AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભાવેણાવાસીઓને ક્યારે મળશે ‘વંદે ભારત’ ટ્રેન?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ- Video

ભાવનગરને વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી ન મળતા સ્થાનિક નાગરિકો અને વિપક્ષે અવાજ ઉઠાવ્યો છે. ગુજરાતના 20 શહેરોને વંદે ભારત મળી છે, પરંતુ ભાવનગર વંચિત છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2026 | 9:00 PM
Share

વંદે ભારત ટ્રેન ગતિ અને સુવિધાઓને કારણે મુસાફરોમાં ખુબ જ લોકપ્રિય નિવડી રહી છે. ગુજરાતના 20 શહેરોને 6 વંદે ભારત ટ્રેનો કનેક્ટ કરી રહી છે. પરંતુ ભાવનગરને વંદે ભારત ટ્રેનોની ફાળવણી કરવામાં આવી નથી. ભાવનગર-મુંબઇ વચ્ચે પણ જો વંદે ભારત ટ્રેનની ફાળવણી કરવામાં આવે તો મુસાફરોને નવી સુવિધા મળી શકે તેમ છે. લાંબા સમયથી માંગણી હોવા છતા રેલવે તંત્ર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવાઈ રહ્યો નથી. ભાવનગર શહેરમાં હાલ મુંબઈની એર કનેક્ટિવિટી પણ છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હોવાને કારણે હાલમાં જો વંદે ભારત જેવી ટ્રેન શરૂ થાય તો સુરત અને મુંબઈના મુસાફરો મોટી રાહત મળશે.

સ્થાનિક નાગરિક ધર્મેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે ભાવનગરથી સુરતની જો વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી શરૂ થઈ જાય તો શહેરીજનોને ઘણો લાભ મળી શકે તેમ છે. ભાવનગરથી સુરત અનેક લક્ઝરી બસ જાય છે અને રોજે અનેક મુસાફરો સુરત જતા આવતા હોય છે તો ભાવનગરની જનતાને સારા ટાઈમટેબલ મુજબની વંદેભારતનો લાભ મળવો જોઈએ.

ટ્રેન ન મળતા વિપક્ષે સત્તાધિશોને લીધા આડે હાથ

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા મનોહરસિંહ ગોહિલે જણાવ્યુ કે ભાવનગરને વંદે ભારત ટ્રેન મળે તો ભાવનગરથી સુરત અને ભાવનગરથી મુંબઈની ટ્રેનની મોટી જરૂરિયાત છે. રોજ સેંકડો લોકો અગવડતા સહન કરીને સુરત-મુંબઈ જતા આવતા હોય છે. જો ભાવેણાવાસીઓને સાચો જ ન્યાય અપાવવો હોય તો ત્વરીત ધોરણે વંદે ભારત શરૂ કરવી જોઈએ. વધુમાં તેમણે પ્રહાર કર્યો કે રાજ્યમાં અને કેન્દ્રમાં પણ મંત્રીપદ લઈને બેઠા હોય અને ભાવેણાની જનતાને ન્યાય ન અપાવી શક્તા હોય તો રાજીનામુ આપી દેવુ જોઈએ.

તો આ અંગે ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે અમે રેલવે મંત્રીને રજૂઆત કરી છે અને તેમણે વંદે ભારત ટ્રેન આપવાની ખાતરી પણ આપી છે. હાલ સુરતમાં રેલવે સ્ટેશનની કામગીરી ચાલે છે. એટલે 2થી 3 મહિનામાં ભાવનગરને વંદે ભારત ટ્રેન મળશે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર TDS કપાતો કેવી રીતે બચાવશો- જાણી લો વર્ષ 2026ના નવા નિયમો

Follow Us
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
g clip-path="url(#clip0_868_265)">