્રત્યાર્પણ રોકી શકાય છે. વર્તમાન સંજોગોમાં, આ દલીલ ભારતને એવી દલીલ કરવા માટે મજબૂત આધાર પૂરો પાડે છે કે આ કેસ રાજકીય બદલો લેવાનો પ્રયાસ લાગે છે. જોકે બાંગ્લાદેશ કલમ 6(2) નો ઉપયોગ કરીને દાવો કરી શકે છે કે ગુનો રાજકીય નથી, આંતરરાષ્ટ્રીય સ્તરે આ સાબિત કરવું અત્યંત મુશ્કેલ છે, અને આવા કેસ ઘણીવાર આંતરરાષ્ટ્રીય અદાલતમાં વર્ષો સુધી લંબાય છે. જો ચુકાદો આવે તો પણ, રાજકીય પરિસ્થિતિઓ ઘણીવાર બદલાય છે, અથવા દેશો ઘણીવાર તેમની વિરુદ્ધ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કરે છે.

જિયોપોલિટીકલ વ્યૂહરચના અંગે પ્રોફેસર એસડી મુનીએ જણાવ્યું હતું કે, “ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને સોંપી શકશે નહીં. જો ભારત આવું કરશે, તો બાંગ્લાદેશમાંથી આવામી લીગનો નાશ થશે. પછી ઇસ્લામિક દળો સત્તામાં હશે, અને ચીન અને પાકિસ્તાન સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવશે. ભલે બીએનપીને યુએસનું સમર્થન હોય, પણ યુએસ ક્યારેય બાંગ્લાદેશમાં મોટી શક્તિ બની શકશે નહીં. શેખ હસીનાને સોંપવું એ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો છે.”

શું ભારતને દબાણ કરી શકે બાંગ્લાદેશ?

આ પ્રશ્નનો જવાબ છે – કાયદેસર રીતે, બિલકુલ નહીં. ભારત પાસે સંધિ હેઠળ અને તેના સ્થાનિક કાયદા બંને હેઠળ, શેખ હસીનાના પ્રત્યાર્પણનો સ્પષ્ટ ઇનકાર કરવા માટે પૂરતા કારણો છે. જો ઢાકા પ્રત્યાર્પણ વિનંતી કરે છે, તો પણ તેને સ્વીકારવી કે નહીં તે સંપૂર્ણપણે ભારત સરકારની વિવેકબુદ્ધિ પર રહેશે. તેથી, એવું માની લેવું જોઈએ કે, જો મોહમ્મદ યુનુસ ગમેતેટલા ધમપછાડા કરે, તો પણ ભારત કોઈપણ સંજોગોમાં શેખ હસીનાને ઢાકાને સોંપશે નહીં.

પોતાના હિતોને સાધવા માટે વિશ્વના દેશોના સિંહાસન ડોલાવી દેનાર અમેરિકાની ‘ડીપ સ્ટેટ’ થિયરી છે શુ? કોના ઈશારે અને કેવી રીતે કામ કરે છે ?-વાંચો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">