રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે.
રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2019માં તે કેરળના વાયનાડથી સાંસદ બન્યા છે.
Read Moreઆંદોલનકારી Gen-Z વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવાનો આદેશ કોણે આપ્યો ? સાદા વસ્ત્રોમાં લોકોને માર મારનારા કોણ હતા ? રાહુલ ગાંધીએ અમિત શાહને લખયો પત્ર
રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખીને 20 જુલાઈના રોજ જંતર-મંતર પર વિદ્યાર્થીઓ પર થયેલા "ક્રૂર હુમલા" માટે જવાબદારી લેવાની માંગ કરી છે. તેમણે પેલેટ ગનનો ઉપયોગ કરવાથી એક વિદ્યાર્થીની એક આંખની દ્રષ્ટિ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું ગૃહમંત્રીએ ઘાતક બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. જો તેમણે નહોતી આપી તો પેલેટ ગનનો ઉપયોગ કરવાનું કોણે કહ્યું હતું
- Bipin Prajapati
- Updated on: Jul 26, 2026
- 2:01 pm
ધર્મેન્દ્ર પ્રધાનને પાણીચું આપો, 3 શરતો રાખતા રાહુલ ગાંધીએ કહ્યું-આંદોલનકારી વિદ્યાર્થીઓને કોંગ્રેસનો સાથ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને પેપર લીકના મુદ્દા પર ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે 22 જુલાઈને બુધવારે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ત્રણ માંગણીઓ રજૂ કરી. તેમણે કહ્યું કે આ ત્રણ માંગણીઓ પર કોઈ સમાધાન થઈ શકે નહીં.
- Bipin Prajapati
- Updated on: Jul 22, 2026
- 7:08 pm
કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન કોંગ્રેસે કેવી રીતે કર્યુ હાઈજેક? એક જ દિવસમાં બદલાઈ ગયો સંપૂર્ણ ખેલ- વાંચો
રાહુલ ગાંધી જો આંદોલનમાં આ રીતે સામે આવ્યા છે તો તેની સામે વિપક્ષી ગઠબંધનને પણ મજબુત કરવાની મોટી તક છે. મમતા બેનર્જીએ પણ દિલ્હી આવવાની વાત કરી છે. સમાજવાદી પાર્ટી પણ સક્રિય છે.
- Mina Pandya
- Updated on: Jul 21, 2026
- 7:38 pm
સરકાર ચર્ચા માટે તૈયાર, રાહુલ રાજીનામા પર અડગ, ધરણા સ્થળેથી એક પછી એક સાંસદોને દિલ્હી પોલીસ ઉઠાવી ગઈ
ચોમાસુ સત્રના બીજા દિવસે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ વડા પ્રધાનના નિવાસસ્થાન બહાર ધરણા કર્યા છે. કોંગ્રેસના નેતાઓ સાંસદો શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. આ બાબતે બોલતા, રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી કે દેશના યુવાનો માટે હવે કોઈ તક બાકી નથી અને તેમના માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે. તેમણે નોંધ્યું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ એક સમયે ખુલ્લો હતો, પરંતુ તે વ્યવસ્થા પણ બરબાદ થઈ ગઈ છે.
- Bipin Prajapati
- Updated on: Jul 21, 2026
- 7:01 pm
Trending Video: રાહુલ ગાંધીની ‘સિક્રેટ ફેમિલી’ ની અફવાનું શું છે ‘સત્ય’ ? વિદેશ યાત્રા પાછળનું અસલી રહસ્ય જાણો
સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક નવો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વેકેશનના મૂડમાં એક બાળકની મુલાકાત લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ ઇન્ટરનેટ પર એવી અફવાઓ ઉડવા લાગી છે કે, વીડિયોમાં દેખાતી મહિલા તેમની કોઈ 'સિક્રેટ ફેમિલી' (ગુપ્ત પરિવાર) છે. એવામાં સવાલ એ છે કે, શું આ દાવો સાચો છે કે પછી આ માત્ર એક અફવા છે?
- Ravi Prajapati
- Updated on: Jul 20, 2026
- 7:08 pm
Breaking News: દેશની રાજનીતિમાં સૌથી ‘મોટા સમાચાર’, મમતા બેનર્જી તૃણમુલ કોંગ્રેસને વિલીન કરી કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા – જુઓ Video
દેશની રાજનીતિમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પાર્ટી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નું વિલીનીકરણ કરીને ફરી એકવાર કોંગ્રેસમાં વાપસી કરે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 10, 2026
- 4:16 pm
PM મોદીએ મેલોનીને ‘Melody’ ચોકલેટ આપી, પણ દેશના પહેલા વડાપ્રધાન નેહરુજી મહિલાઓને શું ગિફ્ટ આપતા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુરોપ યાત્રા દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી આપવાની ઘટના ચર્ચામાં રહી. આ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી બાદ કેટલાક લોકોએ નેહરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધી સાથે સરખામણી કરીને ટીકાઓ કરી.
- Sagar Solanki
- Updated on: May 21, 2026
- 5:24 pm
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં- જુઓ Video
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને મોટુ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. રાયબરેલી ખાતે એક જાહેર સભાને સંબોધન કરતી વખતે રાહુલે કહ્યું કે, "તમારા વડા પ્રધાન અને ગૃહમંત્રી દેશદ્રોહી છે."
- TV9 Gujarati
- Updated on: May 20, 2026
- 5:10 pm
Breaking News : કમાણી 11 કરોડ અને ખર્ચો 60 કરોડ, 22 વર્ષમાં 54 વખત વિદેશ યાત્રા, ભાજપે કહ્યું આટલું ભંડોળ કોણે પૂરું પાડ્યું?
Rahul Gandhi foreign trip : રાહુલ ગાંધી 22 વર્ષમાં 54 વખત વિદેશ ગયા છે, રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ભાજપે સવાલ ઉઠાવ્યા છે.ભાજપે કહ્યું આ યાત્રા માટે કોણે ભંડોળ પૂરું પાડ્યું?
- Nirupa Duva
- Updated on: May 14, 2026
- 10:58 am
Big Breaking News: સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ, રાહુલ અને પ્રિયંકા પણ હાજર
Sonia Gandhi Admit in Hospital: સોનિયા ગાંધીની તબિયત ખરાબ છે. તેમને પેટ, ફેફસા અને શ્વાસની તકલીફ છે. તેમની સારવાર સર ગંગા રામ હોસ્પિટલ, શિમલામાં ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને ગુરુગ્રામમાં મેદાંતા હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
- Meera Kansagara
- Updated on: May 13, 2026
- 12:09 pm
PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ તેનુ જુદુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. PM મોદીની આ અપીલ પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે દરેક વખતે તેઓ જનતા પર જવાબદારી ઢોળીને બચી જાય છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતાએ લોકોને સોનુ ન ખરીદવાની અપીલ કરી હોય. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને પી ચિદમ્બરમ સહિતના આવી અપીલ કરી ચુક્યા છે. હાલ તો મોદીએ ફક્ત સોનું ન ખરીદવાની અપીલ કરી છે. અગાઉની કોંગ્રેસની સરકારોએ તો દેશ માટે સોનુ દાન કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી અને લોકોએ ખોબલે ખોબલે દેશ માટે સોનાનું દાન પણ આપ્યુ હતુ. વાંચો
- Mina Pandya
- Updated on: May 15, 2026
- 4:30 pm
INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને ભારતીય રાજકારણમાં મોટો પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. ભાજપની આ જીત દર્શાવે છે કે પાર્ટી હિન્દુત્વ અને કલ્યાણકારી યોજનાના આધારે પોતાની પકડ મજબૂત બનાવી રહીં છે. વિપક્ષ માટે આ ઊંડી ચિંતાનો વિષય છે.
- Dhruval Shah
- Updated on: May 9, 2026
- 11:40 am
Kerala Assembly Election Result : કેરળમાં કોંગ્રેસની સફળતા, રાહુલ-પ્રિયંકાની જોડીએ લાવ્યો બદલાવ!
કેરળમાં કોંગ્રેસની આ જીત રાહુલની સંગઠનાત્મક પકડ અને પ્રિયંકાની જનસંવાદનું સફળ પરિણામ છે. રાહુલ ગાંધી, જ્યાં પાર્ટીની અંદર રાજકારણ સંભાળી અને નેરેટિવ સેટ કર્યો ત્યાં પ્રિયંકા ગાંધી જમીન સ્તરે મતદારોને પ્રભાવિત કર્યા.
- Dhruval Shah
- Updated on: May 5, 2026
- 10:38 am
રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસની 99 હાર: વર્ષ 2000 થી 2026 સુધીમાં કોંગ્રેસનો હારનો સિલસિલો યથાવત, ભાજપે કર્યો કટાક્ષ
જેવા 2026ની વિધાનસભા ચૂંટણીઓમાં શરૂઆતી રૂઝાનોમાં પશ્ચિમ બંગાળ અને અસમમાં લીડ મળતી જોવા મળી, તુરંત ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાનું શરૂ કર્યુય ભાજપે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમા 2000 ના દશકના મધ્યથી તેમના નેતૃત્વમાં કોંગ્રેસને મળેલી 99 ચૂંટણી હારોને ઉજાગર કરવામાં આવી અને તેને સતત હારનો સિલસિલો ગણાવ્યો.
- Mina Pandya
- Updated on: May 4, 2026
- 4:07 pm
Breaking News : રાહુલ ગાંધીની વધશે મુશ્કેલી ! બેવડી નાગરિકતા કેસમાં FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર બેવડી નાગરિકતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી બાદ, કોર્ટે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Apr 17, 2026
- 5:32 pm