AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL ફાઈનલ હાર્યા બાદ પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું, જાણો પંજાબ કિંગ્સની ક્વિને શું કહ્યું?

IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી ગઈ હતી. આ હારના ત્રણ દિવસ પછી, પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાની પ્રતિક્રિયા આપી છે. જાણો આ અભિનેત્રીએ પોતાની ટીમની હાર પર શું કહ્યું?

IPL ફાઈનલ હાર્યા બાદ પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું, જાણો પંજાબ કિંગ્સની ક્વિને શું કહ્યું?
Preity ZintaImage Credit source: PTI
| Updated on: Jun 06, 2025 | 10:29 PM
Share

IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સની 6 રનથી હાર બાદ, ટીમ માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તેણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક અને પ્રેરણાદાયક સંદેશ શેર કર્યો, જેમાં તેણીએ તેની ટીમના હિંમત અને જુસ્સાની પ્રશંસા કરી. પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે આ સફર ઈચ્છા મુજબ સમાપ્ત થઈ નથી, પરંતુ ખૂબ સારું લાગ્યું કે ભારતીય અનકેપ્ડ ખેલાડીઓએ અદ્ભુત રમત બતાવી.

પ્રીતિ ઝિન્ટાએ કરી પોસ્ટ

પ્રીતિ ઝિન્ટાએ કહ્યું, ‘આ અમારી ઈચ્છા મુજબ સમાપ્ત થયું નહીં, પરંતુ… આ સફર અદ્ભુત હતી! તે રોમાંચક, મનોરંજક અને પ્રેરણાદાયક હતી. મને અમારી યુવા ટીમ, અમારા સિંહોની લડાઈ અને જુસ્સો ખૂબ ગમ્યો. અમારા કેપ્ટન, અમારા સરપંચનું નેતૃત્વ અને અમારા ભારતીય અનકેપ્ડ ખેલાડીઓની આ IPLમાં શાનદાર પ્રદર્શન કરવાની રીત મને ખૂબ ગમી.’

પંજાબ કિંગ્સની શાનદાર સફર

આ સિઝન પંજાબ કિંગ્સ માટે ઉતાર-ચઢાવથી ભરેલી રહી. એક દાયકા કરતા વધુ સમયમાં પહેલીવાર પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાથી લઈને ખેલાડીઓની ઈજાઓ, શેડ્યૂલમાં પરિવર્તન અને હોમ ગ્રાઉન્ડનું સ્થળાંતર જેવા અનેક પડકારોનો સામનો કરવા સુધી, ટીમે ખૂબ જ જોશ અને તાકાત બતાવી. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં, પંજાબે 11 વર્ષ પછી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. પ્રીતિ ઝિન્ટાએ પોતાની ટીમની હાર પર કહ્યું કે પંજાબ કિંગ્સની સફર હજી પૂરી થઈ નથી. આવતા વર્ષે આ ટીમ વધુ મજબૂત રીતે પરત ફરશે અને અધૂરા કામ પૂર્ણ કરશે.

પ્રીતિ ઝિન્ટા હંમેશા ટીમના સપોર્ટમાં હાજર

પ્રીતિ ઝિન્ટા પંજાબ કિંગ્સ ટીમને ખૂબ સપોર્ટ કરે છે. તે દરેક મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચે છે. પ્રીતિ ઝિન્ટા 2008થી આ ટીમની માલિક છે. તે જીત અને હાર દરમિયાન ખેલાડીઓ સાથે ઉભી રહે છે. આ સિઝનમાં, RCBની 17 સિઝનની રાહ પૂરી થઈ ગઈ છે, પરંતુ પ્રીતિ ઝિન્ટાની રાહ 18 વર્ષ થઈ ગઈ છે. આશા છે કે આગામી સિઝનમાં પંજાબ કિંગ્સ સારું પ્રદર્શન કરશે અને ચેમ્પિયન બનશે.

આ પણ વાંચો: Breaking News : વિરાટ કોહલી વિરુદ્ધ બેંગલુરુમાં પોલીસ ફરિયાદ દાખલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
g clip-path="url(#clip0_868_265)">