AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંજાબ

પંજાબ

પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે.

રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે જ્યારે રાજ્યસભાની 7 બેઠકો છે. પંજાબ 50 હજાર 362 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તી 2 કરોડ 78 લાખ છે. પંજાબનું સૌથી મોટું શહેર લુધિયાણા છે. રાજ્યમાં કુલ 23 જિલ્લા છે.

Read More

દીકરાએ કર્યા 3 વખત લગ્ન, પિતાએ દીકરા સાથે કરી છેલ્લી ફિલ્મ, આવો છે સુનિલ દત્તનો પરિવાર

સુનિલ દત્તનું નામ બલરાજ દત્ત હતું, અને તેમનો જન્મ પિતા દિવાન રઘુનાથ દત્ત અને માતા કુલવંતી દેવી દત્તને ઘરે થયો હતો.સુનિલ દત્તને એક નાનો ભાઈ, સોમ દત્ત અને એક નાની બહેન, રાજ રાની બાલી હતી.સુનિલ દત્તના પિતાનું મૃત્યુ પાંચ વર્ષના હતા ત્યારે થયું. ભારતના ભાગલા સમયે સુનિલ દત્ત 18 વર્ષના હતા, સુનિલ દત્તના પરિવાર વિશે જાણો.

Breaking News : ભારતનો વધુ એક ગદ્દાર પકડાયો, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને આપી રહ્યો હતો માહિતી, જુઓ Video

પંજાબ પોલીસે ગગનદીપ સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલો હતો અને ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. તેનો સંબંધ ખાલિસ્તાની આતંકવાદી ગોપાલસિંહ ચાવલા સાથે પણ હતો.

અમદાવાદમાં IPL 2025 ની ફાઈનલ મેચ જોવા આવ્યા છો.. અહીં મળે છે હોટલ કરતાં ઓછા ભાવે રૂમ, જુઓ Video

IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં RCB અને PBKS વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ મેચને કારણે શહેરમાં ભારે ઉત્સાહ છે, પરંતુ હોટલો હાઉસફુલ થઈ ગઈ છે અને ભાડામાં વધારો થયો છે. આ વચ્ચે સ્થાનિકોને રોજગારી મેળવવાનો મોકો મળ્યો છે.

8 વર્ષની ઉંમરે કરિયર શરુ કર્યુ, આજે 41 કરોડની માલિક છે અભિનેત્રી

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અવનીત કૌરને આજે કોઈ પરિચયની જરૂર નથી. અવનીતે ખૂબ જ નાની ઉંમરે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાયું છે.નાની ઉંમરે તે કરોડપતિ છે. મુંબઈમાં તેમનું પોતાનું ઘર છે

IPL 2025 : PBKS vs RCB મેચ પહેલા હાઈ એલર્ટ, મુલ્લાનપુર સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી

IPL 2025ની પહેલી ક્વોલિફાયર મેચ 29 મે ના રોજ પંજાબના મુલ્લાનપુર સ્ટેડિયમ ખાતે રમાશે. આ દરમિયાન પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટકરાશે. પંજાબ પોલીસ કોઈ જોખમ લેવા માંગતી નથી, તેથી તેણે મેચ પહેલા હાઈ એલર્ટ જારી કર્યું છે અને સુરક્ષા વધારી દીધી છે.

Breaking News : ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ છતા દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ, ગુજરાતમાં પણ આપી દેવાયા આદેશ

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ છતા દેશના 5 રાજ્યોમાં મોકડ્રીલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે સાંજે 5થી 8 કલાક દરમિયાન મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.

પંજાબની ક્વિન અને બોલિવુડમાં હિટ ફિલ્મો આપનાર અભિનેત્રીના પરિવાર વિશે જાણો

વામિકા ગબ્બીનો જન્મ 29 સપ્ટેમ્બર 1993ના રોજ ચંદીગઢમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. વામિકા ગબ્બીની ફિલ્મ 'ભૂલ ચૂક માફ' ચાહકોને પસંદ આવી રહી છે. ત્યારે આજે આપણે વામિકા ગબ્બા વિશે રસપ્રદ વાતો કરીશું.

Breaking News : પહેલા વૈભવ સૂર્યવંશી સાથે નકલી ફોટો આવ્યો, હવે પ્રીતિ ઝિન્ટા કોર્ટમાં ગઈ, નવો કેસ શું છે?

પ્રીતિ ઝિન્ટા કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે પરંતુ કેમ? આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે 2 દિવસ પહેલા વૈભવ સૂર્યવંશી સાથે તેનો એક નકલી ફોટો વાયરલ થયો હતો. તો આ મામલો શેની સાથે જોડાયેલો છે. ચાલો સમગ્ર માહિતી વિસ્તારથી જાણીએ.

Breaking News : હરિયાણા અને પંજાબ વચ્ચેના પાણી વિવાદ પર કેન્દ્રએ મોટી કાર્યવાહી કરી, હવે CISF ભાખરા ડેમને સુરક્ષા પૂરી પાડશે

ભાખરા ડેમના પાણીને લઈને હરિયાણા અને પંજાબ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. ભાખરા ડેમ પર પંજાબ પોલીસ તૈનાત કર્યા પછી કેન્દ્રએ તેની સુરક્ષા સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ને સોંપી દીધી છે. CISF ની 296 જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા માટે 8.59 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પાકિસ્તાનના મૌલાના મુનીરના મલિન ઈરાદા બર ના આવ્યા, જુઓ વીડિયો

ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના એક પછી એક હુમલાથી ડઘાઈ ચૂકેલા પાકિસ્તાને પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવ્યું. પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિર ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. 

India-Pakistan tensions : પાકિસ્તાને સુવર્ણ મંદિર પર કર્યો ડ્રોનથી હુમલો, ભારતીય સેનાએ વાળ પણ વાંકો ન થવા દીધો, જુઓ Video

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ટળી છે. હાલ બંને દેશો વચ્ચે સીઝફાયરના પગલે શાંતિપૂર્ણ માહોલ છે. જો કે પાકિસ્તાને ભારત પર કરેલા હુમલા અંગે સામે આવ્યુ છે કે તેમણે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરને પણ નિશાન બનાવ્યુ હતુ. જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનની આ નાપાક સાજીશને નિષ્ફળ બનાવી હતી.

Breaking News : ગુજરાત પોલીસે જલંધરથી પકડેલા સાયબર ઠગનું નીકળ્યુ પાકિસ્તાન કનેક્શન, ભારત-પાક યુદ્ધનો વીડિયો મળ્યો

ગુજરાત પોલીસે પંજાબના જલંધરથી એક યુવકની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચાર મોબાઈલ ફોન અને ત્રણ સિમ કાર્ડ જપ્ત કર્યા છે. આરોપીના ફોનમાંથી ભારત-પાકિસ્તાન યુદ્ધ સંબંધિત અનેક શંકાસ્પદ વીડિયો, સમાચાર લિંક્સ અને ફોન નંબર મળી આવ્યા હતા. જોકે, પોલીસનું કહેવું છે કે આરોપીની સાયબર છેતરપિંડીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસમાં હવે ATS પણ તપાસ કરી રહી છે.

PM મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લું પાડ્યું

ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાન સામે ભવ્ય વિજય મેળવ્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એકાએક પંજાબના જલંધરમાં આવેલ આદમપુર એરબેઝ પર વાયુસેનાના સૈનિકો સહીતના સૈન્ય જવાનોને મળ્યા હતા. આદમપુર એરબેઝની મુલાકાત લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વને પાકિસ્તાનની વિરુદ્ધ એક નવો મેસેજ આપ્યો છે. જાણો એ સંદેશ કયો.

ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું ઓપરેશન ‘બુન્યાન ઉલ મરસૂસ’, કુરાનની આયત પરથી લેવામાં આવ્યું છે નામ

Operation Banyan ul Marsoos: પહેલગામ હુમલા બાદ ભારતે આપેલા બદલા બાદ પાકિસ્તાને હવે 'ઓપરેશન બુન્યાન ઉલ મરસૂસ' શરૂ કર્યું છે. તેનું નામ કુરાનની એક શ્લોક પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ 'અતૂટ દિવાલ' થાય છે.

કાશ્મીરથી જેસલમેર અને ભૂજ સુધી… પાકિસ્તાને 26 સ્થળોએ ડ્રોન હુમલા કર્યા, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ બુધવારે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવતા સચોટ હુમલા કર્યા બાદ બંને પડોશી દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.

g clip-path="url(#clip0_868_265)">