AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ-સાણંદ વચ્ચે દોડશે દેશની ‘બીજી RRTS’, ‘ગુજરાત’ બનશે મેટ્રો બાદ હાઈટેક રેલ નેટવર્ક ધરાવતું ‘બીજું રાજ્ય’

ગુજરાત સરકાર પાંચ સેટેલાઇટ ટાઉન્સને મુખ્ય શહેરો સાથે જોડવા માટે હાઈટેક 'રીજનલ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ' (RRTS) શરૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનો પ્રથમ કોરિડોર અમદાવાદ અને સાણંદ વચ્ચે તૈયાર કરવામાં આવશે.

Breaking News: અમદાવાદ-સાણંદ વચ્ચે દોડશે દેશની 'બીજી RRTS', 'ગુજરાત' બનશે મેટ્રો બાદ હાઈટેક રેલ નેટવર્ક ધરાવતું 'બીજું રાજ્ય'
Image Credit source: X@MIB_India
Om Prakash
| Edited By: | Updated on: Feb 10, 2026 | 11:10 AM
Share

રાજ્ય સરકારે પાંચ સેટેલાઇટ ટાઉન (ઉપગ્રહ નગરો) વચ્ચે સરસ કનેક્ટિવિટી પૂરી પાડવા અને વધુ પડતી વસ્તી ધરાવતા શહેરો પરનું દબાણ ઘટાડવા માટે રીજનલ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ની યોજના તૈયાર કરી છે.શહેરી વિકાસ વિભાગ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ટેકનિકલ વિગતો તૈયાર કરી રહ્યું છે.

આ પ્રોજેક્ટ સાણંદને અમદાવાદ સાથે, સાવલીને વડોદરા સાથે, કલોલને ગાંધીનગર સાથે, બારડોલીને સુરત સાથે અને હીરાસરને રાજકોટ સાથે જોડશે. અમદાવાદ અને સાણંદ વચ્ચે પ્રથમ RRTS કોરિડોર વિકસાવવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ટેકનિકલ બિડ્સ આમંત્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

પાંચ સેટેલાઇટ ટાઉન બનાવાશે

વસ્તી વિસ્ફોટને કારણે શહેરો પર બોજ વધ્યો છે. આ દબાણ ઘટાડવા માટે રાજ્ય સરકારે પાંચ સેટેલાઇટ ટાઉન બનાવવાનો નિર્ણય લીધો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સરસ પરિવહન સુવિધાઓથી લોકોને તે સેટેલાઇટ ટાઉન્સમાં સ્થળાંતર કરવાનો વિકલ્પ મળશે, જ્યાં તેમને રોજગારી ઉપલબ્ધ છે.”

ભારતમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં RRTS વિકસાવવામાં આવી રહી છે અને મેરઠ માટેની પ્રથમ લાઇનનું ઉદઘાટન બે વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. ગુજરાત આ નેટવર્ક ધરાવતું બીજું રાજ્ય બનશે. કેન્દ્ર સરકારે માળખાગત સુવિધાઓ અને બીજી સુવિધાઓના વિકાસ માટે રાજ્યોને ફંડ ફાળવ્યું છે, કારણ કે આ વર્ષને “શહેરી વર્ષ” તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જો કે, અમદાવાદ અને સુરતમાં મેટ્રો રેલ નેટવર્ક છે પરંતુ તે શહેરની સીમાઓની અંદર જ કાર્યરત છે.

RRTS નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

RRTS નો ઉદ્દેશ્ય શહેરો અને ઉપનગરો વચ્ચે સરળ અવરજવર માટે શહેરની સરહદોથી આગળ કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. RRTS નો ઉદ્દેશ્ય આર્થિક પ્રવૃત્તિઓ વધારવી, રોજગાર અને શિક્ષણ સુધીની પહોંચમાં સુધારો કરવો અને વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવાનો છે.

દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
g clip-path="url(#clip0_868_265)">