AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એસ જયશંકર

એસ જયશંકર

સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ જયશંકર કહે છે. તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે.

જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ વિશે વાત કરતાં, એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

એસ જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કૉલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી. અહીં સુધી પહોંચતા પહોચતા એસ જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઈગ્લીશ, મેડ્રિડ જાપાનીઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી, તેઓ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા.

Read More

‘બ્લેક સી’માં ભારતીય નાવિકો પર હુમલાથી ભારત લાલચોળ, એસ. જયશંકરે યુક્રેનને આપ્યો આકરો સંદેશ!

ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે તેમણે યુક્રેનના વિદેશમંત્રી સાથે બ્લેક સી વિસ્તારમાં કોમર્શિયલ (કાર્ગો) જહાજો અને ભારતીય નાવિકો પર થયેલા હુમલાઓ અંગે ચર્ચા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈપણ પક્ષ તરફથી આવા હુમલા ભારત માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને ભારત તેને કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં.

યુરેનિયમનો મહાભંડાર, સોનું અને તાંબું, મંગોલિયાના ખજાનાથી ભારત થશે માલામાલ? જાણો કેમ વધી રહ્યું છે મહત્વ

વિદેશ મંત્રી એસ. જયશંકર બે દિવસના સત્તાવાર પ્રવાસે મંગોલિયા પહોંચ્યા છે. ભારતની નજર મંગોલિયાના વિશાળ યુરેનિયમ, સોના અને તાંબાના ભંડાર પર છે.

Breaking News: હોર્મુઝથી મુંબઈ પહોંચ્યું ભારતીય તેલ જહાજ, ઈરાને સુરક્ષિત માર્ગનો ભરોસો આપ્યો

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના વચ્ચે થયેલ વાતચીત બાદ, ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાં આવન જાવન કરતા રોકવામાંં નહીં આવે, આ વાતચીત બાદ હોર્મુઝ સ્ટ્રેટ પસાર કરીને પહેલું જહાજ મુંબઈના બંદરે લાંગર્યું છે. જેમાં ક્રુડ ઓઈલનો જથ્થો છે.

Breaking News : ભારત માટે મોટી રાહત, ઈરાને ભારતીય ઓઈલ જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા આપી મંજૂરી

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલાઓ બાદ, અખાતના દેશોમાં સ્થિતિ વણસી છે. 13માં દિવસમાં પ્રવેશેલા યુદ્ધને કારણે, ભારત સહિત વિશ્વના અનેક દેશમાં ઈંધણ અને ગેસની સ્થિતિ કથળી છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને સૈન્ય અવરોધિત કર્યો હતો. આ એવો રસ્તો છે જ્યાથી વિશ્વના અનેક દેશના ઓઈલ અને ગેસના જહાજ- ટેન્કર પસાર થાય છે. જો કે યુદ્ધની આવી સ્થિતિમાં ભારત માટે મોટા રાહતના સમાચાર સાંપડી રહ્યાં છે. ઈરાને ભારતીય ઓઈલ-ગેસ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે મંજૂરી આપી દીધી છે. 

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યા ખાસ નિર્દેશ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી અને દેશના તેલ તથા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસના પુરવઠાની સમીક્ષા કરી. સરકારે ઘરેલુ ગ્રાહકોને ગેસ સપ્લાયમાં કોઈ અડચણ ન આવે તે માટે તમામ મંત્રાલયોને તૈયાર રહેવા સૂચના આપી છે.

ગેરકાયદેસર અમેરિકા જનાર ગુજરાતના યુવક-યુવતીને અજરબૈજાનમાં બનાવ્યા હતા બંધક, સરકારની દખલગીરી બાદ થયો છુટકારો

ગેરકાયદેસર અમેરિકા જનાર યુવક-યુવતીને અજરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા, પરિવારજનો જોડે વોટ્સેપ પર વિડિયો કોલ કરી 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી હતી, આણંદના સાંસદ અને વિદેશ મંત્રાલયની મહેનત લાવી રંગ.

અમારે શું કરવુ જોઈએ એ કોઈ અમને ના જણાવે, ભારતની પડોશી નીતિને લઈને વિદેશ પ્રધાન જયશંકરની ચોખ્ખી વાત

વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની પડોશી નીતિ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત તેના સારા પડોશીઓને મદદ કરે છે, જેમ કે બાંગ્લાદેશ અને શ્રીલંકાને આપવામાં આવતી સહાય. જયશંકરે આતંકવાદ ફેલાવતા "ખરાબ પડોશીઓ" નો પણ ઉલ્લેખ કર્યો.

ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને આવ્યુ ડહાપણ, દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે કહ્યુ “ભારતને અમારી મદદની જરૂર નથી, તે ખુદ સક્ષમ” 

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે ભારતને મદદની ઓફરના સવાલ પર કહ્યુ કે ભારતીય એજન્સીઓ આ પ્રકારની ઘટનાઓની તપાસ કરવામાં પુરી સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી.

India Canada Relations : ટ્રુડોના ગયા પછી સુધર્યા ભારત કેનેડાના સંબંધ, જાણો શું શું બદલ્યું ?

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદની ભારત મુલાકાતે સંબંધોનો નવો પાયો નાખ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની તેમની મુલાકાત બાદ જાહેર કરાયેલ સંયુક્ત નિવેદન એ દર્શાવવા માટે પૂરતું છે કે સંબંધ તેના જૂના માર્ગ પર પાછો ફર્યો છે.

પાકિસ્તાન દગાખોર છે, અમેરિકા તકવાદી છે, બન્ને વચ્ચેનો સંબંંધ સ્વાર્થની ધરી પર રચાયોઃ એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વધતા સંબંધો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં ફક્ત સ્વાર્થ છુપાયેલો છે અને પાકિસ્તાનનો વિશ્વાસઘાતનો ઇતિહાસ અને અમેરિકાની તકવાદી નીતિઓ આ સંબંધને વ્યાખ્યાયિત કરે છે. તેમણે અસીમ મુનીરની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સામે પણ ગંભીર વાંધો વ્યક્ત કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે ભારત કોઈપણ મધ્યસ્થી સ્વીકારશે નહીં.

ભારતનો ટેરિફ પર વધુ એક માસ્ટરસ્ટ્રોક, ડોનાલ્ડ ટ્રમ્પની મૂંઝવણ, અમેરિકાને મોટો ફટકો, જાણો

અમેરિકાએ ભારત પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, પરંતુ અમેરિકાનો આ નિર્ણય પોતાની મૂંઝવણ ઉભી કરી રહ્યો હોય તેવું લાગે છે. ભારતને અન્ય દેશોનો ટેકો મળી રહ્યો હોય તેવું લાગે છે.

ભારતનો અમેરિકાને વળતો જવાબ, રશિયા સાથે 100 અબજ ડોલરનો સોદો

ભારત કહે છે કે તેને જ્યાંથી મળે ત્યાંથી સૌથી સસ્તું તેલ ખરીદવાનો અધિકાર છે અને અમેરિકન ટેરિફ અન્યાયી છે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ તેલ ભારત માટે સ્થાનિક ફુગાવાને નિયંત્રિત કરવા માટે એક મોટું શસ્ત્ર છે.

07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
07 ઓગસ્ટ 2026: તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો, કિશાન સંઘનો ગ્રાઉન્ડ સર્વે
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">