Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે.

રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2019માં તે કેરળના વાયનાડથી સાંસદ બન્યા છે.

Read More
Follow On:

“મારુ પદ ટકાવી રાખવા માટે ક્યારેય હાઈકમાન્ડ સામે જી હજુરી કરી નથી”- શક્તિસિંહ

tv9 ગુજરાતી દ્વારા આયોજીત કોન્કલેવ 2025માં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ સવાલોનો નિખાલસતાથી અને બેબાક રીતે જવાબો આપ્યા. હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, કોંગ્રેસના ગદ્દારો, રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત સહિતના તમામ મુદ્દાઓ પર બાપુએ ખૂલીને વાત કરતા જોવા મળ્યા.

ગુજરાતમા બે પ્રકારના લોકો છે, સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે જ આવુ નિવેદન આપી કર્યુ અપમાન?- જુઓ Video

લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો કોંગ્રેસના કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા

કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને જ નુકસાન પહોંચાડનારાઓને રાહુલે કહી દીધુ કે 20,30 ગદ્દારોને કાઢવા પડે તો કાઢી નાખો

કોંગ્રેસના અગ્રણી અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો, જેમાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે જાહેરમાં તેમના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન રાહુલ ગાંધી સિનિયર નેતાઓનો પણ ઉધડો લેતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ગદ્દારોને પણ રાહુલે રોકડુ પરખાવી દીધુ કે 10, 15, 20, 30 લોકોને કાઢવા પડે તો કાઢી નાખવા જોઈએ.

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આપ્યા ખોટા આંકડા, વિપક્ષનો 40 ટકા વોટ શેર હોવાના દાવામાં કેટલુ સત્ય?

ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર સંવાદ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલે જણાવ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસનો 40 ટકા વોટ શેર છે. જો કે ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કોંગ્રેસ પાસે 40 ટકા નહીં પરંતુ 27 ટકા વોટ શેર છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા દ્વારા તપાસો કે રાહુલ ગાંધીના કોંગ્રેસ પાસે 40 ટકા વોટશેરના દાવામાં કેટલી સચ્ચાઈ છે?

Breaking News : ગુજરાતની અપેક્ષાઓ પર હું અને કોંગ્રેસ ખરુ ન ઉતરી શક્યુ, અમદાવાદની સભામાં રાહુલ ગાંધીએ કર્યો સ્વીકાર

ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ઘણા લોકો એવા છે કે જે ભાજપ માટે કામ કરે છે.  ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ મારા તરફથી હતી, અમારા પ્રભારી તરફથી, ગુજરાતના પક્ષ તરફથી હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. આપણે લોકો સાથે સીધા જોડાવુ પડશે.

રાહુલ ગાંધીના જીવનનું સૌથી મોટું કન્ફેશન ! ક્હ્યું- હું અને પાર્ટી ગુજરાતને રસ્તો ના દેખાડી શક્યા, જુઓ-Video

ગુજરાત અટવાયું છે, ગુજરાત રસ્તો જોઈ શકતું નથી, ગુજરાત રસ્તો જોવા માંગે છે, આગળ વધવા માંગે છે, અને કોંગ્રેસ પાર્ટી, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને હું આ મંચ પરથી કહી રહ્યો છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટી ગુજરાતને રસ્તો બતાવવા નિષ્ફળ ગઈ છે.

Breaking News : ગુજરાતમાં રાહુલ ગાંધીએ ગુજરાતી કોંગ્રેસના નેતાઓને લઇને આપ્યુ મુંઝવણમાં મુકતુ નિવેદન, કહ્યુ-કોંગ્રેસમાં બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત અંગે ખૂબ જ સક્રિય છે. આ પ્રવાસમાં તેઓ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી માટે એક બેઠક પણ યોજશે.આ દરમિયાન અમદાવાદમાં તેમણે સભામાં સંબોધન કરતા નિવેદન આપ્યુ છે કે કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, બબ્બર શેર છે, પણ બાંધી દીધેલા છે'

રાહુલે ગુજરાત આવતા જ શરૂ કર્યો તાબડતોબ બેઠકોનો દૌર, સિનિયર નેતાઓને ખખડાવતા પૂછ્યુ કે તમે કરો છો શું? તો એક કાર્યકરનો ફુ્ટ્યો ગુસ્સો- Video

ગુજરાતમાં 8-9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસના મહાઅધિવેશન ના બરાબર એક મહિના અગાઉ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન અમદાવાદ પહોંચતાની સાથે જ તેમણે એક બાદ એક બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને રીતસરના ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખખડાવી નાખતા એવો સવાલ પણ કર્યો હતો કે તમે બધા કરી શું રહ્યા છો?

ટીમ ઈન્ડિયાની જીત બાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની ફની પોસ્ટ વાયરલ થઈ , જુઓ ફોટો

થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે રોહિત શર્માની ફિટનેસ પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ. જેને લઈ હવે ધમાલ મચી રહી છે. તેમણે રોહિત શર્માના વજન અને કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવ્યા હતા.પરંતુ તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે.

કોઈ એક્ટર નહીં પરંતુ રાહુલ ગાંધી પર આવ્યુ હતુ કપૂર ખાનદાનની આ અભિનેત્રીનું દિલ, કરવા માગતી હતી ડેટ- વાંચો

કપૂર ખાનદાનમાંથી આવતી આ અભિનેત્રી આજે એક બહુ મોટા અને બહુ અમીર ઘરાનાની પુત્રવધુ છે. પરંતુ તેનુ એક જુનુ ઈન્ટરવ્યુ તાજેતરમાં સામે આવ્યુ છે. જેમા અભિનેત્રીએ ખૂલીને પોતાના વિશે વાત કરી છે. જોકે તેમણે કહ્યુ કે તેનુ કોઈ એક્ટર પર નહીં પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર એક સમયે તેનુ દિલ આવ્યુ હતુ.

સસંદમાં લાગ્યા Zero ના નારા ! રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા એવું તો શું બોલ્યા અનુરાગ ઠાકુર, જુઓ-Video

વાસ્તવમાં તે પેમ્ફલેટ પર 1200000 રૂપિયા સુધીની આવકવેરા માફી લખવામાં આવી હતી પરંતુ શૂન્યની વાત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધીનો ઉલ્લેખ કર્યો હતો.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની મોટી હેટ્રિક…આ વખતે પણ મળી ‘0’ બેઠક

કોંગ્રેસ દિલ્હીમાં ફરી એક વખત ચૂંટણી હારી છે. પાર્ટીનો દિલ્હીમાં સતત ત્રીજી વખત સફાયો થયો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નથી. દિલ્હીમાં કોંગ્રેસનું પતન 2015માં શરૂ થયું હતું, 2015માં કોંગ્રેસે તમામ 70 બેઠકો ગુમાવી હતી.

Rahul Dravid Car Accident : રાહુલ દ્રવિડની કારનો અકસ્માત, લોડિંગ ઓટો સાથે ટકરાઇ કાર, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. રાહુલ દ્રવિડની કાર એક લોડિંગ ઓટો સાથે ટક્કર થઇ હતી. આ ઘટના બેંગલુરુના કનિંગહામ રોડની હોવાનું જાણવા મળી રહ્યું છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દેશમાં બેરોજગારીનો ઉકેલ UPA કે NDA ને હજુ સુધી મળ્યો નથી : રાહુલ ગાંધી

રાષ્ટ્રપતિએ બજેટસત્ર પૂર્વે સંસદને કરેલા સંબોધન પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, બેરોજગારીનો ઉકેલ હજુ સુધી યુપીએ કે એનડીએને મળ્યો નથી. પીએમ મોદીનો 'મેક ઇન ઇન્ડિયા'નો વિચાર સારો હતો પરંતુ તેનાથી દેશમાં કંઈ થયું નહીં. તેમના પ્રયાસને નિષ્ફળતા સાંપડી છે.

રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ આપી છે.

કાળઝાળ ગરમી વચ્ચે ડભોઈમાં સર્જાયો હિલ સ્ટોશન જેવો માહોલ
કાળઝાળ ગરમી વચ્ચે ડભોઈમાં સર્જાયો હિલ સ્ટોશન જેવો માહોલ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનુું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક લાભના સંકેત, જાણો આજનુું રાશિફળ
કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું
હાઈકોર્ટના જજ સામે કેસ કરવાનો હતો, પછી માંડી વાળ્યું
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
લુખ્ખા તત્વો પર વડોદરા પોલીસની તવાઈ, 7 ગેરકાયદે બાંધકામ તોડ્યા
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉછળતા મનપાની સામાન્ય સભામાં થયો હોબાળો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
દેવદૂત બની ખાખી ! આપઘાત કરવા નીકળેલા પરિવારનો પોલીસે જીવ બચાવ્યો
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
કરોડોના GST કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજુર
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
KBZ ફૂડ કંપનીમાં લાગેલી આગનું કારણ અકબંધ, 50 કરોડનું થયુ નુકસાન
g clip-path="url(#clip0_868_265)">