AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એસ જયશંકર

એસ જયશંકર

સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ જયશંકર કહે છે. તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે.

જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ વિશે વાત કરતાં, એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

એસ જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કૉલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી. અહીં સુધી પહોંચતા પહોચતા એસ જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઈગ્લીશ, મેડ્રિડ જાપાનીઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી, તેઓ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા.

Read More

ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને આવ્યુ ડહાપણ, દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે કહ્યુ “ભારતને અમારી મદદની જરૂર નથી, તે ખુદ સક્ષમ” 

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે ભારતને મદદની ઓફરના સવાલ પર કહ્યુ કે ભારતીય એજન્સીઓ આ પ્રકારની ઘટનાઓની તપાસ કરવામાં પુરી સક્ષમ છે. તેમને અમારી મદદની જરૂર નથી.

India Canada Relations : ટ્રુડોના ગયા પછી સુધર્યા ભારત કેનેડાના સંબંધ, જાણો શું શું બદલ્યું ?

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદની ભારત મુલાકાતે સંબંધોનો નવો પાયો નાખ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની તેમની મુલાકાત બાદ જાહેર કરાયેલ સંયુક્ત નિવેદન એ દર્શાવવા માટે પૂરતું છે કે સંબંધ તેના જૂના માર્ગ પર પાછો ફર્યો છે.

પાકિસ્તાન દગાખોર છે, અમેરિકા તકવાદી છે, બન્ને વચ્ચેનો સંબંંધ સ્વાર્થની ધરી પર રચાયોઃ એસ જયશંકર

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વધતા સંબંધો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ સંબંધમાં ફક્ત સ્વાર્થ છુપાયેલો છે અને પાકિસ્તાનનો વિશ્વાસઘાતનો ઇતિહાસ અને અમેરિકાની તકવાદી નીતિઓ આ સંબંધને વ્યાખ્યાયિત કરે છે. તેમણે અસીમ મુનીરની ભારત વિરોધી પ્રવૃત્તિઓ સામે પણ ગંભીર વાંધો વ્યક્ત કર્યો અને સ્પષ્ટપણે કહ્યું કે ભારત કોઈપણ મધ્યસ્થી સ્વીકારશે નહીં.

ભારતનો ટેરિફ પર વધુ એક માસ્ટરસ્ટ્રોક, ડોનાલ્ડ ટ્રમ્પની મૂંઝવણ, અમેરિકાને મોટો ફટકો, જાણો

અમેરિકાએ ભારત પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, પરંતુ અમેરિકાનો આ નિર્ણય પોતાની મૂંઝવણ ઉભી કરી રહ્યો હોય તેવું લાગે છે. ભારતને અન્ય દેશોનો ટેકો મળી રહ્યો હોય તેવું લાગે છે.

ભારતનો અમેરિકાને વળતો જવાબ, રશિયા સાથે 100 અબજ ડોલરનો સોદો

ભારત કહે છે કે તેને જ્યાંથી મળે ત્યાંથી સૌથી સસ્તું તેલ ખરીદવાનો અધિકાર છે અને અમેરિકન ટેરિફ અન્યાયી છે. રશિયા પાસેથી ડિસ્કાઉન્ટેડ તેલ ભારત માટે સ્થાનિક ફુગાવાને નિયંત્રિત કરવા માટે એક મોટું શસ્ત્ર છે.

વિદેશ પ્રધાન એસ જયશંકરે રાજ્યસભામાં વિપક્ષને કહ્યું-કાન ખોલીને સાંભળી લો, મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ

વિદેશ પ્રધાન એસ જયશંકરે આજે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં ભાગ લઈને પહેલગામ આતંકી હુમલો અને ઓપરેશન સિંદૂરની કાર્યવાહીથી ગૃહને વાકેફ કર્યું હતું. એસ જયશંકરને સંબોધન વખતે વિપક્ષના સાંસદોએ, ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યાનુ કહીને ખલેલ પહોચાડી હતી. આ સમયે વિદેશ પ્રધાને થોડાક રોષ સાથે કહ્યું કે, કાન ખોલીને સાંભળી લો, ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે 22 એપ્રિલથી 16 જૂન સુધી કોઈ જ વાતચીત નથી થઈ.

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને ફટકાર ચીનની વધી ચિંતા, પહેલગામ હુમલાને લઈને કવાડ દેશ ભારતની સાથે

ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલાની આકરી નિંદા કરવામાં આવી હતી. મુસ્લિમ આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પુછીને 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકને ગોળીએ માર્યા હતા. ક્વાડ દેશોએ આતંકવાદ સામે સાથે મળીને લડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જેનાથી પાકિસ્તાન અને ચીનને આંતરરાષ્ટ્રીય મંચ પરથી મજબૂત સંદેશ મળ્યો છે.

Video : પરમાણુ હુમલાની ધમકી ભારતને તો આપવી જ નહીં, ગુજરાતની ધરતી પરથી એસ જયશંકરની પાકિસ્તાનને ચોખ્ખી ચીમકી

વિદેશ મંત્રી એસ જયશંકરે પરમાણુ બ્લેકમેલને નકારી કાઢ્યું અને કહ્યું કે ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકશે નહીં. વિદેશ મંત્રીનું આ નિવેદન ઓપરેશન સિંદૂર પછી આવ્યું છે, જેમાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. જયશંકરે આતંકવાદ સામે ભારતની વૈશ્વિક ભૂમિકા અને દૃઢ નિશ્ચય પર ભાર મૂક્યો.

ભારતમાં હવે આતંકી હુમલો કરાવ્યો તો પાકિસ્તાનનો નાક-નકશો ફરી જશે- એસ જયશંકર

ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ કરવી પડશે. જો પાકિસ્તાન આમ નહીં કરે તો તેણે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. પાકિસ્તાને આ વાત સારી રીતે સમજવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવા માંગે છે.

Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

ગુરુવારે ટ્રમ્પના દાવા પછી તરત જ, ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન બહાર આવ્યું. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, "ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ જટિલ ચર્ચાઓ છે, જ્યાં સુધી બધું અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી કંઈ નક્કી થતું નથી.

શું બાંગ્લાદેશમાં ફરી તખ્તાપલટ થશે? ખુદ ત્યાંના સેના પ્રમુખે ઈશારો કર્યો કે અહીં કંઈક મોટુ થવાનું છે- વાંચો

બાંગ્લાદેશથી એક મોટી ખબર સામે આવી છે, એ ખબર એ છે કે બાંગ્લાદેશના જનરલ, એટલે કે આર્મી ચીફને લાગી રહ્યુ છે કે બહુ જલદી બાંગ્લાદેશમાં કંઈક મોટુ અને ખતરનાક થવાનું છે. આવી માહિતી કેમ સામે આવી રહી છે? તેને ત્રણ ઘટનાક્રમ દ્વારા વિસ્તારથી સમજીએ.

ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને ‘વીટો’ લગાવવા દેશે નહીં : જયશંકર

મુંબઈમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, ભારત તેના નિર્ણયો પર અન્ય લોકોને 'વીટો' લગાવવા દેશે નહીં. તેમણે કહ્યું કે જે પણ યોગ્ય હશે તે ભારતના રાષ્ટ્રીય હિતમાં કોઈપણ ડરની ચિંતા કર્યા વિના કરવામાં આવશે. જયશંકરે કહ્યું કે જ્યારે ભારત વૈશ્વિક ચેતનામાં વધુ ઊંડાણપૂર્વક જોડાય છે, ત્યારે તેના પરિણામો ખરેખર ગહન હોય છે.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">