AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવેણાવાસીઓને ક્યારે મળશે ‘વંદે ભારત’ ટ્રેન?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ- Video

ભાવનગરને વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી ન મળતા સ્થાનિક નાગરિકો અને વિપક્ષે અવાજ ઉઠાવ્યો છે. ગુજરાતના 20 શહેરોને વંદે ભારત મળી છે, પરંતુ ભાવનગર વંચિત છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2026 | 9:00 PM
Share

વંદે ભારત ટ્રેન ગતિ અને સુવિધાઓને કારણે મુસાફરોમાં ખુબ જ લોકપ્રિય નિવડી રહી છે. ગુજરાતના 20 શહેરોને 6 વંદે ભારત ટ્રેનો કનેક્ટ કરી રહી છે. પરંતુ ભાવનગરને વંદે ભારત ટ્રેનોની ફાળવણી કરવામાં આવી નથી. ભાવનગર-મુંબઇ વચ્ચે પણ જો વંદે ભારત ટ્રેનની ફાળવણી કરવામાં આવે તો મુસાફરોને નવી સુવિધા મળી શકે તેમ છે. લાંબા સમયથી માંગણી હોવા છતા રેલવે તંત્ર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવાઈ રહ્યો નથી. ભાવનગર શહેરમાં હાલ મુંબઈની એર કનેક્ટિવિટી પણ છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હોવાને કારણે હાલમાં જો વંદે ભારત જેવી ટ્રેન શરૂ થાય તો સુરત અને મુંબઈના મુસાફરો મોટી રાહત મળશે.

સ્થાનિક નાગરિક ધર્મેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે ભાવનગરથી સુરતની જો વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી શરૂ થઈ જાય તો શહેરીજનોને ઘણો લાભ મળી શકે તેમ છે. ભાવનગરથી સુરત અનેક લક્ઝરી બસ જાય છે અને રોજે અનેક મુસાફરો સુરત જતા આવતા હોય છે તો ભાવનગરની જનતાને સારા ટાઈમટેબલ મુજબની વંદેભારતનો લાભ મળવો જોઈએ.

ટ્રેન ન મળતા વિપક્ષે સત્તાધિશોને લીધા આડે હાથ

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા મનોહરસિંહ ગોહિલે જણાવ્યુ કે ભાવનગરને વંદે ભારત ટ્રેન મળે તો ભાવનગરથી સુરત અને ભાવનગરથી મુંબઈની ટ્રેનની મોટી જરૂરિયાત છે. રોજ સેંકડો લોકો અગવડતા સહન કરીને સુરત-મુંબઈ જતા આવતા હોય છે. જો ભાવેણાવાસીઓને સાચો જ ન્યાય અપાવવો હોય તો ત્વરીત ધોરણે વંદે ભારત શરૂ કરવી જોઈએ. વધુમાં તેમણે પ્રહાર કર્યો કે રાજ્યમાં અને કેન્દ્રમાં પણ મંત્રીપદ લઈને બેઠા હોય અને ભાવેણાની જનતાને ન્યાય ન અપાવી શક્તા હોય તો રાજીનામુ આપી દેવુ જોઈએ.

તો આ અંગે ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે અમે રેલવે મંત્રીને રજૂઆત કરી છે અને તેમણે વંદે ભારત ટ્રેન આપવાની ખાતરી પણ આપી છે. હાલ સુરતમાં રેલવે સ્ટેશનની કામગીરી ચાલે છે. એટલે 2થી 3 મહિનામાં ભાવનગરને વંદે ભારત ટ્રેન મળશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">