
રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે. તેમની માતાનું નામ સોનિયા ગાંધી છે. તેમનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના દાદી ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધી હતા. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના પુત્ર છે, તેમને એક બહેન, પ્રિયંકા ગાંધી છે જે પણ રાજકારણમાં સક્રિય છે.
રાહુલે 2004માં રાજકીય કારકિર્દીની શરૂઆત કરી તેઓ ઉત્તર પ્રદેશના તેમના પિતાના મતદારક્ષેત્રમાંથી અમેઠીથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડ્યા હતા. 24 સપ્ટેમ્બર, 2007 ના રોજ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં થયું હતુ, અને પછી દેહરાદૂન ગયા. તેમણે હાર્વર્ડ કોલેજ અને રોલીન કોલેજ, ફ્લોરિડામાં પ્રવેશ લીધો, જ્યાંથી તેમણે બેચલર ઓફ આર્ટ સાથે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. રાહુલએ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાંથી વિકાસ અધ્યયનમાં પોતાનો એમ એમ ફિલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ખાનગી કંપનીઓ માટે કામ કર્યું હતું. તેઓ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. 2019માં તે કેરળના વાયનાડથી સાંસદ બન્યા છે.
ભાજપ – આરએસએસને ગુજરાતથી જ સમગ્ર દેશમાં હરાવીશું : રાહુલ ગાંધી
કોંગ્રેસ પક્ષ સંગઠનક્ષેત્રે સમગ્ર દેશમાં આમૂલ પરિવર્તન કરી રહ્યું છે. સંગઠનક્ષેત્રે કરાનારા ફેરફારની શરુઆત ગુજરાતથી કરવામાં આવશે. જેના ભાગરુપે લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અરવલ્લીના મોડાસામાં અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ મહત્વની બેઠકના નિચોડ સ્વરૂપે, રાહુલ ગાંધીએ મોડાસામાં યોજાયેલ જાહેરસભામાં કેટલીક જાહેરાતો કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2025
- 5:55 pm
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન, જુઓ Video
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન સર્જન અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. મોડાસાથી રાહુલ ગાંધી અભિયાનની શરુઆત કરશે. વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસનો નિર્ણય તરીકે ઉજવવાનો છે. સંગઠનમાં પરિવર્તનના પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની પસંદગી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 16, 2025
- 11:34 am
રાહુલ ગાંધી – સોનિયા ગાંધીની વધશે મુશ્કેલી, નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ દાખલ કરેલ ચાર્જશીટમાં બન્નેનો નામોલ્લેખ
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી તેમજ કોંગ્રેસના ઓવરસીઝ વડા સામ પિત્રોડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં આ ત્રણેય ઉપરાંત સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે. આ કેસમાં ઈડીએ દાખલ કરેલ ચાર્જશીટમાં દર્શાવેલા આરોપોની નોંધ લેવા માટે કોર્ટે 25 એપ્રિલની સુનાવણીની તારીખ નક્કી કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 15, 2025
- 7:40 pm
રાહુલ ગાંધી મનીષ રાજ માટે બન્યો ‘વરદાનરૂપી’ અને આપ્યું ‘વચન’, જાણો કોણ છે મનીષ રાજ?
મનીષ રાજ માટે રાહુલ ગાંધી બન્યા 'દેવદૂત', રાહુલ ગાંધીએ ફરીવાર જનતાની વાહવાહી મેળવી. આજની મુલાકાત થયા બાદ રાહુલ ગાંધીએ મનીષ રાજને આપી ખાતરી.
- Ravi Prajapati
- Updated on: Apr 15, 2025
- 5:47 pm
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત, જિલ્લા નિરીક્ષકોની ટીમની કરાઈ રચના
કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં સત્તા મેળવવા માટે કમર કસી છે. એઆઈસીસીનુ રાષ્ટ્રિય અધિવેશન અમદાવાદમાં યોજ્યા બાદ, લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં આવેલા પ્રદેશ કાર્યાલયે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા દિઠ પાંચ સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે.
- Narendra Rathod
- Updated on: Apr 15, 2025
- 5:25 pm
રાહુલ ગાંધી ફરી ગુજરાતની બે દિવસની મુલાકાતે, સંગઠન સર્જન અભિયાન પ્રોજેક્ટનો ગુજરાતથી કરાવશે પ્રારંભ
કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન પૂરુ થયું છે ને એવામાં ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, શરૂ કરશે ‘સંગઠન સર્જન અભિયાન' પ્રોજેક્ટ પર કામ.
- TV9 Gujarati
- Updated on: Apr 13, 2025
- 6:42 pm
ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાતિ જનગણના સહિત અનેક મુદે રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, જુઓ Video
રાહુલ ગાંધીએ ગુજરાતના અધિવેશનમાં જાતિ ગણતરીની તાતી માંગ કરી. તેમણે દેશમાં દલિત, આદિવાસી અને અન્ય પછાત વર્ગોની ભાગીદારીની વાસ્તવિક સ્થિતિ જાણવાની માંગણી કરી.
- TV9 Gujarati
- Updated on: Apr 9, 2025
- 6:30 pm
કોંગ્રેસની CWC માં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવા અંગે મંથન, ખરગેએ સંઘને લીધુ આડેહાથ, ભાજપને સરદારના નામે ઘેરી
કોંગ્રેસની 3.30 કલાક ચાલેલી વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે એ કરી. તેમણે ભાજપ પર રાષ્ટ્રીય નાયકોના નામે લોકોમાં ગેરસમજ ઉભી કરી ષડયંત્ર ચલાવવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેઓ સંઘ પર પણ ચાબખા મારવાનું ચુક્યા ન હતા.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 8:25 pm
કોંગ્રેસના તમામ જિલ્લાધ્યક્ષોને સોંપાશે નવી જવાબદારી, ગ્રાસરૂટ લેવલે કોંગ્રેસને વધુ મજબૂત કરવા પર CWCમાં ચર્ચા- સચિન પાયલોટ
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલી રહી છે ત્યારે બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી રહી છે તે અંગે સચિન પાયલોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બેઠકમાં દેશભરના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષોની વધુ સશક્ત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આજે ચાલી રહેલી કાર્યકારિણીના અંતે ન્યાયપથ નામથી રિઝોલ્યુશન પણ પારિત કરવામાં આવશે.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 4:03 pm
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે CWCની બેઠક, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સહિતના આ રહેશે કાર્યક્રમો- Video
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં 2500 થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. ત્યારે આવો જાણીએ આ બે દિવસ દરમિયાન કોંગ્રેસનો શું રહેશે કાર્યક્રમ.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 1:45 pm
“મારુ પદ ટકાવી રાખવા માટે ક્યારેય હાઈકમાન્ડ સામે જી હજુરી કરી નથી”- શક્તિસિંહ
tv9 ગુજરાતી દ્વારા આયોજીત કોન્કલેવ 2025માં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તમામ સવાલોનો નિખાલસતાથી અને બેબાક રીતે જવાબો આપ્યા. હાલ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ, કોંગ્રેસના ગદ્દારો, રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત સહિતના તમામ મુદ્દાઓ પર બાપુએ ખૂલીને વાત કરતા જોવા મળ્યા.
- TV9 Gujarati
- Updated on: Mar 16, 2025
- 12:36 pm
ગુજરાતમા બે પ્રકારના લોકો છે, સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે જ આવુ નિવેદન આપી કર્યુ અપમાન?- જુઓ Video
લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો કોંગ્રેસના કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા
- Mina Pandya
- Updated on: Mar 8, 2025
- 7:51 pm
કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને જ નુકસાન પહોંચાડનારાઓને રાહુલે કહી દીધુ કે 20,30 ગદ્દારોને કાઢવા પડે તો કાઢી નાખો
કોંગ્રેસના અગ્રણી અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો, જેમાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે જાહેરમાં તેમના મંતવ્યો રજૂ કર્યા. આ દરમિયાન રાહુલ ગાંધી સિનિયર નેતાઓનો પણ ઉધડો લેતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના ગદ્દારોને પણ રાહુલે રોકડુ પરખાવી દીધુ કે 10, 15, 20, 30 લોકોને કાઢવા પડે તો કાઢી નાખવા જોઈએ.
- Mina Pandya
- Updated on: Mar 8, 2025
- 7:07 pm
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આપ્યા ખોટા આંકડા, વિપક્ષનો 40 ટકા વોટ શેર હોવાના દાવામાં કેટલુ સત્ય?
ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર સંવાદ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલે જણાવ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસનો 40 ટકા વોટ શેર છે. જો કે ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કોંગ્રેસ પાસે 40 ટકા નહીં પરંતુ 27 ટકા વોટ શેર છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા દ્વારા તપાસો કે રાહુલ ગાંધીના કોંગ્રેસ પાસે 40 ટકા વોટશેરના દાવામાં કેટલી સચ્ચાઈ છે?
- Mina Pandya
- Updated on: Mar 8, 2025
- 5:18 pm
Breaking News : ગુજરાતની અપેક્ષાઓ પર હું અને કોંગ્રેસ ખરુ ન ઉતરી શક્યુ, અમદાવાદની સભામાં રાહુલ ગાંધીએ કર્યો સ્વીકાર
ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષનો પર્દાફાશ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ઘણા લોકો એવા છે કે જે ભાજપ માટે કામ કરે છે. ગુજરાતના લોકોની જે અપેક્ષાઓ મારા તરફથી હતી, અમારા પ્રભારી તરફથી, ગુજરાતના પક્ષ તરફથી હતી, તે અમે પૂરી કરી શક્યા નથી. આપણે લોકો સાથે સીધા જોડાવુ પડશે.
- Tanvi Soni
- Updated on: Mar 8, 2025
- 2:51 pm