પંજાબ
પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે.
રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે જ્યારે રાજ્યસભાની 7 બેઠકો છે. પંજાબ 50 હજાર 362 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.
2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તી 2 કરોડ 78 લાખ છે. પંજાબનું સૌથી મોટું શહેર લુધિયાણા છે. રાજ્યમાં કુલ 23 જિલ્લા છે.
Amazing Temple Traditions : ક્યાંક દારૂ તો ક્યાંક ચાઇનીઝ… દેશના મંદિરો જ્યાં મળે છે સૌથી અનોખો પ્રસાદ
ભારતમાં ઘણા મંદિરો છે જે તેમની માન્યતાઓ માટે પ્રખ્યાત છે. તેમની ખ્યાતિનું કારણ માનવામાં આવતા ચમત્કારો પણ તેમના પ્રસાદને આભારી છે. જો કે, દેશમાં ઘણા મંદિરો એવા પણ છે જે તેમના પ્રસાદ માટે ખૂબ પ્રખ્યાત છે.
- Sachin Agrawal
- Updated on: Nov 4, 2025
- 5:48 pm
રેલવેએ આપી મોટી ખુશખબરી! આ રૂટ પર ટૂંક સમયમાં 4 નવી વંદે ભારત ટ્રેન દોડશે; જુઓ યાદી
ભારતીય રેલવેએ 4 નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મંજૂરી આપી દીધી છે. વધુ સુરક્ષા, આરામદાયક મુસાફરી અને ઝડપી કનેક્ટિવિટી સાથે દેશમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાની કુલ સંખ્યા હવે 164 પર પહોંચી જશે.
- Ravi Prajapati
- Updated on: Nov 2, 2025
- 8:51 pm
Breaking News: લુધિયાણાથી દિલ્હી જઈ રહેલી ગરીબ રથ ટ્રેનમાં આગ, પંજાબના સરહિંદ સ્ટેશન બની ઘટના
આજે સવારે પંજાબના સરહિંદ સ્ટેશન પર અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. રેલવે અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, મુસાફરોને સુરક્ષિત રીતે અન્ય કોચમાં ખસેડ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી.
- Meera Kansagara
- Updated on: Oct 18, 2025
- 9:58 am
લક્ઝરી કારના કલેક્શનથી લઈને ફાર્મહાઉસના માલિક જીમી શેરગિલનો આવો છે પરિવાર
બોલિવૂડ અભિનેતા જીમી શેરગિલના પિતાનું અવસાન થયું છે. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તો આજે આપણે બોલિવુડ અભિનેતા જીમી શેરગિલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.
- Nirupa Duva
- Updated on: Oct 17, 2025
- 7:11 am
‘બ્લૂ સ્ટાર’ મોટી ભૂલ હતી, ઇન્દિરા ગાંધીએ જીવ આપીને ચૂકવી પડી કિંમત: પી. ચિદમ્બરમનું સનસનાટી ભર્યું નિવેદન
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે ઓપરેશન બ્લૂ સ્ટારને એક મોટી ભૂલ ગણાવી, જેની કિંમત ઇન્દિરા ગાંધીને જીવ આપીને ચૂકવવી પડી. તેમણે કહ્યું કે તે તત્કાલીન વડાપ્રધાનનો એકલાનો નિર્ણય નહોતો, પરંતુ સંયુક્ત નિર્ણય હતો. ચિદમ્બરમે દાવો કર્યો હતો કે પંજાબમાં ખાલિસ્તાનની માંગ હવે સમાપ્ત થઈ ગઈ છે.
- Manish Gangani
- Updated on: Oct 12, 2025
- 3:47 pm
ભાંગડા કરી વર્લ્ડકપની ટ્રોફી લેવા પહોંચી હરમનપ્રીત કૌર ,જુઓ પરિવારમાં કોણ કોણ છે?
ભારતીય ક્રિકેટર હરમનપ્રીત કૌરનો જન્મ 8 માર્ચ 1989ના રોજ થયો છે. તેનો જન્મ પંજાબના મોગામાં થયો હતો અને તે એક ઓલરાઉન્ડર અને ભારતીય મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની કેપ્ટન છે.હિલા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. કેપ્ટન હરમનપ્રીત કૌરની 89 રનની ઈનિંગ રમી હતી
- Nirupa Duva
- Updated on: Nov 3, 2025
- 9:21 am
બહેન રહી ચૂકી છે બિગ બોસનો ભાગ, વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકનો આવો છે પરિવાર
અમૃતસર પંજાબનો રહેવાસી શેહબાઝને ફિટનેસ ફ્રીક કહેવામાં આવે છે અને તે પોતાના શરીરને ફિટ રાખવા માટે દરરોજ વર્કઆઉટ પણ કરે છે.શેહબાઝ બદેશા કોણ છે? તેના પરિવારમાં કોણ છે, ચાલો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Sep 23, 2025
- 9:37 am
પત્ની અભિનેત્રી, એક સમયે 130 કિલો વજન હતુ, આજે 135 કરોડના માલિક રામ કપૂરનો આવો છે પરિવાર
રામ કપૂર એક પ્રખ્યાત ભારતીય ટેલિવિઝન અભિનેતા છે અને ટીવીના સુપરસ્ટાર તરીકે જાણીતા છે. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે, રામ કપૂર બિગ બોસમાં જોવા મળશે. તો રામ કપૂરના પરિવાર વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Sep 20, 2025
- 7:20 am
પૂરગ્રસ્ત પંજાબને 470 ટન રાહત સામગ્રીની મદદ કરતું ગુજરાત, ખાસ ટ્રેન મારફતે જીવન જરૂરી ચીજ વસ્તુઓ કરાઈ રવાના
મુશ્કેલીના સમયે જરૂરીયાત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. ભારે વરસાદ અને પૂરથી તારાજ થયેલા પંજાબને ખાસ ટ્રેન મારફતે કૂલ 470 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જેમાં વિવિધ ખાદ્ય સામગ્રી, અનાજ અને દવાનો પણ સમાવેશ થાય છે.
- TV9 Gujarati
- Updated on: Sep 11, 2025
- 3:54 pm
પંજાબમાં આવેલા પૂરનો પ્રકોપ કુદરતી કે માનવસર્જિત? 43નાં મોત, 9 લાખ લોકોનું સ્થળાંતર, લાખો હેક્ટર પાક બર્બાદ- જવાબદાર કોણ?
પંજાબ આ વર્ષના સૌથી ભયાનક પૂરનો સામનો કરી રહ્યુ છે. હાલ રાજ્ય સરકારે 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કર્યા છે. શુક્રવારના આંકડા મુજબ 1902 ગામો પાણીમાં ગરકાવ થયા છે. જેમા સાડા ત્રણ લાખથી પણ વધુ લોકો પ્રભાવિત થયા છે અને 11.7 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન નાશ પામી છે. 43 લોકોના મોત થયા છે. લાખો લોકો વીજળી અને સ્વચ્છ પાણીથી વંચિત છે. અનેક ગામોમાં મરેલા પ્રાણીઓના મૃતદેહો દુર્ગંધ મારી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે પંજાબમાં આવેલુ આ પૂર કેટલા અંશે કુદરતી અને કેટલા અંશે માનવસર્જિત છે?
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 2:48 pm
સુથારનો દીકરાએ મસ્કતમાં અભ્યાસ કર્યો, હવે એશિયા કપમાં ટીમની કમાન સંભાળશે
1989માં પંજાબના લુધિયાણામાં જન્મેલા જતિન્દર સિંહે 2015માં ઓમાન માટે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.અનુભવી જતિન્દર સિંહને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તો આજે આપણે જતિન્દર સિંહના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Sep 8, 2025
- 7:23 am
ચેતજો! હિમાલયની અવગણના હવે સમગ્ર દેશને ડૂબાડશે, દેશની સુપ્રીમ કોર્ટે પણ વ્યક્ત કરી ચિંતા
હિમાલય તૂટી રહ્યો છે, મેદાનો તણાઈ રહ્યા છે, હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, જમ્મુકાશ્મીરમાં આવેલુ પૂર એ માત્ર કુદરતી નથી પરંતુ માણસની લાલચનું પણ પરિણામ છે. આ આપદાઓ હવે માત્ર પહાડી રાજ્યો પૂરતી સિમીત નથી અને પંજાબ તેનુ જ ઉદાહરણ છે. ખુદ સુપ્રીમ કોર્ટના જસ્ટીસે આના પર ચિંતા વ્યક્ત કરી છે હિમાચલમાં પહાડો તૂટવાની ઘટના પર જો હવે જાગીશું નહીં તો એ દિવસ દૂર નથી કે હિમાચલ દેશના નક્શામાં ગુમ થઈ જશે. આ ટિપ્પણીને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો પંજાબ તો ડૂબી જ રહ્યુ છે. પરિણામ નજરની સામે છે.
- Mina Pandya
- Updated on: Sep 19, 2025
- 2:50 pm
પત્ની 1 અને પતિ 15 ! હવે આવું કેવી રીતે શક્ય છે ? યુવકને ઇંગ્લેન્ડના વિઝા ભારે પડ્યા
હાલમાં છેતરપિંડીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે, એક યુવક ઇંગ્લેન્ડ જવા માટે વિઝા બનાવવા પહોંચ્યો હતો પરંતુ તેના વિઝા બનાવવામાં ના આવ્યા અને એટલામાં જ તેને ખબર પડી કે તેની પત્નીના 15 પતિ છે.
- Ravi Prajapati
- Updated on: Sep 5, 2025
- 9:18 pm
Punjab Flood : IPL ટીમે મદદનો હાથ લંબાવ્યો, પંજાબમાં પૂર પીડિતોને આ રીતે રાહત પહોંચાડશે
ભારે વરસાદને કારણે પંજાબના ઘણા ભાગો પૂરની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે લાખો લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આવા સમયે, દેશભરમાંથી લોકો વિવિધ રીતે પંજાબને મદદ કરવા આગળ આવી રહ્યા છે. આ કપરી સ્થિતિમાં, આ રાજ્ય સાથે સંકળાયેલી IPL ફ્રેન્ચાઈઝીએ પણ મદદનો હાથ લંબાવ્યો છે
- Smit Chauhan
- Updated on: Sep 4, 2025
- 8:55 pm
ગાડીઓનો શોખીન છે સિંગર, એક ગીતે બનાવી દીધો રાતોરાત સ્ટાર, આવો છે પરિવાર
ગુરુ રંધાવાનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં થયો હતો. ગુરુ રંધાવા માત્ર બોલિવૂડ સિંગર જ નથી પરંતુ તેમણે ઘણા ગીતો પણ લખ્યા છે. ચાલો આજે ગુરુ રંધાવાના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક ખાસ અને રસપ્રદ વાતો જાણીએ.
- Nirupa Duva
- Updated on: Sep 1, 2025
- 7:13 am