AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે.

રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2019માં તે કેરળના વાયનાડથી સાંસદ બન્યા છે.

Read More
Follow On:

Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video

દેશની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું વિલીનીકરણ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

PM મોદીએ મેલોનીને ‘Melody’ ચોકલેટ આપી, પણ દેશના પહેલા વડાપ્રધાન નેહરુજી મહિલાઓને શું ગિફ્ટ આપતા?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ યાત્રા દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી આપવાની ઘટના ચર્ચામાં રહી. આ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ કેટલાક લોકોએ નેહરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરીને ટીકાઓ કરી.

રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં- જુઓ Video

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને મોટુ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. રાયબરેલી ખાતે એક જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલે કહ્યું કે, "તમારા વડા પ્રધાન અને ગૃહમંત્રી દેશદ્રોહી છે."

Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?

Rahul Gandhi foreign trip : રાહુલ ગાંધી 22 વર્ષમાં 54 વખત વિદેશ ગયા છે, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે.ભાજપે કહ્યું આ યાત્રા માટે કોણે ભંડોળ પૂરું પાડ્યું?

Big Breaking News: સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, રાહુલ અને પ્રિયંકા પણ હાજર

Sonia Gandhi Admit in Hospital: સોનિયા ગાંધીની તબિયત ખરાબ છે. તેમને પેટ, ફેફસા અને શ્વાસની તકલીફ છે. તેમની સારવાર સર ગંગા રામ હોસ્પિટલ, શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને ગુરુગ્રામમાં મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ તેનુ જુદુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. PM મોદીની આ અપીલ પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે દરેક વખતે તેઓ જનતા પર જવાબદારી ઢોળીને બચી જાય છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતાએ લોકોને સોનુ ન ખરીદવાની અપીલ કરી હોય. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને પી ચિદમ્બરમ સહિતના આવી અપીલ કરી ચુક્યા છે. હાલ તો મોદીએ ફક્ત સોનું ન ખરીદવાની અપીલ કરી છે. અગાઉની કોંગ્રેસની સરકારોએ તો દેશ માટે સોનુ દાન કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી અને લોકોએ ખોબલે ખોબલે દેશ માટે સોનાનું દાન પણ આપ્યુ હતુ. વાંચો

INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને ભારતીય રાજકારણમાં મોટો પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપની આ જીત દર્શાવે છે કે પાર્ટી હિન્દુત્વ અને કલ્યાણકારી યોજનાના આધારે પોતાની પકડ મજબૂત બનાવી રહીં છે. વિપક્ષ માટે આ ઊંડી ચિંતાનો વિષય છે.

Kerala Assembly Election Result : કેરળમાં કોંગ્રેસની સફળતા, રાહુલ-પ્રિયંકાની જોડીએ લાવ્યો બદલાવ!

કેરળમાં કોંગ્રેસની આ જીત રાહુલની સંગઠનાત્મક પકડ અને પ્રિયંકાની જનસંવાદનું સફળ પરિણામ છે. રાહુલ ગાંધી, જ્યાં પાર્ટીની અંદર રાજકારણ સંભાળી અને નેરેટિવ સેટ કર્યો ત્યાં પ્રિયંકા ગાંધી જમીન સ્તરે મતદારોને પ્રભાવિત કર્યા.

રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની 99 હાર: વર્ષ 2000 થી 2026 સુધીમાં કોંગ્રેસનો હારનો સિલસિલો યથાવત, ભાજપે કર્યો કટાક્ષ

જેવા 2026ની વિધાનસભા ચૂંટણીઓમાં શરૂઆતી રૂઝાનોમાં પશ્ચિમ બંગાળ અને અસમમાં લીડ મળતી જોવા મળી, તુરંત ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાનું શરૂ કર્યુય ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમા 2000 ના દશકના મધ્યથી તેમના નેતૃત્વમાં કોંગ્રેસને મળેલી 99 ચૂંટણી હારોને ઉજાગર કરવામાં આવી અને તેને સતત હારનો સિલસિલો ગણાવ્યો.

Breaking News : રાહુલ ગાંધીની વધશે મુશ્કેલી ! બેવડી નાગરિકતા કેસમાં FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર બેવડી નાગરિકતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી બાદ, કોર્ટે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

Breaking News : રાહુલ ગાંધીએ જણાવ્યો મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડા

મહિલા અનામત બિલ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં કહ્યું કે, આ બિલ થકી ભાજપના બે ઉદ્દેશ્યો છે. ચૂંટણી નકશામાં ફેરફાર કરવો અને મહિલાઓનો વિશ્વાસ જીતવો. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, સરકાર સંપૂર્ણપણે જાણે છે કે આ બિલ, સર્વાનુમતે કે વિના વિરોધે તો પસાર નહીં જ થાય. રાહુલ ગાંધીએ એવો આક્ષેપ […]

સંસદ બાહર જ્યારે સામ-સામે આવ્યા PM મોદી અને રાહુલ ગાંધી, કરી લાંબી વાતચીત, જુઓ-Video

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ટૂંકી વાતચીત કરવા માટે થોડી ક્ષણો રોકાયા. રાહુલ અને પીએમ મોદી વચ્ચેની આ વાતચીતના ફોટોગ્રાફ્સ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

તે બોલવા નથી માંગતા, તો કેવી રીતે બોલાવીએ.. રાહુલ ગાંધીના આરોપ પર બોલ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા

WITT 2026 સત્તા સંમેલનના મંચ પરથી બોલતા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ રાહુલ ગાંધી પર તેમના ચોક્કસ આરોપ - કે તેમને સંસદમાં બોલવાની મંજૂરી નથી - અંગે વળતો પ્રહાર કર્યો. સિંધિયાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ પોતાનો અડધો સમય વિદેશમાં વિતાવે છે

WITT Summit 2026: શું ભાજપ રાહુલ ગાંધીની છબી ખરાબ કરી રહ્યું છે? જાણો સત્તા સંમેલનમાં સ્મૃતિ ઈરાનીએ શું કહ્યુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "મેં હંમેશા જીવનને એક તક તરીકે જોયું છે. હું ક્યારેય નિર્ણયોથી ડરતી નથી. મારી જાતને નવા ઘાટમાં ઢાળવી એ મારો સૌભાગ્ય છે."

Breaking News: આવતીકાલે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં કરશે સંવાદ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખોનુ એલાન નથી થયુ એ પહેલા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે. રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા પહોંચશે અને આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં સામેલ થશે.

સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">