પંજાબ

પંજાબ

પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે.

રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે જ્યારે રાજ્યસભાની 7 બેઠકો છે. પંજાબ 50 હજાર 362 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.

2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તી 2 કરોડ 78 લાખ છે. પંજાબનું સૌથી મોટું શહેર લુધિયાણા છે. રાજ્યમાં કુલ 23 જિલ્લા છે.

Read More

આ શું ? Live કોન્સર્ટમાં પંજાબી સિંગરે પછાડી પછાડીને તોડી નાખ્યું ગિટાર ! Video જોઈ ફેન્સ હેરાન

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રેપર એપી ઢિલ્લોન એક પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર અચાનક તેનું ગિટાર પછાળવાનું શરૂ કરે છે. રેપરનો આ વીડિયો ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. તમે પણ જુઓ તેનો આ ચોંકાવનારો વીડિયો.

ખેડૂતો ફરી રોષે ભરાયા, શંભુ બોર્ડર પાસે આજે રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત

ખેડૂતોએ માગ કરી હતી કે તેમના નેતાઓને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ દરમિયાન ખેડૂતોએ ચેતવણી આપી શંભુ બોર્ડર પાસે રેલવે લાઇનને અનિશ્ચિત સમય માટે બ્લોક કરવાની જાહેરાત કરી હતી. એમએસપી સહિતની અનેક માંગણીઓને લઈને ખેડૂતો લાંબા સમયથી શંભુ બોર્ડર પર ઉભા છે. કારણ કે સરકાર સાથેની વાતચીતના અનેક રાઉન્ડ નિષ્ફળ ગયા છે.

બર્થડે પર કેક કાપતા લોકો સાવધાન ! 10 વર્ષની બાળકીએ જન્મ દિવસ પર કેક ખાતા જ ગુમાવ્યો જીવ, જુઓ Video

પટિયાલાના એક પરિવારનો દાવો છે કે તેમની 10 વર્ષની બાળકીનું બર્થડે કેક ખાવાથી મોત થયું છે. આ કેક ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. તેના મૃત્યુના થોડા કલાકો પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પોતાનો જન્મદિવસ ઉજવતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. કેક ખાધા બાદ પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડી હતી.

Lok Sabha Election 2024: સાતમાં તબક્કા માટે 1 જૂને થશે મતદાન, 8 રાજ્યની 57 સીટનું ભવિષ્ય થશે નક્કી

આ ચરણમાં 2 રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં એક જ તબક્કામાં 1 જૂને મતદાન કરવામાં આવશે. મતદાનના 2 દિવસ બાદ 4 જૂને મતગણતરી કરવામાં આવશે. દેશમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યુ છે.

સિદ્ધુ મુસેવાલાની માતા પર લાગ્યો IVFના નિયમોના ઉલ્લંઘનનો આરોપ, જાણો ભારતમાં શું છે કાયદો?

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરે IVFની મદદથી બાળકને જન્મ આપ્યો છે. પરંતુ હવે આ અંગે વિવાદ શરૂ થયો છે. આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મૂઝવાલાના પરિવાર અને પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ચાલો જાણીએ IVF ને લઈને શા માટે વિવાદ છે.

પંજાબમા ગુરદાસપુર જેલમાં કેદીઓ વચ્ચે ગેંગ વોર, બચાવવા આવેલી પોલીસને પણ ઢીંબી નાખી

પંજાબના ગુરદાસપુરની સેન્ટ્રલ જેલમાં કેદીઓના બે જૂથો એકબીજા સાથે ઉપર તુટી પડ્યા હતા. કેદીઓના જૂથ વચ્ચે થયેલી અથડામણને કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. અંદરો અંદર લડી રહેલા કેદીઓને છોડાવવા પોલીસ ફોર્સને બોલાવવામાં આવી હતી. એકબીજા પર હુમલો કરતા કેદીઓ ગુસ્સે થઈને પોલીસ દળ ઉપર પણ હુમલો કર્યો હતો, જેમાં ચાર પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

ભગવંત માને કર્યો મોટો ખુલાસો કહ્યું- પંજાબમાં ચૂંટણી પૂર્વે નવજોતસિંહ સિદ્ધુને AAP એ મુખ્યપ્રધાન પદની ઓફર કરી હતી

What India Thinks Today (WITT) પાવર કોન્ફરન્સમાં બોલતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે સિદ્ધુની હાલત એક પેકેટમાં રાખેલા સૂટના કાપડ જેવી છે જે લગ્ન પ્રસંગમાં એકબીજાને આપતા રહે છે પરંતુ તેને ક્યારેય પેકેટમાંથી બહાર કાઢવામાં આવતુ નથી. કોંગ્રેસનું નસીબ જુઓ કે તેઓએ જે સૂટનું કાપડ પેકેટમાંથી બહાર કાઢ્યુ છે. હવે કોઈ તેને ના તો સિવડાવી રહ્યું છે અને ના તો તે પાછુ પેકેટમાં જતુ.

મુસેવાલાના પરિવારમાં ગુંજશે કિલકારી, સિદ્ધુ મુસેવાલાની માતા આપશે બાળકને જન્મ

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ બાદ તેના ઘરમાં લાંબા સમય બાદ ખુશીનો માહૌલ આવ્યો છો. તેમની માતા ચરણ કૌર હાલમાં પ્રેગ્નન્ટ છે, મુસેવાલા પરિવારને તેમનો વારિસ મળશે.

ડ્રાઈવર વિના 70 કિલોમીટર સુધી પાટા પર દોડી ટ્રેન, મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

જમ્મુના કઠુઆમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે સવારે માલસામાન ભરેલી માલગાડી ડ્રાઈવર વગર રેલવે ટ્રેક પર દોડવા લાગી હતી. ડ્રાઈવરે જણાવ્યું કે હેન્ડબ્રેક ન લગાવવાના કારણે આ ઘટના બની અને જ્યારે ટ્રેન આગળ વધવા લાગી ત્યારે ડ્રાઈવર ટ્રેનની નજીક હાજર ન હતો. બાદમાં ટ્રેનને 70 કિલોમીટર દૂર દસુહા ખાતે રોકવામાં આવી હતી.

સરકાર વાતચીત માટે તૈયાર, ખેડૂતો હરિયાણામાં હાઈવે કરશે જામ… મામલો કેમ નથી ઉકેલાઈ રહ્યો?

ખેડૂતો તેમની માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે સરકાર તેમની માંગણીઓ સ્વીકારે. સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં ચાર રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. સરકાર પાંચમા રાઉન્ડની વાતચીત માટે પણ તૈયાર છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે વાતચીતનો પત્ર મળ્યો નથી.

બે દિવસ દિલ્હી કૂચ નહીં કરે ખેડૂતો, ખેડૂત આગેવાને કહ્યું: શંભુ બોર્ડરથી જ આગળની રણનીતિ બનાવશે

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસર ગેરંટીની માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂતોએ આગામી બે દિવસ માટે તેમની દિલ્હી કૂચ મોકૂફ રાખી છે. ખેડૂત સંગઠનોએ કહ્યું કે ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડર પર આગામી બે દિવસની જેમ બેઠા હતા. અમે આવતીકાલે ફરીથી અમારી વ્યૂહરચના જાહેર કરીશું.

હાઈકોર્ટની મનાઈ, સરકાર વાતચીત માટે તૈયાર, છતાં ખેડૂતો દિલ્હી કૂચ પર અડગ

વિરોધ કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડર પર ઉભા છે. જો કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસે જોરદાર તૈયારીઓ કરી છે. તે દરમિયાન હરિયાણા સરકાર આંદોલનને લઈને હાઈકોર્ટમાં પહોંચી છે. બીજી તરફ સરકાર ફરીથી ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે 5મા રાઉન્ડની બેઠકમાં અમે ખેડૂતો સાથે વાત કરવા અને MSP, સ્ટબલ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ. શાંતિ જાળવવા માટે વાતચીત મહત્વપૂર્ણ છે.

કિસાન આંદોલન: ખેડૂતોએ પોલીસ ડ્રોન સામે ઉડાવ્યા પતંગ, જુઓ તસવીરો

ખેડૂતોને વિખેરવા માટે પોલીસ ટીયર ગેસનો ઉપયોગ કરી રહી છે. ત્યારે પંજાબ-હરિયાણા બોર્ડર પરના ખેડૂતો તેમની 'દિલ્હી ચલો' કૂચ દરમિયાન પોલીસના ટીયર ગેસ ફાયરિંગનો સામનો કરવા માટે મુલતાની માટી, પતંગ અને ભીની શણની થેલીઓનો ઉપયોગ કરી રહ્યા છે.

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

મધ્ય પાકિસ્તાનથી લઈને ભારતના પંજાબ પ્રાંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે છે. આની સાથોસાથ સાયક્લોનિક સરક્યુલેશન પણ આકાર પામ્યુ હોવાથી, અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઈને ઉત્તરના રાજ્યો તરફ જશે. પરિણામે ધુમ્મસભર્યા વાતાવરણની સાથેસાથે તાપમાનનો પારો ગગડશે.

એક્ટિંગની ખુરશીથી લઈને પંજાબના સીએમની ખુરશી સુધીની ભગવંત માનની સફર

ભગવંત માનથી છૂટાછેડા બાદ તેમની પહેલી પત્ની અને બે બાળકો અમેરિકા ગયા હતા. ભગવંત માનને તેમની પ્રથમ પત્ની ઈન્દ્રપ્રીત કૌરથી એક પુત્ર અને પુત્રી છે. તો ચાલો પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના પરિવાર વિશે જાણીએ.

g clip-path="url(#clip0_868_265)">