AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. રાહુલ ગાંધી ભારતના પૂર્વ સૈન્યવડા એમ એમ નરવણેના પુસ્તક પર ચીનની ઘૂસણખોરીને લઈને સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, જ્યારે ભાજપે વળતો જવાબ આપ્યો છે. આ હોબાળાને કારણે, પીએમ મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન લોકસભામાં થઈ શક્યું નથી.

Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2026 | 5:45 PM
Share

સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર ગૃહની અંદર અને ગૃહની બહાર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક પર વિવાદ થયો. રાહુલ ગાંધી ચીની ઘૂસણખોરીનો આરોપ લગાવીને સરકાર પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જવાબમાં, ભાજપના સાંસદ નિશિકાંત દુબે પણ ગૃહમાં એક પુસ્તક લાવ્યા. જેને લઈને સરકાર પક્ષ અને વિપક્ષ વચ્ચેનો હોબાળો વધ્યો. આ બધાની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન થઈ શક્યું નહીં. દિવસભર વિપક્ષે મચાવેલા હોબાળા બાદ, ગૃહની કાર્યવાહી આવતીકાલ સવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.

અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લોકસભામાં પીએમના નિર્ધારિત ભાષણ પહેલાં થઈ હતી. અમિત શાહે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી, જેઓ પણ હાજર હતા. ગૃહમાં આખો દિવસ હોબાળો જોવા મળ્યો.

નિશિકાંત દુબેના નિવેદનથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો

આનું કારણ ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું લોકસભામાં આપેલું નિવેદન હતું. તેમણે ગાંધી પરિવાર વિશે લખાયેલા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વાંધાજનક ટિપ્પણીઓ હતી. નિશિકાંત દુબેના નિવેદનથી ગૃહમાં હોબાળો વધ્યો હતો અને અધ્યક્ષને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ પછી, વિપક્ષી પક્ષોના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ધસી ગયા હતા. જ્યા તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે રાહુલ ગાંધીને પુસ્તક પર બોલવાની મંજૂરી આપવામાં આવી ના હતી તો પછી ભાજપના સાંસદને પુસ્તક પર કેમ બોલવા દેવામાં આવ્યા.

એવું લાગતું નથી કે આજે પીએમ ગૃહમાં આવેઃ રાહુલ

કોંગ્રેસ અને વિપક્ષી પક્ષના સાંસદોએ, વ્હાલા દવલાના મુદ્દાએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના કાર્યાલયમાં હોબાળો મચાવ્યો. દરમિયાન, રાહુલ ગાંધી પણ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. પુસ્તક પર ચાલી રહેલા આ વિવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, “એવું લાગતું નથી કે પીએમ આજે ગૃહમાં આવશે. જો તેઓ સંસદમાં આવશે તો હું તેમને આ પુસ્તક આપીશ.” જો કે, રાહુલ ગાંધી નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હતા. જે પુસ્તક પ્રકાશીત થયું નથી તેમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું.

Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો

વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
RTIમાં ખુલાસો થયો, પ્રો. કમલ મહેતાના રિસર્ચ પેપરમાં ગેરરીતિના આક્ષેપ..
g clip-path="url(#clip0_868_265)">