AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમારે શું કરવુ જોઈએ એ કોઈ અમને ના જણાવે, ભારતની પડોશી નીતિને લઈને વિદેશ પ્રધાન જયશંકરની ચોખ્ખી વાત

વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની પડોશી નીતિ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત તેના સારા પડોશીઓને મદદ કરે છે, જેમ કે બાંગ્લાદેશ અને શ્રીલંકાને આપવામાં આવતી સહાય. જયશંકરે આતંકવાદ ફેલાવતા "ખરાબ પડોશીઓ" નો પણ ઉલ્લેખ કર્યો.

અમારે શું કરવુ જોઈએ એ કોઈ અમને ના જણાવે, ભારતની પડોશી નીતિને લઈને વિદેશ પ્રધાન જયશંકરની ચોખ્ખી વાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2026 | 4:01 PM
Share

વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને ભારતની પડોશી નીતિ પર વાત ખુલીને વાત કરી. તેમણે કહ્યું, “હું બે દિવસ પહેલા જ બાંગ્લાદેશમાં હતો. હું બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયો હતો. આ સમય દરમિયાન, ઘણા પડોશીઓ મળ્યા. જો કોઈ પાડોશી તમારા માટે સારો હોય, અથવા ઓછામાં ઓછા હાનિકારક ના હોય, તો તમે તે પાડોશી પ્રત્યે દયાળુ બનવાના અને તેમને મદદ કરશો. એક દેશ તરીકે આપણે પણ આવું જ કરીએ છીએ.”

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે જ્યારે આપણે આપણા પડોશની આસપાસ જોઈએ છીએ, જ્યાં પણ સારા પડોશીની લાગણી હોય છે, ત્યાં ભારત રોકાણ કરે છે. ભારત મદદ કરે છે, અને ભારત ભાગીદારી પણ કરે છે. તેમણે કહ્યું કે, કોઈએ અમને એ ના કહેવું જોઈએ કે આ અંગે અમારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ.

અમે અમારા પડોશીઓને મદદ કરીએ છીએ – જયશંકર

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, અમારી બેઠક દરમિયાન, અમે કોવિડ પર ચર્ચા કરી રહ્યા હતા. અમારા મોટાભાગના પડોશીઓને ભારત તરફથી તેમને રસીની પહેલી ખેપ મળી હતી. કેટલાક પડોશીઓ અસાધારણ તણાવમાંથી પસાર થયા હતા, જેમાંથી એક શ્રીલંકા હતું. જ્યારે IMF સાથેની તેમની વાટાઘાટો ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી હતી ત્યારે અમે ખરેખર તેમને $4 બિલિયનના પેકેજમાં મદદ કરી હતી.

આપણી પાસે ખરાબ પડોશીઓ – જયશંકર

જયશંકરે કહ્યું કે, આપણા ખરાબ પડોશીઓ હોઈ શકે છે. કમનસીબે, આપણી પાસે એવા છે. જ્યારે તમારા પડોશીઓ ખરાબ હોય, જો તમે પશ્ચિમ તરફ જુઓ છો અને જાણો છો કે કોઈ દેશ જાણી જોઈને, સતત અને કોઈ જ પસ્તાવા વિના આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે, તો આપણને આતંકવાદ સામે આપણા લોકોને બચાવવાનો અધિકાર છે. આપણે તે અધિકારનો ઉપયોગ કરીશું. આપણે તે અધિકારનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે આપણા પર નિર્ભર છે. આપણે આપણી જાતને બચાવવા માટે જે કંઈ કરવું પડશે તે કરીશું.

ભારતનો આજે વિકાસ એક વધતી લહેર છે

વિદેશ મંત્રીએ કહ્યું કે, આપણા મોટાભાગના પડોશીઓ સમજે છે કે ભારતનો આજે વિકાસ એક વધતી લહેર છે. જો ભારતનો વિકાસ થશે, તો આપણા બધા પડોશીઓ પણ આપણી સાથે વિકાસ કરશે. મને લાગે છે કે, મેં આ જ સંદેશ બાંગ્લાદેશને આપ્યો હતો. તેઓ હાલમાં તેમની ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છે. અમે તેમને તે ચૂંટણીઓમાં શુભકામનાઓ પાઠવી છે, અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે, ત્યારે આ પ્રદેશમાં પડોશીભાવની લાગણી વધશે.

આ પણ વાંચોઃ  ભાજપના ચાણક્ય અમિત શાહનો કોલકત્તામાં હુંકાર, કહ્યું- 2026માં ભાજપ ઈન – મમતા આઉટ, જાણો કયાં કયાં મુદા ચૂંટણીમાં રહેશે હાવી

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">