
એસ જયશંકર
સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ જયશંકર કહે છે. તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે.
જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ વિશે વાત કરતાં, એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું.
એસ જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કૉલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી. અહીં સુધી પહોંચતા પહોચતા એસ જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઈગ્લીશ, મેડ્રિડ જાપાનીઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી, તેઓ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા.
શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો
બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ.
- Mina Pandya
- Updated on: Feb 27, 2025
- 6:47 pm
ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં : જયશંકર
મુંબઈમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને 'વીટો' લગાવવા દેશે નહીં. તેમણે કહ્યું કે જે પણ યોગ્ય હશે તે ભારતના રાષ્ટ્રીય હિતમાં કોઈપણ ડરની ચિંતા કર્યા વિના કરવામાં આવશે. જયશંકરે કહ્યું કે જ્યારે ભારત વૈશ્વિક ચેતનામાં વધુ ઊંડાણપૂર્વક જોડાય છે, ત્યારે તેના પરિણામો ખરેખર ગહન હોય છે.
- Meera Kansagara
- Updated on: Dec 22, 2024
- 12:08 pm
Video: કેનેડાને લાગ્યા મરચા! એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સ બાદ ઓસ્ટ્રેલિયન ચેનલ પર લગાવ્યો પ્રતિબંધ, ભારતે નોંધાવ્યો વિરોધ
ભારત પ્રત્યેનું કેનેડાનું વલણ દિવસેને દિવસે બદલાતું જણાય છે. આજે કેનેડાએ ગભરાટમાં એક ઓસ્ટ્રેલિયન ચેનલ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના પછી ટ્રુડો સરકાર સતત સવાલોનો સામનો કરી રહી છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે.
- krushnapalsinh chudasama
- Updated on: Nov 7, 2024
- 11:05 pm
કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, વિરોધ કરવા માટે એકઠા થયા લોકો, PM મોદી અને વિદેશ પ્રધાને કહી આ મોટી વાત
કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મહાસભાના મંદિરને ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યું હતું. હિન્દુ શ્રદ્ધાળુઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતે આ ઘટના પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે. તે જ સમયે, હિન્દુ સમુદાયના લોકો મંદિરની બહાર એકઠા થયા હતા અને હુમલાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.
- Devankashi rana
- Updated on: Nov 5, 2024
- 10:26 am
કેનાડાની કથની અને કરણીમાં ફેર, ક્રિકેટ બાબતે પાકિસ્તાનમાં કોઈ ચર્ચા નહીં
ભારત-કેનેડા વિવાદ પર વિદેશ મંત્રાલયે કહ્યું કે, કેનેડા સરકારે ગત સપ્ટેમ્બર 2023થી આપણી સાથે કોઈ જ માહિતી શેર કરી નથી. તેમની કથની અને કરણીમાં બહુ ફરક છે. કેનેડાએ ગંભીર આરોપ લગાવ્યા છે. પરંતુ હજુ સુધી તેને લગતા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.
- TV9 Gujarati
- Updated on: Oct 17, 2024
- 6:15 pm
વિદેશ મંત્રી એસ. જયશંકર વિશે પાકિસ્તાની મીડિયાએ ફેલાવ્યું જૂઠાણું, ઈસ્લામાબાદમાં આવું કંઈ થયું જ નથી
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે ક્રિકેટ ડિપ્લોમસી વિશે વાત કરી છે. પરંતુ ભારતીય મીડિયાએ તેના સૂત્રોને ટાંકીને આવી વાતોને નકારી કાઢી છે. આતંકવાદી ઘટનાઓ અને ખરાબ સંબંધોને કારણે ભારત સરકારે લગભગ 17 વર્ષથી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની મંજૂરી આપી નથી.
- Meera Kansagara
- Updated on: Oct 17, 2024
- 8:06 am
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં ક્રિકેટ પર વાત કરી, શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા જશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા 12 વર્ષથી કોઈ દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ રમાઈ નથી. બંને ટીમો માત્ર ICC અથવા ACC ટુર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે. એટલું જ નહીં, આ દરમિયાન પાકિસ્તાની ટીમ 2-3 વખત ભારત પણ આવી છે પરંતુ ટીમ ઈન્ડિયા 2008થી પાકિસ્તાન ગઈ નથી. હાલ ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનના પ્રવાસે છે અને ત્યાં તેમણે ક્રિકેટ વિશે ચર્ચા કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જે બાદ ચર્ચા શરૂ થઈ છે કે શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જશે?
- Smit Chauhan
- Updated on: Oct 16, 2024
- 9:56 pm
પાકિસ્તાનમાં શહેબાઝ શરીફની સામે ઊભા રહીને એસ જયશંકરે કહ્યું- આતંકવાદ સાથે વેપાર શક્ય નથી, જાણો SCO સમિટનો અહેવાલ
વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનમાં યોજાયેલ SCO સમિટના મંચ પરથી બે પાડોશી દુશ્મન દેશને સીધો સંદેશ આપ્યો. તેમણે પાકિસ્તાન અને પાકિસ્તાનના ગુરુ ચીનને રાજદ્વારી શૈલીમાં આકરા શબ્દોમાં ચાબખા માર્યા હતા. એસ જયશંકરે ચાલાકીપૂર્વક પાકિસ્તાનને તેની ભૂલો, ખોટી નીતિઓ અને ખોટા ઈરાદાનો અહેસાસ કરાવ્યો.
- TV9 Gujarati
- Updated on: Oct 16, 2024
- 8:46 pm
SCOમાં ભાગ લેવા જતા પહેલા પાકિસ્તાનને સાફ શબ્દોમાં આતંકવાદ બાબતે જણાવતા જયશંકર, જાણો શું કહ્યું ?
વિદેશ મંત્રી એસ. જયશંકર આગામી સપ્તાહે પડોશી દેશ પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. આ પહેલા તેમણે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, સાર્ક આગળ વધી રહ્યું નથી. આ માટે છેલ્લા 10 વર્ષથી સાર્કની કોઈ દ્વિવાર્ષિક સમિટ યોજાઈ નથી. આમ કહીને તેમણે પાકિસ્તાન પર પણ નિશાન સાધ્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Oct 6, 2024
- 2:57 pm
SCO Summit: વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાન જશે, SCOની બેઠકમાં લેશે ભાગ
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક આગામી 15-16 ઓક્ટોબરે પાકિસ્તાનમાં યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકર તેમાં ભાગ લેશે. આ વખતે પાકિસ્તાન SCO બેઠકની યજમાની કરી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Oct 4, 2024
- 7:15 pm
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનને ચારેબાજુથી ઘેર્યું હતું. તેમણે કહ્યું કે પડોશી દેશ સાથે માત્ર એક જ મુદ્દો ઉકેલવાનો છે અને તે મુદ્દો છે પાકિસ્તાન દ્વારા POKમાં ગેરકાયદે કબજો જમાવેલ ભારતીય વિસ્તારને ખાલી કરાવવાનો.
- TV9 Gujarati
- Updated on: Sep 29, 2024
- 1:55 pm
ભારતે ફરીથી માલદીવ માટે ખોલી તિજોરી, કરોડો ડોલરના ટ્રેઝરી બિલનું કર્યું રોલ ઓવર
રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સત્તા સંભાળ્યા બાદ માલદીવ સાથે ભારતના સંબંધો તંગ બની ગયા હતા. શપથ લીધા પછી તરત જ મુઇઝુએ માલદીવમાંથી લગભગ 88 ભારતીય સૈન્ય કર્મચારીઓને હટાવવાની માગ કરીને દ્વિપક્ષીય તણાવમાં વધારો કર્યો હતો.
- Meera Kansagara
- Updated on: Sep 20, 2024
- 8:18 am
જયશંકરની ચેતવણી બાદ પાકિસ્તાનનો સૂર બદલાયો, કાશ્મીરને આંતરરાષ્ટ્રીય વિવાદનો મુદ્દો ગણાવ્યો
શુક્રવારે દિલ્હીમાં આયોજિત પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જયશંકરે જમ્મુ અને કાશ્મીર માટે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેને ચેતવણી પણ આપવામાં આવી હતી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહીં થાય. તેની સાથે વાટાઘાટોનો તબક્કો પૂરો થઈ ગયો છે.
- Tanvi Soni
- Updated on: Sep 2, 2024
- 11:41 am
પાકિસ્તાને આમંત્રણ ભલે આપ્યું, પણ તેની સાથે વાતચીતનો સમય હવે પૂરો થયોઃ એસ જયશંકર
વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીતનો સમય હવે પૂરો થઈ ગયો છે. બાંગ્લાદેશ અંગે વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે સ્વીકારવું પડશે કે ત્યાં સત્તા પરિવર્તન થયું છે. અમે વર્તમાન શાસનનો સામનો કરવા સક્ષમ છીએ.
- TV9 Gujarati
- Updated on: Aug 30, 2024
- 1:42 pm
ભારત-જાપાનની આ ડીલથી ચીન થર થર ધ્રૂજશે, હિંદ મહાસાગરમાં તેની તમામ ચાલ નિષ્ફળ જશે!
હિંદ મહાસાગરમાં ચીન પોતાનું ઘમંડ દેખાડી રહ્યું છે અને સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. તેનો સામનો કરવા માટે ભારત એક મોટું પગલું ભરવાનું વિચારી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે છે. આ ડીલ દ્વારા ભારત પોતાના મિત્ર જાપાન પાસેથી નેવી માટે એન્ટેના ખરીદી શકે છે. આ ડીલથી હિંદ મહાસાગરમાં ચીનની તમામ રણનીતિ નિષ્ફળ જશે.
- Tanvi Soni
- Updated on: Aug 20, 2024
- 8:57 am