Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધી વાડ્રા, ભારતીય રાજકીય પાર્ટી કોંગ્રેસના નેતા અને ઉત્તર પ્રદેશની અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ છે. તેઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે. જાન્યુઆરી 2019 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા તરીકે સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા હતા. પ્રિયંકા ગાંધી એ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીની દિકરી છે તેમજ રાહુલ ગાંધીની મોટી બહેન છે અને આ રીતે ભારતીય રાજકારણમાં પ્રભાવશાળી નેહરુ-ગાંધી પરિવારના સભ્ય છે.

2004ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, તે તેની માતાની પ્રચાર મેનેજર હતી અને તેના ભાઈ રાહુલ ગાંધીના પ્રચારમાં પણ યોગદાન આપ્યું હતું. 2007ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, તેમણે અમેઠી-રાયબરેલી ક્ષેત્રની દસ બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રિયંકાને 11 સપ્ટેમ્બર 2020 ના રોજ સમગ્ર ઉત્તર પ્રદેશના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પ્રિયંકા ગાંધીનો જન્મ 12 જાન્યુઆરી 1972ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેમના પિતા રાજીવ ગાંધી ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન હતા અને માતા સોનિયા ગાંધી છે. તે રાહુલ ગાંધીની મોટી બહેન છે. તે ફિરોઝ અને ઈન્દિરા ગાંધીની પૌત્રી છે.

પ્રિયંકા ગાંધીએ તેમનું શાળાકીય શિક્ષણ મોર્ડન સ્કૂલ, નવી દિલ્હી અને કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, દિલ્હીમાંથી કર્યું છે. તેણીએ જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને બાદમાં 2010માં બૌદ્ધ અભ્યાસમાં માસ્ટર ડિગ્રી કરી હતી. તે બૌદ્ધ ફિલસૂફીને અનુસરે છે અને એસ એન ગોએન્કા દ્વારા શીખવવામાં આવેલી વિપશ્યનાનો અભ્યાસ કરે છે.

તેણીએ 18 ફેબ્રુઆરી 1997 ના રોજ રોબર્ટ વાડ્રા, દિલ્હીના ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે.

Read More

ભારતીયોને હથકડી સાથે પરત મોકલવા મુદ્દે સંસદમાં હંગામો, વિપક્ષે સરકારને ઘેરી, પ્રિયંકાએ કહ્યુ મોદી ટ્રમ્પ સારા મિત્રો તો આવુ કેમ?

અમેરિકાએ ભારતીયોને પરત મોકલ્યા તેનાથી વધુ જે પ્રકારે તેઓને મોકલ્યા, તે ચિંતાનો વિષય છે. જાણે કે આ ભારતીયો કોઈ આતંકવાદીઓ હોય તેમ પગમાં અને હાથમાં સાંકળ બાંધીને તેઓને યાતના આપતા હોય તે પ્રકારે ભારત મોકલાયા છે. પરત આવેલા લોકો એવા ઘવાયા છે કે આ ટ્રોમા તેઓ ક્યારેય નહી ભૂલી શકે. આ મામલે હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે તો સરકારનું કહેવું છે કે વર્ષોથી અમેરિકા ગેરકાયદે લોકોને પરત મોકલી રહી છે, આ કોઈ પહેલીવાર નથી

“શું બધી જવાબદારી જવાહરલાલ નહેરૂની? તમે શું કર્યુ એ તો કહો”- પ્રિયંકા ગાંધીએ સરકારને કર્યો સવાલ

સંસદના શીતકાલીન સત્રનો આજે 14મો દિવસ છે. લોકસભામાં આજ અને આવતીકાલ એમ બે દિવસ ઘણા મહત્વપૂર્ણ રહેવાના છે. કારણ કે 13 અને 14મી ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા થવાની છે. લોકસભામાં બંધારણ પર 12 કલાક સુધી ચર્ચા થશે. આ ચર્ચાનો પ્રારંભ સરકાર તરફ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કરાવ્યો. જે બાદ કોંગ્રેસ તરફથી નવનિયુક્ત સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારને કેટલાક અણિયાળા સવાલ કર્યા.

પિતાની લાડકવાયી દીકરી, ગાંધી પરિવાર રાજકારણમાં સક્રિય, જાણો ઈન્દિરા ગાંધીના પરિવાર વિશે

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુત્રી તેમનું બાળપણ અલ્હાબાદમાં પસાર થયું છે. તો આજે આપણે ઈન્દિરા ગાંધીના પરિવાર તેમજ તેની રાજકીય કારર્કિદી વિશે વાત કરીશું.

સાસુ અને પતિ રહી ચૂક્યા છે દેશના વડાપ્રધાન, દીકરો અને દીકરી પણ રાજકારણમાં સક્રિય

સોનિયા ગાંધી મૂળ ઈટાલીના છે. દરેક લોકો સોનિયા ગાંધીના પરિવાર વિશે જાણવા માટે ઉત્સુક છે. તો આજે અમે તમને તેમના વિશે વિગતવાર જણાવીશું. 1968માં ઈન્દિરા ગાંધીની પુત્રવધૂ અને રાજીવ ગાંધીની પત્ની તરીકે ભારત આવી હતી. પરંતુ રાજકારણમાં તેમની સક્રિયતા તેમના પતિના મૃત્યુ પછી શરૂ થઈ હતી.

ગાંધી પરિવારની લાડલી દીકરી પ્રિયંકા ગાંધીનો આજે છે જન્મદિવસ, આવો છે વાડ્રાનો પરિવાર

આજે પ્રિયંકા ગાંધી પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.તો ચાલો આજે આપણે પ્રિયંકા ગાંધીના પરિવાર વિશે વાત કરીએ. જવાહરલાલ નેહરુ અને વિજયલક્ષ્મી પંડિત પછી પહેલીવાર નેહરુ-ગાંધી પરિવારની બીજી ભાઈ-બહેનની જોડી સદનમાં જોવા મળી છે.

પેટાચૂંટણી : ગુજરાત-UPમાં ખીલ્યું કમળ, વાયનાડ અને નાંદેડમાં કોંગ્રેસની જીત, જાણો 48 બેઠકોના પરિણામો

Results of 48 byelection seats : વિધાનસભા પેટાચૂંટણીની સાથે મહારાષ્ટ્રની વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકોના પરિણામો પણ જાહેર થયા છે. કોંગ્રેસે બંને બેઠકો જીતી છે. જો કે વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપનું પલડું ભારે રહ્યું છે. યુપીમાં ભાજપ ગઠબંધનને 9માંથી 7 બેઠકો મળી છે.

તમામ સંતાન-પુત્રવધૂ બન્યા સાંસદ, ફિરોઝ-ઇન્દિરા ગાંધી પરિવારના સંસદમાં પહોંચનાર 9 સભ્યોનું જુઓ List

પ્રિયંકા પહેલા જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, ફિરોઝ ગાંધી, સંજય ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, વરુણ ગાંધી અને રાહુલ ગાંધી ગાંધી પરિવારમાંથી રાજકારણમાં આવ્યા છે. પ્રિયંકા ગાંધી ગાંધી પરિવારની ચોથી મહિલા સભ્ય છે જેઓ લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી અને મેનકા ગાંધી લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે.

Priyanka Gandhi Wayanad byelection Result 2024 : વાયનાડના લોકોનો કેટલો વિશ્વાસ જીતી શકી પ્રિયંકા ગાંધી? રાહુલની સરખામણીમાં જુઓ તેનું માર્જીન

Wayanad election Result 2024 : લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેમની બહેન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવી છે. તો તમને આજે જણાવી દઈએ કે ભાઈની સીટ પરથી લડી રહેલી બહેન પ્રિયંકા ગાંધી લોકોનો કેટલો વિશ્વાસ જીતી શકી છે.

16 વર્ષ સુધી પ્રધાનમંત્રી રહ્યા, દિકરી 15 વર્ષ 350 દિવસ સુધી પ્રધાનમંત્રી રહી, આવો છે નેહરુ પરિવાર

જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર 1889 રોજ થયો હતો. 1930 અને 1940ના દાયકામાં ભારતીય રાષ્ટ્રવાદી ચળવળનું નેતૃત્વ કરવામાં નેહરુ મહાત્મા ગાંધી પછી બીજા ક્રમે હતા. તો આજે આપણે જવાહર લાલ નેહરુના પરિવાર વિશે જાણીએ.

પ્રિયંકા ગાંધીની રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી, વાયનાડથી ભર્યુ ઉમેદવારીપત્ર, જુઓ ફોટા

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ઉમેદવારી નોંધાવતા પહેલા કાલપેટ્ટામાં એક વિશાળ સભાને સંબોધી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે 1989 માં તેણીના પિતા રાજીવ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા ત્યારથી 35 વર્ષમાં તેણીએ તેની માતા સોનિયા ગાંધી સાથે કામ કર્યું છે. તેમના ભાઈ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય સાથીદારો માટે પ્રચાર કર્યો છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા પર બોલ્યા પ્રિયંકા ગાંધી…ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે પરિસ્થિતિ

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે. અમને આશા છે કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

જો પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી જીતશે, તો ગાંધી-નેહરુ પરિવાર રચશે ઇતિહાસ

કોંગ્રેસ માટે 2024નું વર્ષ શાનદાર ચૂંટણી હતું, જેને છેલ્લી બે ચૂંટણીઓમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસને 99 બેઠકો મળી છે. કોંગ્રેસ માટે સારા સમાચાર એ છે કે પાર્ટીની લાંબી રાહનો અંત આવવાનો છે. કારણ કે પ્રિયંકા ગાંધી વાડ્રા હવે તેમની ચૂંટણી લડવા માટે તૈયાર છે.

રાયબરેલીથી સાંસદ રહેશે રાહુલ ગાંધી, વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

સોનિયા ગાંધી પાંચ વખત રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2019 સુધી રાયબરેલી સીટ સોનિયા ગાંધી પાસે રહી. સોનિયા ગાંધી પહેલા પણ રાયબરેલી બેઠક પર ગાંધી પરિવારનો દબદબો હતો. આ જ કારણ છે કે રાયબરેલીની બેઠકને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક માનવામાં આવે છે.

પ્રિયંકા ગાંધીના શહેનશાહ કહેવા પર PM મોદીએ આપ્યો જવાબ, કહ્યું ” હું સહનશાહ છું”, જુઓ-video

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું 2001માં મુખ્ય પ્રધાન બન્યો ત્યારથી મેં આટલું સહન કર્યું છે, આટલા આરોપો સહન કર્યા છે, આટલા બધા અપમાન સહન કર્યા છે અને જે આટલું સહન કરે છે તે 'સહનશાહ' છે.

બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર, કહ્યું જેમને તેઓ શહેજાદા કહે છે તે 4 હજાર કિલોમીટર ચાલ્યા

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં પ્રચાર કર્યો. પ્રચાર દરમિયાન ભાગ્યે જ આક્રમક થતા પ્રિયંકા ગાંધીએ આજે લાખણીમાં તેમની જનસભા દરમિયાન પીએમ મોદી પર આક્રમક્તાથી એકબાદ એક પ્રહાર કર્યા. અને પીએમના મોદીના તમામ આરોપોનો ગુજરાતની ધરતી પરથી જ જવાબ આપ્યો. આજની પ્રિયંકાની જનસભામાં એવુ સ્પષ્ટપણે દેખાઈ આવતુ હતુ કે પીએમ મોદીના આરોપોનો ગુજરાતની ધરતી પરથી પલટવાર કરવામાં આવશે.

WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
WITT 2025: જયા કિશોરી એક સારી કથાકાર છે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ શું કહ્યુ
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
Dhirendra Shastri: 500 થી વધુ મુસ્લિમો મારા ભક્ત છે...
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, આરોપી ઝડપાયો
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
એક્સલસ બિઝનેસ હબમાં લાગી આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં સફળતા મળવાના સંકેત
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">